________________
[ ર૫
લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન કારણ કે આ સમયે, શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી હવાનો તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોની હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું ખેદજનક તથા અગવડતાભર્યું થાય, જાણી કુશળ તાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી)ને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભકિતનું રહસ્ય, તેનાથી મળતા લાભ આદિ સમજાવી તે તિથિનું મહાભ્ય વધારી દીધું, અને લોકોને જ્ઞાનભક્તિ તરફ વાળ્યા. લેકે પણ તે દિવસને માટે ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશક્ય આહરાદિકને નિયમ, પીપધવત આદિ સ્વીકારી, જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં ભાગીદાર થવા લાગ્યા. જે ઉદેશથી ઉક્ત તિથિનું માહામ્ય ગાવામાં આવ્યું, તેને તે અત્યારે અભરાઈ ઉપર મૂકવામાં આવ્યો છે. અર્થાત પુસ્તક ભંડારે તપાસવા, ત્યાંના કચરે રાફ કરો, પુસ્તકોને તડકે દેખાડ, બગડી ગયેલ પુસ્તકે સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડા, વજના ભૂકાની નિર્માલ્ય પોટલીઓ બદલ ની આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા ને લીસોટા રહ્યા ” એ કહેતી પ્રમાણે આજકાલ તાંબર મૂર્તિ પૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાંમોટાં નગરમાં થોડાંઘણાં જે હાથમાં આવ્યાં તે પુસ્તકની આડંબરથી સ્થાપના કરી તેને પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે.
ઉપરોક્ત જ્ઞાનપંચમી તિથિના માતામ્યના ખરા રહસ્યને અને તે દિવસના કર્તવ્યને વિચારવાને કારણે આપણું ઘણાંય સ્થળેના કીમતી પુસ્તકસંગ્રહો ઉધેઈ આદિના ભક્ષ્ય બન્યા છે, જેનું તાજું ઉદાહરણ સુરતના વડાચૌટાના ઉપાશ્રયમાં મૂકેલ પૂજ્ય શ્રી ૧૦૮ શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયમુનિજીને પુસ્તકસંગ્રહ છે, જે તપાસ કરાયા સિવાય પટારામાં પુરાઈ રહેવાથી તેમાંનાં ઘણાંખરાં પુસ્તકે જીવડાંએ એવાં કેરી ખાધાં કે જેથી તે કશાય કામમાં ન રહ્યાં!
પ્રરતુત જ્ઞાન ભંડાર સ્થાપન–પ્રસ્તુત જ્ઞાનભંડારની સ્થાપના ક્યારે થઈ અથવા કોણે કરી એ માટેનું ઉલિખિત કશુ જ સાધન મળી શક્યું નથી. તેમ છતાં જરા ડોસા દેવચંદના વખતથી પ્રતિત ભંડારનો વહીવટ અવિચ્છિન્ન રીતે ચાલ્યો આવે છે. તે પહેલાંનાં લીંબડીમાં લખાયેલાં કેટલાંક પુસ્તક ભંડારમાં દેખાય છે. એ ઉપરથી એમ કહી શકાય કે આ ભંડાર તેમના પહેલાંના સમયનો છે. ભંડારમાં જે પુસ્તક વિદ્યમાન છે એ—લીબડીનગર સ્થાનકવાસી સંપ્રદાયનું પાટનગર હોઈ તેમની સાથેની ચર્ચામાં વારંવાર પકાની જરૂરત જણાયાથી-યુનિવર્ણનાં મૂકેલાં હોવાનો સંભવ વધારે છે. એ પણ સંભવ છે કે કદાચ શેડ ડસા દેવચંદ પોતાની લાગવગવાળા કોઈ સ્થળના પુસ્તસંગ્રહને લાવ્યા હોય. અહીં એટલું જણાવવું જોઈએ કે શેઠ ડાલા દેવચંદ આદિની જ્ઞાનભંડાર પ્રત્યે હાર્દિક લાગણી હોવા છતાં તેમણે પુસ્તક લખાવવામાં નજીવો જ અર્થ વ્યય કર્યો છે. એ વાત એટલા ઉપરથી કહી શકાય છે કે આખા ભંડારમાં ડાસા વહોરા અને તેમના વંશજનાં લખાયેલાં માત્ર બે–ચાર પુસ્તક જ નજરે આવે છે, અને તે પણ સૂત્રકૃતગિનિયુક્તિ જેવાં નાનાં નાનાં.
પ્રસ્તુત જ્ઞાનભંડારને જેટલા વિસ્તારમાં અત્યારે આપણે જોઈએ છીએ તેટલો વિશાળ તે વખતે ન હોય એ સ્વાભાવિક છે. જ્યારે ક્યારે કોના તરફથી ભંડારમાં પૂર્તિ કરવામાં આવી, એ સંબંધી પૂર્ણ હકીકત મળી નથી, તેમ તેવી આશા પણ ન રાખી શકાય. ચાલુ શતાબ્દીમાં સં. ૧૯૨૦ માં
* વોરા ડોસા દેવચંદ અને તેમના વંશજેને ટૂંક પરિચય “ પુરવણી”માં કરાવાશે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org