SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ यच्चतुर्दशपूर्युपादानं तत् तेषामपि षट्स्थानपतितत्वेन शेषमाहात्म्यख्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथाद्वयादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश एवेति गाथार्थः ॥ २३३ ।। -उत्तराध्ययन पाइयटीका, पत्र २४० । ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાત્યાચાર્યે બે રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે–૧. નિ. ક્તિકાર પોતે ચૌદપૂવ હોવા છતાં “ પુથ્વી' એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરો આપ આપસમાં અર્થજ્ઞાનની અપેક્ષાએ પસ્થાન પતિત અર્થાત ઓછાવત્તી સમજવાળા હોવાથી પિતાથી અધિકનું માહાય સૂચવવા માટે છે. ૨. અથવા દારગાથાથી લઈને અહીં સુધીની બધીયે ભાવ્યગાથા હાવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.” આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કયારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમ જ આ સમાધાનને ચૂર્ણિકારને ટેકે પણ નથી. જ્યારે કોઈ પણ સ્થળે વિરોધ જેવું આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ભાષ્યગાથા છે” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને, જેના માટે ખુદ પોતે પણ શંકિત છે, માન્ય રાખી શકાય નહિ. ૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીકાધ્યયનમાં “પુંડરીક' પદના નિક્ષેપોનું નિરૂપણ કરતાં દ્રવ્યનિક્ષેપના જે ત્રણ આદેશોને નિયુક્તિકારે સંગ્રહ કર્યો છે, એ બહકલ્પસૂત્રચૂર્ણિકારના કહેવા પ્રમાણે સ્થવિર આર્ય મંગુ, સ્થવિર આર્યસમુદ્ર અને સ્થવિર આર્યસુહસ્તી એ ત્રણ સ્થવિરેની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય–બાધિત હોવા માટેનું કોઈ પ્રમાણ નથી–તો આપણે એમ માનવું જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુકૃત નિર્યું. ક્તિગ્રંથોમાં તેમના પછી થયેલ વિના આદેશનો અર્થાત એમની માન્યતાઓનો ઉલ્લેખ હાઈ જ ન શકે. અને જો એ સ્થવિરોના મતોને સંગ્રહ નિર્યુકિતગ્રંથમાં હોય તો “એ કૃતિ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુની નથી પણ કેઈ બીજા જ સ્થવિરની છે” એમ કહેવું જોઈએ. જે પાછળ થયેલ વિરેની કહેવાતી માન્યતાઓનો સંગ્રહ ચતુર્દશપૂર્વધરની કૃતિમાં હોય તો એ માન્યતાઓ આર્ય મંગુ આદિ વિરેની કહેવાય જ નહિ; જે કોઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તો એ સામે વિરોધ જ ઊભો થાય. અતુ. નિયુક્તિમાં પાછળના સ્થવિરેના ઉપરક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશે જોતાં નિયંતિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ સ્વામી હોવાની માન્યતા બાધિત થાય છે. ૩. ઉપર અમે જે બે પ્રમાણુ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિનું છે. દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિના પ્રારંભમાં નીચે પ્રમાણે ગાથા છે– वंदामि भद्दबाह, पाईण चरिमसगलसुयनाणि। सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥१॥ १. गणहरथेरकयं वा, आएसा मुक्कवागरणतो वा । धुवचलविसेसतो वा, अंगाऽण गेसु णाणत्तं ॥ १४४ ॥ चूणिः-किं च आएसा जहा अज्जमंगू तिविहं संखं इच्छति-एगभवियं बद्धाउयं अभिमुहનામrd ૨ | અષણમુદ્દા વિદ્ધ૩ મિમુનામાત્ત ૨ | અણુથી – अभिमुहनामगोयं इच्छति ।। कल्पभाष्यगाथा अने चूर्णि (लिखित प्रति ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy