SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] જ્ઞાનાંજલિ પહોળાઈ ૨ ઈંચની છે. કાગળનાં પુસ્તકોમાં સૌથી પ્રાચીન પ્રતિ પ્રશ્વનોદ્વરાટી ની છે, જેની લંબાઈ-પહોળાઈ ઉપર નોંધવામાં આવી છે. આના અંતમાં લખ્યાનો સંવત નથી, પણ તેની લિપિ આદિ જોતાં તે ચૌદમા સૈકામાં લખાયેલી જણાય છે. તાડપત્રીય પુસ્તકોમાં જ્ઞાતાધર્મવાળાં અને તેની ટકાની પ્રતિ પ્રાચીન છે. આને અંતમાં પણ લખ્યાની સાલ નથી. ભંડારમાં સ્વર્ણાક્ષરી બે પ્રતો છે, તે સિવાય બધાં પુસ્તકો કાળી શાહીથી લખેલાં છે. લાલશાહીને ઉપયોગ કાગળનાં કેટલાંએક પુસ્તક માં થયેલ છે, પરંતુ તે શોભા નિમિત્તે અથવા ગ્રંથના મુખ્ય વિભાગો ધ્યાનમાં આવે તેટલા ખાતર જ, તેથી વિશેષ નહિ. બધાંય પુસ્તક જૈન દેવનાગરી લિપિમાં લખેલાં છે. કાગળની પ્રતા ૧૪ત્રિપાઠ, પંચપાઠ અને શૂદ્ર એમ ત્રણે પ્રકારે લખેલી છે. ભંડારમાં પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી, હિંદી જૈન-જૈનેતરના દરેક વિષયના જે જે ગ્રંથે વિદ્યમાન છે, તેનો વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારને પ્રસ્તુત લિસ્ટમાંનું ત્રીજું પરિશિષ્ટ જેવા ભલામણ છે. દર્શનીય વિભાગ - ભિન્ન ભિન્ન દષ્ટિએ જેવા ઈચ્છનાર માટે ભંડારમાં શું શું દર્શનીય છે, તેને નિર્ણય તેઓ પોતે જ કરે એ ઠીક ગણાય. માત્ર જેઓ ટૂંક મુદતમાં ભંડારનું સ્થૂલ દર્શન કરવા ઇચ્છતા હોય તેમને માર્ગદર્શક થાય તેવી તેમાંના વિશિષ્ટ તેમ જ દર્શનીય વિભાગની નોંધ અહીં કરવામાં આવે છે. શુદ્ધ ગ્રંથો–ભંડારમાં જે કેટલાએક ગ્રંથે વિદ્વાન મુનિવરોએ સુધારેલા જોવામાં આવે છે, તે સૌમાં વધારે મહત્ત્વના ગ્રંથે કેટલાક જૈન છેદસૂત્રની ભાગ–ચૂર્ણની પ્રત છે, જે અન્ય ભંડારમાં આટલી શુદ્ધ દુર્લભ છે. ઉપરોક્ત છેદસૂત્રોની પ્રતિઓમાં ગીતાજમણની પ્રતિ શુદ્ધતમ છે. દષ્ટિદોષથી રહી ગયેલ અશુદ્ધિને અશુદ્ધિ ન ગણીએ તો “આ પ્રતિમાં ભૂલ જ નથી” એમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. આ અપેક્ષાએ પં જૂમધ્યપૂ આદિ ગ્રંથે ઊતરતા જ ગણાય. છતાં તેમાં વિદ્વાન મુનિઓને હાથ ફરે છે. આ છેદ ગ્રંથો સિવાય નં. ૧૨માં દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામિકૃત પ્રમાWIFરીક્ષા ગ્રંથની પ્રતિ છે, જે શુદ્ધતમ હોવા સાથે આકર્ષક ધનશલિથી અલંકૃત છે. આ પ્રતિ કતકલ્પભાષ્યની પ્રતિને ઝાંખી કરી દે તેવી છે. ઠેકઠેકાણે વિશાળ ટિપણી, પાઠાંતરો, પ્રમાણશાસ્ત્રીય ગ્રંથોમાં આવતી લાંબી ચર્ચામાં દૂર દૂર સુધી વારંવાર આવતા તત્ શબ્દના અર્થની ગૂંચે ટિપ્પણ કર્યા સિવાય ઉકેલવા માટે કરેલ વિવિધ ચિહ્નો ઇત્યાદિ તે પ્રતિના શોધકની અદ્વિતીય નિપુણતાને વાચકને ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે પ્રતિને પોતે સાક્ષાત હાથમાં લઈને જુએ. આ સિવાય તિસ્થાન, ધાતુIRIT આદિ ઘણાય ગ્રંથો સુધારેલા છે, પણ તે દૃષ્ટિએ સંપૂર્ણ તપાસ કરેલ ન હોઈ કેટલા ગ્રંથ સુધારેલા છે તે કહી શકાય નહિ. ઉપરોક્ત ગ્રંથોના અંતમાં તેના શોધકોએ પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી, જેમ નં. ૬ उतराध्ययन लघुवृत्ति, नं. ६ आवश्यक टिप्पन, नं. ११ बृहत्कर्मस्तववृत्तिना मतमा तना शोधा - ૧૪ વચમાં મૂળ ગ્રંથ અને ઉપર નીચે તેની ટીકા એમ ત્રણ વિભાગમાં લખાતા પુસ્તકને ત્રિપાઠ તથા વચમાં મૂળ ગ્રંથ અને ઉપર નીચે તેમ જ બે બાજુના માર્જીનમાં તેની ટીકા એમ પાંચ વિભાગમાં લખાતા પુસ્તકને પંચપાઠ કહેવામાં આવે છે. ત્રિપાઠ-પંચપાઠરૂપમાં સટીક ગ્રંથે જ લખી શકાય છે. આ રીતે લખાયેલ પુસ્તકમાં મૂળ ગ્રંથ અને તેની ટીકાનો વિભાગ કરવાનો શ્રમ દૂર થઈ જાય છે. હાથીની સૂંઢની જેમ વિભાગ પાડ્યા સિવાય સળંગ લખેલ પુસ્તકને શૂદ્ર તરીકે ઓળખવામાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy