SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનતિલક મહાકાવ્ય t Rape અને સર્જન કર્યું છે, એ ભક્તિયોગનું પરિણામ છે. વ્યક્તિના જીવનમાં સહજ ભાવે જે પ્રેરણા જાગી હોય છે તે ગમે તેવા સંયોગોમાં કે વિદ્ગોમાં જીવંત રહે છે. ભાઈશ્રી હીરાભાઈની જે કથા મેં જાણુ છે તે ઉપરથી હું કહી શકું છું કે તેમના હૃદયમાં ભક્તિયોગ ઘણે ઊંડે ઊતરેલો છે. યુવાવસ્થાના પ્રારંભકાળે તેમણે આ ચરિત-કવિતા-ગ્રંથની શરૂઆત કરી હતી. પરંતુ વ્યક્તિના જીવનમાં કુદરતનાં સર્જનો કહે, ચહાય ભાવિભાવના સર્જન કહો, અજબ હોય છે. આ રીતે તેમણે જીવનમાં ઘણી લીલી-સૂકી અને તડકી-છાંયડીઓ જોઈ, જેના પરિણામે તેમના “ત્રિભુવનતિલક'નું સર્જન વિરમી ગયું. આમ છતાં વ્યક્તિના જીવનમાં જેનાં મૂળ ઊંડાં મેલાં હોય તેવી ભાવના, ગમે તેટલી તડકી છાંયડી આવે તોપણ, એક વાર ભલે તે કરમાયેલી દેખાય, તે છતાં એનાં મૂળ તો સજીવન જ હોય છે અને પ્રસંગ પ્રાપ્ત થતાં એ પાંગરી ઊઠે છે. ભાઈશ્રી હીરાભાઈ માટે આ જ હકીકત છે. જીવનની લીલી-સૂકી અને તડકી-છાંયડીના યોગે વિરમી ગયેલી “ત્રિભુવનતિલકની રચના આજે સર્વા ગે પાંગરીને ખીલી ઊઠી આપણી નજર સામે આવી છે. એમના જીવનના અનેરો સાથે તેમનો ભક્તિયોગ પણ ફળ્યો છે. શાસ્ત્રોનું અવગાહન કરતાં આપણે જોયું છે કે પૌરાણિક કાળમાં અથવા પ્રાગૈતિહાસ કાળમાં સંખ્યાતીત રાજાઓ, મહામાયે, શ્રેષ્ઠીઓ વગેરે અનેકવિધ વ્યાપારમાં ડૂબેલા હોવા છતાં આંતરજીવનને લગતાં વિવિધ કાર્યો તેમણે કર્યા છે. આ જ રીતે પ્રાચીન ઐતિહાસિક યુગમાં શ્રેણિક, ચેટક, ઉદયન, શતાનીક, પ્રદેશિરાજ આદિ રાજાઓ, ઉપાસકદશાંગ આદિમાં આવતા કુબેરભંડારીને ભુલાવે તેવા આનંદ, ધન્ય, શાલિભદ્ર, કૃતપુણ્ય આદિ ધનાઢથ શ્રાવકેએ આંતરજીવનની સાધના માટે જ્ઞાન-ધ્યાનસમાધિની સાધના કરી હતી. આ જ યુગ સાથે સંબંધ ધરાવતા મહારાજા શ્રી સંપ્રતિરાજે આંતરજીવનની સાધના ઉપરાંત જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ માટે પોતાનું જીવન અને તન-મન-ધન, બધુંય સમર્પિત કરી દીધું હતું. મધ્યયુગમાં ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ દેવે ભક્તિગપ્રધાન જ્ઞાનયોગની સાધના કરી હતી. સજજન મંત્રી ઘવાયેલી અવસ્થામાં રણમોરચે બેસી પ્રતિક્રમણ જેવી | કરતા હતા. મહામાત્ય વસ્તુપાલ, મંત્રી હોવા છતાં, તીર્થયાત્રાએ સંથે લઈ જતા. કળાધામ સમાં મંદિરનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડારોનું લેખન, સ્થાપના અને શાસ્ત્રાધ્યયન કરવા ઉપરાંત નરનારાયણનંદ, આદિનાથમનોરથસ્તોત્ર, અંતસમયની આરાધના, સુભાષિતનું નિર્માણ આદિ તેમના જીવનની મહત્ત્વની પ્રવૃત્તિઓ હતી. મંત્રી પેથડશાહ મંત્રીપદને લગતા સંખ્યાબંધ વ્યાપાર હોવા છતાં તેમણે ૫૪૪ ગાથા પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણ જેવાં પ્રકરણો કંઠે કર્યા હતાં; મંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર, જૈનાગનું શ્રવણ અને જ્ઞાનભંડારેની સ્થાપના આદિ કાર્યો કર્યા છે. ખંભાતના શ્રાવક શ્રી ઋષભદાસ કવિ વ્યાપારી હોવા છતાં તેમણે સંખ્યાબંધ રાસે, સ્તવનો, સજઝા, સ્તુતિઓની રચના કરી છે. આ રીતે પ્રાચીન અને મધ્યયુગીન આવી સંખ્યાબંધ વ્યક્તિઓનાં નામે આપણે અહીં ટાંકી શકીએ તેમ છીએ. વર્તમાન યુગમાં પણ આવી સંખ્યાબંધ વ્યક્તિઓ આપણી નજર સામે છે, જે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ખૂચેલા હોવા છતાં, તેમના જીવનમાં અનેક કાર્યો સાવધાની અને કુશળતાથી કરી રહ્યા છે. ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા, સોલિસિટરનો ધંધો હોવા છતાં, તેમણે તેમના જીવનમાં અધ્યાત્મકલ્પદ્રુમ, આનંદધનપદસંગ્રહ, શાંતસુધારસ, જેને દષ્ટિએ ગ, આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા અનેક ગ્રંથો અને અનુવાદે તૈયાર કરી આપણને ભેટ આપ્યા છે. ઉપમિતિભવપ્રપંચો કથા જેવા પ્રાસાદભૂત ગ્રંથનું ભાષાંતર અને સિદ્ધર્ષિ, એ તો એમની મહામૂલ્યવતી રચના જ ગણાય. ભાઈશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy