SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ૧૨૬ ] લીધે તેમાંની જે અને જેટલી હકીકતો મળી આવે તે આધારે તેને પુનરુદ્ધાર સ્થવિર આર્ય કાલકે કર્યો હતો. વસુદેવહિંડી, આવશ્યકચૂર્ણિ, અવશ્યક સૂત્ર અને અનુયોગકારસૂત્રની હારિભદ્રી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામને જે ઉલ્લેખ છે તે આ પુનરૂદ્ધરિત પ્રથમાનુયોગને લક્ષીને છે; જ્યારે આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં (અવતરણ ૧ ) આવતો પ્રથમાનુયોગ નામનો ઉલ્લેખ, સંભવ છે કે, મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હોય! ૨. આઠ અને નવ ઉલ્લેખને આધારે આપણને જાણવા મળે છે કે પ્રથમાનુગમાં માત્ર તીર્થકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલેખને આધારે પ્રથમાનુગમાં તીર્થકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચરિત્રો હતા. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ છે, પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવેલી, શ્રી શીલાંકાચાર્યવૃત ચઉપણમહાપુરિસચરિય અને આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ત્રિષ્ટિશલાકાપુરુષચરિતને મળતું હોવું જોઈએ. ૩. પાંચમો ઉલ્લેખ જોતાં સમજી શકાય છે કે, પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ આજે આપણે સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વર્ણનપદ્ધતિ, છંદ વગેરે વિષય, આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાઓ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગઠારસૂત્ર ઉપરની હારિભદી વૃત્તિ(ઉલ્લેખ છમાં પાંચ મહામેનું વર્ણન જેવા માટે પ્રથમાનુયોગ જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતોનો સમાવેશ હોવાને સંભવ છે. ' ૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર(ઉલ્લેખ ૮-૯)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુગ નામ ભળે છે, તેનું કારણ મને એ લાગે છે કે, જ્યાં સુધી સ્થવિર આર્ય કાલકે પ્રથમાનુગને પુનરુદ્ધાર નહોતો કર્યો ત્યાં સુધી સૂત્રકાલીન પ્રથમાનુગને પ્રથમાનુયોગ નામથી જ ઓળખવામાં આવતો હશે, પરંતુ સ્થવિર આર્ય કાલકે એ ગ્રંથનો ઉદ્ધાર કર્યા બાદ સૂત્રકાલીન પ્રથમાનગને મૂલપ્રથમાનુગ નામ આપ્યું હોવું જોઈએ. જોકે સમવાયાંગસૂત્ર-નંદિસત્રના ચૂર્ણિવૃત્તિકારોએ વ્યુત્પજ્યર્થ સિદ્ધ કેટલાક વિકલ્પિક લાક્ષણિક અર્થો આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને સ્પર્શ નથી કરતા. જે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્ર હોત તો ચૂર્ણિવૃત્તિકારોના અર્થો લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ, આપણે સંભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી, પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબંધ ધરાવતા ચક્રવર્તીવાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનવા યોગ્ય નથી. એટલે પ્રથમાનુગમાં માત્ર તીર્થકરોનાં ચરિત્રો હોવાની વાત નંદિવ-સમવાયાંગસૂત્રમાં મળતી હોય કે માત્ર તીર્થકર-ચક્રવત દશારોનાં ચરિત્રો હોવાની વાત પંચકલ્પભાયાદિમાં મળતી હોય તો પણ આપણે એ સમજી જ લેવું જોઈએ કે પ્રથમાનુયોગમાં, ઉપર કહેવામાં આવ્યું તેમ, ત્રેસઠ શલાકાપુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓનાં ચરિત્રોને સમાવેશ થવો જોઈએ. એટલે ચૂર્ણિકૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહીં લાક્ષણિક જ સમજવી જોઈએ. દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્ર પ્રણીત અંગણત્તીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે– ___पढम मिच्छादिट्ठिं अव्वदिकं आसिदूण पडिवज्ज । - ભુગોનો પઢિયારો ડુતો માજુથોનો સો || 3 || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy