SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ શકે છે. આમ છતાં જગતનાં ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધિ, સમાજ વગેરે માત્ર તેના નિયમોના નિર્માણ ઉપર જ જાગ્યા-જીવ્યા નથી, પરંતુ એ નિયમના પ્રામાણિક શુદ્ધ એકનિક પાલનને આધારે જ તે જીવ્યા છે અને જીવનને ઉન્નત બનાવ્યું છે. આ શાશ્વત નિયમને નજર સામે રાખીને, જીવનમાં વીતરાગભાવનાને મૂર્તરૂપ આપનાર અને તે માટે એકધારો પ્રયત્ન કરનાર જૈન ગીતાર્થ મહર્ષિઓએ ઉત્સર્ગ અપવાદનું નિર્માણ કર્યું છે. ઉત્સર્ગ' શબ્દનો અર્થ “મુખ્ય” થાય છે અને “અપવાદ' શબ્દનો અર્થ “ગૌણ થાય છે. પ્રસ્તુત છે આગમોને લક્ષીને પણ ઉત્સર્ગ અપવાદ શબ્દને એ જ અર્થ છે. અર્થાત ઉત્સર્ગ એટલે આર જીવન, ચારિત્ર અને ગુણોની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના મુખ્ય નિયમોનું વિધાન અને અપવાદ એટલે આન્તર જીવન આદિની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના બાધક નિયમનું વિધાન. ઉત્સર્ગ અપવાદના ઘડતર વિશેના મૂળ ઉદ્દેશ તરફ જોતાં બનેયનું મહત્ત્વ કે મુખ્ય પાનું એક સમાન છે. એટલે સર્વસાધારણને સહજભાવે એમ લાગ્યા વિના નહિ રહે કે એક જ હેતુ માટે આવું દૈવિધ્ય કેમ? પરંતુ જગતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરનારને એ વસ્તુ સમજાયા વિના નહિ રહે કે, માનવજીવનમાં સહજ ભાવે સદાને માટે જે શારીરિક અને ખાસ કરીને માનસિક નિર્બળતાએ અધિકાર જમાવ્યો છે, એ જ મા દૈવિધ્યનું મુખ્ય કારણ છે. આ પરિસ્થિતિને પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી ધર્મ, નીતિ, સંધિ, સમાજ, પ્રજા આદિના નિર્માતાઓ પોતાની સાથે રહેનાર અને ચાલનારની બાહ્ય અને આંતર પરિસ્થિતિને ધ્યાનમાં ન લે અને સાધક-બાધક નિયમોનું વિધાન ન કરે, તો એ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંઘ વગેરે વહેલામાં વહેલાં જ પડી ભાંગે. આ મૌલિક સુક્ષ્મ વસ્તુને લક્ષમાં રાખી જૈન સંઘનું નિર્માણ કરનાર જૈન સ્થવિરોએ એ સંધ માટે ઉત્સર્ગ-અપવાદનું નિર્માણ કરી પિતાના સર્વોચ્ચ જીવન, ગંભીર જ્ઞાન, અનુભવ અને પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઉત્સર્ગ અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામિયાણું અને શુદ્ધ વૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ ઉત્સર્ગ અને અપવાદ, ઉત્સર્ગ અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણો બની જાય છે. આ જ કારણથી ઉત્સર્ગ અપવાદનું નિરૂપણું અને નિર્માણ કરવા પહેલાં ભા' કાર ભગવંતે પરિણમી, અપરિણમી અને અતિપરિણામી શિષ્યો એટલે કે અનુયાયીઓનું નિરૂપણ કર્યું છે (જુઓ ગાથા ૭૯૨-૯૭, પૃ. ૧૪૯-૫૦) અને જણાવ્યું છે કે, યથાવસ્થિત વરતુને સમજનાર જ ઉત્સર્ગ માર્ગ અને અપવાદમાર્ગની આરાધના કરી શકે છે. તેમ જ આવા જિનાજ્ઞાવશવત મહાનુભાવ શિષ્યો-ત્યાગી અનુયાયીઓ-જ છેદ આગમજ્ઞાનના અધિકારી છે અને પોતાના જીવનને નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામિભાવ અદશ્ય થાય છે અને જીવનમાં શુદ્ધ સારિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વછંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સર્ગ અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્ર-પાવન વીતરાગધર્મની આરાધના દૂર ને દૂર જ જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે. આટલો વિચાર કર્યા પછી આપણને સમજાશે કે ઉત્સર્ગ અને અપવાદનું જીવનમાં શું સ્થાન છે અને એનું મહત્ત્વ કેવું, કેટલું અને કઈ દષ્ટિએ છે? પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અનેક વિષયે અને પ્રસંગોને અનુલક્ષીને આ અંગે ખૂબ ખૂબ વિચાર કરવામાં આવ્યા છે. આંતર કે બાહ્ય જીવનની એવી કોઈ પણ બાબત નથી કે જે અંગે ઉત્સર્ગ અપવાદ લાગુ ન પડે. એ જ કારણથી પ્રસ્તુત મહાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જેટલા ઉત્સ-મૌલિક નિયમ-છે તેટલા અને તે જ અપવાદો-બાધક નિયમ-છે અને જેટલા બાધક નિયમો-અપવાદ છે તેટલા અને તે જ મૌલિક નિયમ-ઉત્સર્ગો છે” (જુઓ ગાવે ૩૨૨ ) આ જ હકીકતને સવિશેષ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર ભગવંતે જણાવ્યું છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy