SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજ્યાનંદસૂરિવરને અક્ષરદેહ જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણ ઊડી જઈ પ્રજા નિતિન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે પોતે ઘોર અંધકારમાં ડૂબતી જાય છે, ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પોતાની પ્રાચીન વિભૂતિઓ–અર્થાત અસ્ત પામી ગયેલ છતાં જીવતાજાગતા પૂર્વ મહાપુરુષ–ની ઝગમગતી જીવનજ્યોતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે. મહાપુરુષોની જીવનજ્યોતના પ્રવાહો સવંતોગામી હોઈ તેનું સંપૂર્ણ દર્શન વિવેકપુર સર કરવાનું આપણુ જેવા સાધારણ કોટિના દરેક મનુષ્ય માટે શક્ય નથી હોતું, એટલે એ તનું આછું આખુંય દર્શન આપણ સૌને થાય અને આપણું સૌમાં નવેસરથી નવચેતન પ્રગટે, એ ઉદ્દેશથી આપણા સૌની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષો અનેક ઉપાય યોજે છે. આપણા પૂર્વ મહાપુરૂષોએ સમ્યજ્ઞાન–સદ્વિદ્યાની પ્રાપ્તિ, સમ્યગ્દર્શન–સત્ય વસ્તુની ઓળખ અને સમ્યફચારિત્ર–સદ્ગણી જીવનની પ્રાપ્તિ માટે આજ સુધીમાં તિથિઓ, પ, કલ્યાણકમહોત્સ, અષ્ટાદ્વિકાઓ વિગેરે જેવા અનેક પ્રસંગે ઉપદેશ્યા-પ્રવર્તાવ્યા છે. એ જ મહાપુરુષોનું અનુસરણ કરી આજના યુગમાં પણ જયંતી, શતાબ્દી, જાહેર વ્યાખ્યાન આદિ જેવા અનેક શુભ પ્રસંગે ઊભા કરવામાં આવે છે, જેથી પ્રજાજીવનમાંથી ઓસરી ગયેલા બાહ્ય અને આત્યંતર જ્ઞાનાદિ ગુણોની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમ જ વૃદ્ધિ થાય. ચાલુ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ ન્યાયાંબોનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિવર (પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ)ની “શતાબ્દી ને પ્રસંગે ઉપસ્થિત થયે છે, જે અડગપણે એ મહાપુરુષને પુનિત પગલે ચાલનાર અને એમના જ-આજ્ઞાધારી પ્રભાવશાળીપટ્ટધર આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જન્મે છે. જે મહાપુની શતાબ્દી ઊજવવાની છે તેમને લક્ષીને તેમના “સ્મારક ગ્રંથ” માં કાંઈ લખવાનું આમંત્રણ તેના ઉત્પાદક તેમ જ સંપાદક તરફથી મળે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હોય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય, તેમના સંબંધમાં કાંઈ પણ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દષ્ટિએ કૃત્રિમ ગણાય; તેમ છતાં બીજી દષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે મહાપુરુષો પૂલ દેહે ભલે આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા હોય તે છતાં તેઓ– સમ દેહે કહે, ચહાય અક્ષરદેહે કહ–સદાય આ જગતમાં જીવતા-જાગતા જ હોય છે, એટલે આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy