________________
સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ
આ લેખમાં ભાવનગર–શ્રીસંધના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિને અને તેના અંતમાં લખાયેલી એક વિસ્તૃત પ્રશસ્તિને પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર-શ્રીસંઘના ભંડારમાં—સુરક્ષિત તેા ન કહેવાય પણુ,—રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંધનાં દરેક કાર્યા “શેઠ ડેાસાભાઈ અભેચંદની પેઢી'ના નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભડાર એ પેઢીના આશ્રય નીચે હાઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણ સમા વયોવૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિને નબર ડા. ૨૭ નં. ૧૫ છે, એની પત્રસંખ્યા ૯૫ છે. લંબાઈ-પહેાળાઈ ૧૫×જા ઇંચની છે. દરેક પાનામાં લીટીએ કેટલી છે એ ગફલતથી નોંધવું રહી ગયુ છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટી હોવી જોઈ એ. અને દરેક લીટીમાં અક્ષરા ૨૮ થી ૭૪ સુધી છે. આખી પ્રતિ એ વિભાગમાં લખાયેલી છે એટલે એ વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચામેર પણ વેલ છે. એ વેલ કાઈ કળાના ખાસ નમૂનારૂપ નથી પરંતુ તદ્ન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમ જ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન ( Background)લાલ, આસમાની અને જાંબલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે, જ્યારે ચિત્રા નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગનું વૈવિધ્ય ખાસ નથી; એમાં મુખ્યત્વે કરીને સોનેરી ર'ગને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુ ંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રો પસૂત્રની હસ્તલિખિત પ્રતિમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રો જોવામાં આવે છે તે જ જાતનાં છે.
પ્રસ્તુત પ્રતિને અંગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાંની વિસ્તૃત પ્રશસ્તિ જોઈ એ.
भुज्जो भुज्जो उवदसेइ त्ति बेमि ॥ छ ॥ पज्जोसवणाकप्पो सम्मत्तो ॥ छ ॥ ग्रंथा १२१६ सर्वसंख्या ॥ छ ॥ संवत् १५१७ वर्षे आखाढ सुदि अष्टमी सोमे श्रीअणहिलपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसूरिराज्ये श्री उपाध्या [य] सिद्धान्त रुचिउद्यमेन लिखितं वाछाकेन ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org