SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ to ] જ્ઞાનાંજલિ એ જ રીતે શ્રી ધૂમકેતુલિખિત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચા' પુસ્તકને આવકારતાં તે મુક્ત મને કહે છે કે— <" : આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરત્રો લખાઈ ચૂકયાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલે! થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્દાની ભૂમિકામાં ઊભા રહી જીવનચિરત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાએ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેને વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. ’ ( જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩ ) મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણે કે સંપાદનેાની વિદ્યાતામાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દૃષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણે છે કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરુષોને માટે માનભર્યાં શબ્દ વાપરીએ તેા તેથી આપણુ` ચિત્ત લુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજ્ય પુરુષો માટે બહુમાનભર્યાં શબ્દોના પ્રયાગ કરે એવી એને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટુ, જો આપણે બીન્નને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોને પ્રયાગ કરીએ તે એથી આપણા વિચાર અને વાણી તેા દૂષિત થાય જ છે; ઉપરાંત એ સામી વ્યક્તિને આપણને માન્ય વ્યક્તિને માટે ખરાબ વાણીને પ્રયાગ કરવાના એક પ્રકારને પરવાનેા મળી જાય છે! ધનને ખપી જેમ શેાધી શેાધીને ધનને સંચય કરે, તેમ મહારાજશ્રી સત્યને! અને ગુણાતા શેાધી શોધીતે સંગ્રહ કરવાની દૃષ્ટિએ જ શાસ્ત્રોનુ અવગાહન કરે છેઃ એ જ એમના શાસ્ત્રાભ્યાસની વિરલ વિશેષતા છે. પ્રાચીન ગ્રંથાનું સોાધન--પેાતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એમનાં સંપાદનેાની સર્વાંગપરિપૂર્ણતા જોઈ તે પરદેશના વૈજ્ઞાનિક સશોધક વિદ્વાના પણ ડાલી ઊઠે છે. તેએશ્રીને હાથે આકરામાં આકરા ત્રા પણ અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથ-સોંપાદનના કાર્યોંમાં તેએાશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણેા અનેક છે : તે શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા છતર સાહિત્યના સંદર્ભોથી સુપરિચિત હાય છે; અને જે બાબત તેએાની સમાજમાં આવતી ન હોય તે બાબતને, ગમે તે રીતે, ખુલાસેા મેળવીને જ તેએ આગળ વધે છે. અક્ષરાના વિવિધ મરેડા છતાં જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેએ સિદ્ધહસ્ત છે. અને સૌથી આગળ વધીને શાસ્ત્રોના ( તેમ જ અન્ય ગ્રંથેાના પણ) સ`શેાધનની બાબતમાં એમની ધીરજ અને ખત સાચા અર્થમાં અપાર છે. આ કાર્ય કરતાં એમને ન તે કયારેય કટાળેા આવે છે કે ન તે તેઓ કયારેક ઉતાવળ કરે છે. નાના સરખા ઉંદરને શેાધવા ડુંગર ખાદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવા હોય તાપણ તેઓ હમેશાં તૈયાર હોય છે; અને કયારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તાપણ તેઓ નિરાશ થતા નથી. સત્યની એકાદ હીરાકણી માટે પણ તે દિવસરાત મથામણ કર્યા જ કરે છે; અને આટલું બધું કરવા છતાં તેના ભારથી મુક્ત બનીને સદા સુપ્રન્ન રહી શકે છે. એમના આવા આદશ અનેક સંશાધનગ્રંથાનાં નામ લેખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસ શેાધનનું જે મહાન કાર્ય આરંભ્યું છે, તે તેા એમના જ્ઞાનમય વ્યક્તિત્વના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy