SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ સાદી ભાષામાં દોરવામાં આવે છે. જન્મ–પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વડોદરા પાસે આવેલ છાણ ગામમાં વિ.સં. ૧૯૨૬ના ચૈત્ર શદિ ૧ને દિવસે થયો હતો. તેમનું પોતાનું ધન્ય નામ ભાઈ ચુનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ ભલુચંદ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પોરવાડ હતી. તેઓ પિતા સાથે ચાર ભાઈ હતા અને ત્રણ બહેને હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થ પણાને તેમનો અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચોપડીએ એટલે હતો. વ્યાપારાદિમાં ઉપયોગી હિસાબ આદિ બાબતોમાં તેઓશ્રી હાંશિયાર ગણાતા હતા. ધર્મ સંસ્કાર અને પ્રવજ્યા-છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારપ્રધાન ક્ષેત્ર હોઈ ભાઈ શ્રી ચુનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણમૂત્રાદિને લગતો યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યો હતે. છાણું ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હોઈ ત્યાં સાધુસાધ્વીઓનું આગમન અને તેમના ઉપદેશાદિને લીધે લોકમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂનીલાલમાં પણ ધર્મના દઢ સંસ્કારે પડ્યા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગણગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજને સંયોગ થતાં તેમના પ્રભાવસંપન્ન પ્રતાપી વરદ શુભ હસ્તે તેમણે ડભોઈ ગામમાં વિ.સં. ૧૯૪૬ના જેઠ વદિ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રવજ્યા અંગીકાર કરી અને તેમનું શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું. વિહાર અને અભ્યાસ–દીક્ષા લીધા પછી તેમના વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. શરૂઆતમાં સાધુગ્ય આવશ્યકક્રિયા સૂત્રો અને જીવવિચાર આદિ પ્રકરણોને અભ્યાસ કર્યો. તે વખતે પંજાબમાં અને ખાસ કરી તે જમાનાના સાધુવર્ગમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાર્ધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધ પ્રચાર હતો, તે મુજબ તેઓશ્રીએ તેનો અભ્યાસ કર્યો અને તે સાથે કવ્ય, વાલ્સટાલંકાર, શ્રતધ આદિનો પણ અભ્યાસ કરી લીધું. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂર્વાચાર્યત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણ-જે જૈન આગમના પ્રવેશદ્વાર સમાન છે–નો અભ્યાસ કર્યો. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે ક્રમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્ય એકીસાથે ચાલતાં રહ્યાં. ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પોતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “મ્યાનો ફિ વર્મr - નમાવતિ.” એ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈને મદદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોને સ્વાધ્યાય પ્રવર્તાવા લાગે છે, જેના ફળરૂપે આપણે “આત્મનન્દ જૈન ગ્રંથરત્નમાળા”ને આજે જોઈ શકીએ છીએ. શાસલેખન અને સંગ્રહ–વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પંજાબ દેશોદ્ધારક, ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહને વારસે એમની વિશાળ શિખ્યસંતતિમાં નિરાબાધ રીતે વહેતો રહ્યો છે. એ કારણસર પૂજ્યપ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગંગાનો નિર્મળ પ્રવાહ સતત જીવતો વહેતો રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભંડારોમાંથી શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy