SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન [ ૨૩ નથી, તેમ જ તે હકીકતને ઉલ્લેખ પણ ક્યાંય થયો નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા, ત્યાં ને ત્યાં જ રહ્યા હોય. કેટલાકનું કહેવું છે કે તે બધું તે સમયે જેસલમેર મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે, તે જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી મળતું. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં તે સંગ્રહ હોય તો કાંઈ કહેવાય નહિ; પણ તેવો સંભવ જ નથી, તેમ ઘણી વાર આવી કિંવદન્તીઓ વજૂદ વિનાની જ હોય છે. - જેમ જૈન સંઘે મોગલેની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ગોવા,રાં તેજ ઈડર, પાટણ આદિ નગરમાં મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગવાળાં તેમ જ અકય ઊંડાઈવાળાં ભૂમિગૃહો-ભોયરાં બનાવ્યાં છે, તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે બનાવ્યાનું કક્યાંય જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ એક જ જણાય છે કે જૈન મંદિર એ જાહેર તેમ જ લક્ષણયુક્ત મકાન હોઈ તેને શોધતાં વાર ન લાગે અને જ્ઞાનભંડારોની જેમ પાષાણમયી મૂર્તિઓને સ્થાનાંતર કરવામાં મુશ્કેલીને પ્રશ્ન હોઈ તેનું ગોપન નજીકમાં નજીક સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હોવાથી તેને માટે ગુમ સ્થાને જવાની ફરજ પડી; જ્યારે જ્ઞાનભંડાર રાખવાના સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમ જ પ્રસંગવશાત તેને સ્થાનાંતર કરવામાં કશોય મુશ્કેલીભર્યો પ્રશ્ન ન હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાનો રચવાની આવશ્યકતા રવીકારાઈ નથી. આમ છતાં એમ માનવાનું નથી કે ભ સુરક્ષિત રાખવા માટે તેવી યોજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણરૂપે આપણી સમક્ષ જેસલમેરનો કિલ્લે વિદ્યમાન છે, જેમાંના મકાનમાં ત્યાંના ભંડારને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધી વડે ઉઘાડી તેમાંથી મંત્રાનાયનાં કેટલાં ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયે. આવા–બહુરૂપીબજાર અને મૃગલીના નવલકથામાં વર્ણવાયેલ તલેસ્માતી મકાન જેવા–ગુપ્ત સ્તંભ કે મકાને, એ સદાને માટે ઈરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તકો માટે ભલે ઉપયોગી ગણાય, અન્ય પુસ્તકસંગ્રહને રક્ષણ માટે, જેને અધિકારી આખો સમાજ છે, આવા સ્તંભો કે મકાન ઉપયોગી ન જ હોઈ શકે. બીજા વિભાગમાં વરસાદની જલમિશ્રિત શરદી, ઉધેઈ, ઉદર આદિને સમાવેશ થાય છે. ઉધઈથી જ્ઞાનભંડારનું રક્ષણ કરવા માટે પુસ્તક મૂકવાની પેટી, મજૂસ કે કબાટ આદિની આસપાસ ધૂળ-કચરે ન વળવા દેવો તેમ જ જમીનથી અદ્ધર રહે તેમ પિટી આદિ રાખવાં, અને ઉંદરથી બચાવવા માટે, જેમાં પુસ્તકો રાખવામાં આવતાં હોય તેમાં, ઉંદર પેસી જાય તેવી પોલાણ કે રસ્તો ન હૈ જોઈએ, એ સૌ કોઈ જાણતું હોય છે. પરંતુ પુસ્તકને શરદીથી કેમ બચાવવું ? ચોંટી જવાનો સંભવ હોય તેવા પુરતકને કેમ રાખવું ? ચુંટી ગયેલ પુસ્તકને કેમ ઉખાડવું ?-ઈત્યાદિ બાબતોથી તો આજકાલનો જૈન મુનિવર્ગ પણ લગભગ અજાણ છે, એટલે તેને લગતી બાબતની નોંધ કરવી વધારે આવશ્યક છે. પુસ્તકનું શરદીથી રક્ષણ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી વરસાદની જલમિશ્રિત શરદી લાગતાં તે ચૂંટી જાય છે. માટે શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે તેને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “ પુસ્તકને શત્રુની જેમ મજબૂત બાંધવું. ” આને અર્થ એ છે કે મજબૂત બંધાયેલ પુસ્તકમાં શરદી પ્રવેશવા ન પામે. અધ્યયનાદિ માટે જે પુસ્તક બહાર રાખ્યું હોય તેનાં આવશ્યકીય પાનાં છૂટાં રાખી બાકીનાને બાંધીને જ રાખવું. બહાર રાખેલ પાનાંને પણ વધારે પડતી હવા ન લાગે તે માટે કાળજી રાખવી. જૈન હસ્તલિખિત ભંડારના કાર્યવાહકે ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી, તેનું કારણ પણ પુસ્તકને “હવા ન લાગે એ છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy