SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શાસનસમ્રાટું ઉપાય તે શે, પણ એને કારગત કરવાનું ઘણું મુશ્કેલ હતું. પણ મુશ્કેલીથી ડરે એ નેમચંદભાઈ નહિ. તેમણે તે એ ઉપાયને કારગત કરવા માટે કમ્મર કસી લીધી. શ્રી દુર્લભજીભાઈ નામે તેમના એક મિત્ર પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. તેઓ મહુવાના બખાઈ કુટુંબના પુત્ર હતા. તેમની ભાવના શ્રીનેમચંદભાઈની સાથે જ દીક્ષા લેવાની હતી. અને તેમને પણું ઘરેથી રજા મળતી ન હતી. એટલે તેઓ બને કે અન્ય ઉપાયની શોધમાં હતા. ત્યાં જ શ્રીનેમચંદભાઈએ આ ઉપાય શોધી કાઢ્યો. આજે તેઓ બને એકાન્તમાં એકત્ર થયા હતા. ઉપાય તે છે, પણ એને સફળ શી રીતે બનાવવું એની યુક્તિ ગોઠવવાના વિચારમાં તેઓ પડ્યા હતા. કેમ નેમચંદ! કઈ યુક્તિ ધી કે નહિ-ભાગી જવાની” ? દુર્લભજીએ પૂછયું. હા દુર્લભજી! ઘણે વિચાર કર્યા પછી હમણાં જ એક રસ્તો જડ્યો છે. પેલો “ઝીણી ઉંટવાળે આપણે ઓળખીતે છે. તેની જોડે આપણે નકકી કરીએ કે –“તું અમને ઊંટ ઉપર બેસાડીને ભાવનગર પહોંચાડી દે, તું કહીશ એટલું ભાડું આપીશું”. અને જે તે માની જાય તે આપણે જરૂર ભાવનગર પહોંચી જઈએ. નેમચંદભાઈએ પિતાના સાથીદારને યુક્તિ જણાવી. - વાહ ! આ યુક્તિ આબાદ છે. મને ખાત્રી છે કે વધારે પૈસા મળવાનું સાંભળશે, એટલે એ ઝીણી હા જ પડશે. એટલે હવે તે એને મળીને જલદી નક્કી કરી લેવું જોઈએ. તે પછી હું એને આજે જ મળીને બધું નક્કી કરી લઉં છું. તારે આજે રાત્રે એના ઘેર આવી જવાનું. હું પણ આવી જઈશ. અને પરેઢિયે વહેલાસર આપણે રવાના થઈ જવાનું. બરાબરને! તું રાત્રે સમયસર આવી જઈશ ને ? નિર્ણયાત્મક સ્વરે નેમચંદભાઈએ દુર્લભજીને પુછ્યું. હા ! હું ગમે તે રીતે આજે રાત્રે ઝીણીયાના ઘેર આવી પહોંચીશ જ. એ માટે તું નચિંત રહે. અને બંને મિત્રો પિતાની યોજના ગઠવીને છૂટા પડ્યા. ત્યાર પછી શ્રીનેમચંદભાઈ સમય મેળવીને પિલા ઉંટવાળાની પાસે ગયા, અને પોતાની વાત કરી. ઝીણુંમીયાએ પ્રથમ તે આનાકાની કરી. બેવડું ભાડું મળતું હોવાથી તેનું મન લલચાતું તે હતું. પણ પાછળથી લોકે આ વાત જાણે ત્યારે પોતાની શી દશા થાય ? એ વિચારથી તે આનાકાની કરતે હતે. નેમચંદભાઈએ એને ખૂબ સમજાવીને કહ્યું કે તારે વાળ પણ વાંકે નથી થવાને. તારે ડરવાની બિલકુલ જરૂર નથી ત્યારે તે માની ગયે. એટલે હવે પૂરેપૂરું નક્કી થઈ ગયું. એ જમાનામાં બસ-મોટર કે રેલવે જેવાં આધુનિક સાધનો હજુ ભારતના ગામેગામમાં નહેાતાં પહોંચ્યા. એક ગામથી બીજે ગામ જવું હોય તો એકક્કો (એક બળદી ગાડું); ગાડું કે ઉંટને ઉપગ લોકો કરતાં. ઝડપી મુસાફરી માટે ઉંટ અનુકૂળ હોવાથી શ્રીનેમચંદભાઈએ ઊંટવાળા જેડે ઊંટનું નક્કી કર્યું. અંધારાનું શ્યામ ઓઢણું એાઢીને નિશાદેવી પૃથ્વી પર પિતાને પ્રભાવ પાથરી રહ્યા હતા. દેરાસરમાં આરતીના સુમધુર ઘંટારવ થઈ રહ્યા હતા. એવે ટાણે આપણું ચરિત્રનાયકશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy