SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] જ્ઞાનાંજલિ શાસ્ત્રમાંથી પ્રેરણા જાગ્યા વિના નહિ રહે. આ ઉપરાંત બીજી અનેક બાહ્ય દૃષ્ટિએ પણ આ ગ્રંથ ઉપયોગી છે. એ ઉપયોગિતાને દર્શાવનાર એવાં તેર પરિશિષ્ટો અમે આ વિભાગને અંતે આપ્યાં છે, જેને પરિચય આ પછી આપવામાં આવશે. આ પરિશિષ્ટોના અવલોકનથી વિવિધ વિદ્યાકળાનું તલસ્પર્શી અધ્યયન કરનારે સમજી જ લેવું જોઈએ કે પ્રસ્તુત ગ્રંથમાં જ નહિ, દરેક જૈન આગમમાં અથવા સમગ્ર જૈન વાડ્મયમાં આપણે પ્રાચીન સંસ્કૃતિને લગતી વિપુલ સામગ્રી ભરી પડી છે. અમે અમારાં તેર પરિશિષ્ટોમાં જે વિસ્તૃત છે અને ઉતારી આપ્યા છે તે કરતાં પણ અનેકગણી સામગ્રી જૈન વાડ્મયમાં ભરી પડી છે, જેનો ખ્યાલ પ્રસ્તુત ગ્રંથના દરેકેદરેક વિભાગમાં આપેલી વિપયાનુક્રમણિકા જોવાથી આવી જશે. પરિશિષ્ટને પરિચય પ્રસ્તુત ગ્રંથને અંતે ગ્રંથના નવનીતરૂપ તેર પરિશિષ્ટ આપ્યાં છે, જેને પરિચય આ નીચે આપવામાં આવે છે: ૧. પ્રથમ પરિશિષ્ટમાં મુદ્રિત કલ્પશાસ્ત્રના છ વિભાગો પૈકી કયા વિભાગમાં કષથી ક્યાં સુધીનાં પાનાં છે, કયો અર્થાધિકાર ઉદ્દેશ આદિ છે અને ભાષ્યની કઈ ગાથાથી કયાં સુધીની ગાથાઓ છે, એ આપવામાં આવેલ છે, જેથી વિદ્વાન મુનિવર્ગ આદિને પ્રસ્તુત શાસ્ત્રના અધ્યયન, સ્થાનઅઘણુ આદિમાં સુગમતા અને અનુકૂળતા રહે. ૨. બીજા પરિશિષ્ટમાં કલ્પ (પ્રા. કપો) મૂળશાસ્ત્રનાં સૂત્રો પૈકી જે સત્રોને નિકિત, ભાગ, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ કે ટીકામાં જે જે નામથી ઓળખાવ્યાં છે, તેની અને તેનાં સ્થળોની નોંધ આપવામાં આવી છે. ૩. ત્રીજા પરિશિષ્ટમાં આખાય મૂળ કલ્પશાસ્ત્રનાં બધાંય સૂત્રોનાં નામની—જેનાં નામ નિયુક્તિભાગકારાદિએ આપ્યાં નથી તે સુધાની–ગ્યતા વિચારીને ક્રમવાર સળંગ નેંધ આપવામાં આવી છે. તેમ જ સાથે સાથે જે જે સૂત્રોનાં નામોનાં અમે ફેરફાર આદિ કરેલ છે તેનાં કારણો વગેરે પણ આપવામાં આવ્યાં છે. ૪. ચોથા પરિશિષ્ટમાં ક૫મહાશાસ્ત્રની નિયંતિગાથાઓ અને ભાષગાથાઓ એકાકાર થઈ જવા છતાં ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ તે ગાથાઓને જુદી પાડવા માટે જે પ્રયત્ન કર્યો છે, તેમાં જુદાં જુદાં પ્રત્યન્તર અને ચૂર્ણિ, વિશેષચૂર્ણિ જોતાં પરસ્પરમાં કેવી સંવાદિતા અને વિસંવાદિતા છે તેની વિભાગશઃ નોંધ આપી છે. ૫. પાંચમા પરિશિષ્ટમાં ક૯૫ભાષ્યની ગાથાઓનો અકારાદિકમ આપ્યો છે. ૬. છઠ્ઠા પરિશિષ્ટમાં ક૫ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ ટીકામાં સ્થાને સ્થાને જે અનેકાનેક શાસ્ત્રીય ઉદ્ધરણો આપ્યાં છે, તેનો અકારાદિક્રમ, તે તે ગ્રંથોના યથાપ્રાપ્ત સ્થાનાદિનિર્દેશપૂર્વક આપવામાં આવ્યો છે. ૭. સાતમા પરિશિષ્ટમાં ભાગમાં તથા ટીકામાં આવતા લૌકિક ન્યાયની નોંધ આપવામાં આવી છે. એ નેંધ, નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયેલ “લૌકિકન્યાયાંજલિ” જેવા સંગ્રહકારોને ઉપયોગી થાય, એ દષ્ટિએ આપવામાં આવી છે. કેટલીક વાર આવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગોપાત્ત જે લૌકિક ન્યાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે, તે ઉપરથી તે તે લૌકિક ન્યાય કેટલા પ્રાચીમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy