SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુસંસ્થા અને શિક્ષણ વર્તમાન જૈન સાધુસમુદાયની જ્ઞાનના વિષયમાં અતિ મંદ અથવા અતિ દરિદ્ર દશા જોઈને જૈન સમાજના અનેકાઅનેક હિતેષી સમજુ મનુષ્યોના હૃદયમાં આજે એ વિચાર સ્ફરી રહ્યો છે કે, જેના સાધુઓની જ્ઞાનના ક્ષેત્રમાં કેવી અને કેટલી યોગ્યતા હોવી જોઈએ? અર્થાત જૈન શ્રમણોનું શિક્ષણ કયા ધરણે અને કઈ જાતનું હોવું જોઈએ? ઉપર્યુક્ત પ્રશ્નને અંગે સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા કરતાં આપણે આપણી પ્રાચીન જૈન સાધુસંસ્થાના શિક્ષણ તરફ સહજ દષ્ટિપાત કરી લઈએ, જેથી વર્તમાન જૈન શ્રમણ સંસ્થાના શિક્ષણને આદર્શ કેવો હોવો જોઈએ એ પ્રશ્નને ઊહાપોહ અગર ઉકેલ આપોઆપ જ થઈ જાય. આજે જ નહિ પરંતુ અતિ પ્રાચીન કાળથી પણ વૈદિક અને બૌદ્ધ ધર્માવલંબીઓ કરતાં અલ્પ સંખ્યામાં રહેલ જૈનધર્મે આજ સુધી જગત સમક્ષ પોતાનું વ્યક્તિત્વ તેમ જ અસ્તિત્વ જાળવી રાખેલ છે એ કોના અને શાના પ્રભાવથી ? એનો જો આપણે સ્થિર ચિત્તે વિચાર કરીશું તો ઉત્તર એ જ મળશે કે, સાધુજીવી જૈન શ્રમણ સંસ્થા અને તેના વિશાળ શિક્ષણના પ્રભાવથી જે ધર્મો, જે શ્રમણસંસ્થા અને તેના જે ઉદાત્ત શિક્ષણના ધોરણથી, આજ પર્યત પોતાનું પ્રભાવશાળીપણું ટકાવી રાખ્યું છે, એટલું જ નહિ, પણ તે સાથે જગતભરના ધમેને પોતાના વિશિષ્ટ સંસ્કારોને વારસોય અર્પણ કર્યો છે એ જ ધર્મ, આજે આપણે ચોમેર નજર નાંખીશું તો, દિન પ્રતિદિન પ્રત્યેકે પ્રત્યેક બાબતમાં નિસ્તેજ અને પ્રભાવહીન થતો નજરે આવે છે. આ ઉપરથી આપણે એ વિચારવું અતિ આવશ્યક છે કે, આપણું પ્રાચીન શ્રમણ સંસ્થાના શિક્ષણમાં એવી કઈ વિશેષતા હતી ? અને આજે એમાં ક્યાં ઊણપ આવી છે ? તેમ જ એ ઊણપ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ ?' જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાને વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકે દરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે? એ સમજવાની કે વિચારવાની શક્તિ પણ આપણે સૌ ગુમાવી બેઠા છીએ. અસ્તુ. હવે આપણે મુખ્ય વિષય તરફ આવીએ. આપણી સમક્ષ વિદ્યમાન પૂર્વાચાર્યોના જીવતા જીવન સમા પ્રાચીન ગ્રંથોનું આપણે સક્ષ્મ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy