________________
૨૨૨]
જ્ઞાનાંજલિ વિવેચન છે. ખાસ કરીને ભગવાન મહાવીરના યુગમાં મગધનો મહાન શૈશુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીનો રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાનો રાજા દધિવાહન, કૌશાંબી રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજાઓ વગેરે જે જે રાજાઓ જૈનધર્માવલંબી હતા તેમ જ અવંતીને રાજા ચંઠપ્રદ્યોત અને બીજા જે જે રાજાઓ જૈનધર્મ પ્રત્યે બહુમાનભરી લાગણી ધરાવતા હતા, તેઓનો અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજ્યગ્રામ, ચંપા, સિંધુસૌવીર-વીતભય વગેરે નગરે ક્યાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે.
બીજા વિભાગમાં: ભગવાન મહાવીર પછીના યુગમાં મહારાજા કેણિક, તેના ઉત્તરાધિકારી ઉદયન વગેરે નંદવંશીય રાજાઓ અને તેમના શકડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યો, મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વગેરે જે જે રાજાઓ જૈન હતા તેમ જ જે જે રાજાઓ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ ધરાવતા હતા તે બધાને પરિચય આપવામાં આવ્યો છે.
ઉપરોક્ત જેન રાજાઓ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવળ કારકિર્દીભર્યું અને અતિ ગૌરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધમ હતો એટલું જ નહિ, પણ તેણે:વૈદિક સંસ્કૃતિપ્રધાન આંધ, દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મને ઝંડો ફરકાવ્યો હતો. ભગ મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહામાં મોટા પાયા પર જેનધર્મને પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારોને પોતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરે કરવાની ફરજ પડી હોય.
જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાર્યને સાંગાપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કોઈ પાછળ નથી હતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તે જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસનાં ક્ષેત્રોમાં જે ગણીગાંઠી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે, તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જ જમી છે.
ચોથું પ્રકરણ “કલિંગદેશમાં જૈનધર્મ' છે. આ પ્રકરણમાં અત્યારે ઓરિસા તરીકે ઓળખાતા કલિંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખોનો ગૌરવવંતો ઇતિહાસ છે, જેનો સમય ઈ. સ. પૂર્વે બીજે સૈકા છે. સમ્રાટ ખાલ અને તેના હાથીગુફા શિલાલેખોનું મહત્વ ફક્ત જેનધર્મના ઇતિહાસની દષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજિક અને રાજકીય નજરે પણ તેનું મહત્ત્વ અતિઘણું છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિને લક્ષ્યમાં રાખી લખાયેલ પાંડિત્યપૂર્ણ આવો વિશદ શિલાલેખ જગતભરના ઇતિહાસમાં ભાગ્યે જ બીજે જોવામાં આવશે.
મહારાજા ખારવેલ અને તેના શિલાલેખ જૈનધર્મને માટે અભિમાનનું સ્થાન હોવા છતાં આશ્ચર્યકારક ઘટના તો એ છે કે સમગ્ર વેતાંબર–દિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામનો કે તેને મળતા તેવા બીજા કોઈ નામાંતરનો ઉલ્લેખ સરખો મળતો નથી. ખરે જ, આ પણ એક ન ઉકેલી શકાય તેવો કોયડો છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતિને કયા કારણે વિસારી મૂકી હશે. અતુ! ગમે તેમ છે, તે છતાં આ શિલાલેખો જૈન ધર્મ માટે અતિ મહત્વના છે.
જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખ પૂરું પાડે છે. આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભના બે પદે મંગળ તરીકે આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org