SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] જ્ઞાનાંજલ ૧. વસ્તુપાલ-તેજપાલે શત્રુ ંજય ઉપર ઉજ્જયતાવતાર, સ્ત ંભનક તીર્થંવતાર, સત્યપુર તીર્થાંવતાર, નંદીશ્વરાવતાર અને શકુનિકાવિહારાવતારના નામે પાંચ તી સ્મારક મદિરા કરાવ્યાં હતાં, ઇન્દ્રમડપ કરાવ્યા હતા, કપર્દિયક્ષના મદિરને જર્ણોદ્ધાર કરાવ્યા હતા, તેજપાલની પત્ની અનુપમાના નામનું અનુપમાસરાવર બંધાવ્યુ` હતુ`, અને મૂળનાયક શ્રી આદીશ્વરભગવાનના મંદિર સામે પૂર્વ-પશ્ચિમ ભાગમાં પેાતાની અને પેાતાના ભાઈઓની મૂર્તિઓ સહિત એક પેાળ કરાવી હતી. ૨. વસ્તુપાલનાં માતા-પિતા અને ભાઈ એનાં નામેાના ઉલ્લેખ. ૩. વસ્તુપાલ-તેજપાલના શ્રીસંધ પ્રત્યે અનન્ય બહુમાનવાળા ભક્તિભાવ. ૪. વસ્તુપાલ, ગૂર્જરેશ્વર મહારાજા વીરધવલ, લાવણ્યાંગ-લૈંગિ ( વસ્તુપાલના મોટા ભાઈ), મહ્ત્વદેવ-માલદેવ ( વસ્તુપાલના મેાટા ભાઈ), તેજપાલ ( વસ્તુપાલના નાના ભાઈ), ચૈત્રસિલ ( વસ્તુપાલના પુત્ર ), અને લૂસિ ંહ ( તેજપાલના પુત્ર )ની ગુણાનુવાદપૂર્વક યશાગાથા. બન્ને શિલાલેખાને શિલા ઉપર લખનાર ખંભાતનિવાસી વાજડને પુત્ર ધ્રુવક અટકવાળા જયંતસિંહ છે. ગિરનારના શિલાલેખાના આધારે આ જયતસિહનુ' અપરનામ ચૈત્રસિંહ હતું અને તે કાયથવંશીય વાલિગના પુત્ર સહજિગના પુત્ર વાજના પુત્ર હતા એ હકીકત જાણી શકાય છે. પહેલા શિલાલેખને કાતરનાર બકુલસ્વામી નામના શિલ્પીને પુત્ર ધ્રુવક અટકવાળા પુરુષોત્તમ છે. ગિરનારના શિલાલેખેાના આધારે આ પુરુષાત્તમ વસ્તુપાલે શત્રુજય ઉપર બાંધેલા ઇંદ્રમડપ અને નંદીશ્વરાવતારના મુખ્ય શિલ્પી સામદેવના પુત્ર અકુલસ્વામીના પુત્ર હતા એ જાણી શકાય છે.૨ ખીજા શિલાલેખને કાતરનાર કુમારસિંહ નામના સૂત્રધાર છે. આ કુમારસિંહ સૂત્રધાર વાહડને પુત્ર હતા તે હકીકત ગિરનારના શિલાલેખેા ઉપરથી જાણી શકાય છે. ૩ આજ સુધીમાં ઉપલબ્ધ થયેલા વસ્તુપાલના શિલાલેખાની લિપિ અને ઉત્કીર્ણન સુંદર છે. પેાતાના શિલાલેખાનુ લિપિસૌષ્ઠવ બરાબર જળવાય તે માટે લેખનકળામાં સિદ્ધહરત લેખકની અને તદનુસાર તે લેખને સુંદર રીતે કાતરનાર સૂત્રધારની વસ્તુપાલ ખાસ પસંદગી કરતા હતા. આજે ઉપલબ્ધ થતા વસ્તુપાલના શિલાલેખામાં લેખક અને ઉત્કીર્ણાંક કલાકારાના નામવાળા જે લેખા શત્રુંજય, ગિરનાર અને ખંભાતમાંથી મળ્યા છે, તેમાં લેખક અને ઉત્કીક ઉપર જણાવેલા જ છે. લૂણવસહી– ( આમ્મૂ ) ના શિલાલેખમાં લેખકનું નામ નથી તેથી તેમાં જણાવેલા ઉત્કીર્ણક સૂત્રધાર કેલ્હણના પુત્ર ધાંધલના પુત્ર ચડેશ્વર લિપિમાં અને કાતરવામાં સિહત હશે એમ લાગે છે. આવી, કાઈના પણુ કાર્ય સાથે તેના નામને અમર કરવાની વસ્તુપાલ જેવી મહાનુભાવતા વિરલ વ્યક્તિઓમાં જ હોય છે. ખીજા શિલાલેખમાં આવતી શત્રુ ંજય ઉપર પાળ કરાવ્યાની હકીકત સિવાયની બન્ને શિલાલેખાની હકીકતા વસ્તુપાલના સબંધમાં રચાયેલા સાહિત્યમાં અને પ્રશસ્તિલેખામાં મળી આવે છે, એટલું જ નહિ, પણ આ શિલાલેખામાં જે ઉલ્લેખ નથી તેવી વસ્તુપાલ સંબધી હકીકતા આજે મોટા પ્રમાણમાં મળી આવે છે. તેને સક્ષિપ્ત નિર્દેશ કરતાં પહેલાં પ્રસ્તુત બન્ને શિલાલેખાને ભાવાર્થ સહિત અક્ષરશઃ પાઠ અને વસ્તુપાલને લગતા અદ્યાવધિ અપ્રસિદ્ધ દસ પ્રશસ્તિલેખા અને તેને ટૂંક પરિચય આપવા ઉચિત લાગે છે. ૧. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, ન. ૨, ૨૧ ૨૯. ૨. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૬-૨૭, ૨૮–૨૯. રૂ. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૧-૨૭, ૨૭૨૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy