SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યાવસ્થા અને અભ્યાસ ભૂત-ભવિષ્ય જાણું છું. જેને જે પૂછવું હોય તે પૂછે, હું કહી દઈશ. લેકમાં વાત ફેલાઈ પછી તો પૂછવું જ શું? એને ત્યાં લેકના ટોળેટેળાં આવવા લાગ્યા ને લાઈન લાગી ગઈ. ભેળા ને આસ્થાળુ લોકે એને “માતાજી–માતાજી કહીને વિવિધ વસ્તુઓ ધરે ને પિતાનું ભવિષ્ય જાણવા માટે પ્રશ્ન પૂછે. અને પૂરીબાઈ એમને અગડંબગડે સમજાવે - હવે આ બાજુ શ્રી નેમચંદભાઈ કાંઈ કાર્ય પ્રસંગે મામાના ઘરે આવી ચડ્યા. જોયું તે લોકોનું ટોળું જામેલું અને પૂરીબાઈ તેમની સામે અલકમલકની હાંકતા હતા. બુદ્ધિમાન નેમચંદભાઈ ડીવારમાં જ સમજી ગયા કે આ બધું ધતીંગ છે. કંઈક વિચાર કરીને એમણે પૂરીબાઈને કહ્યું –“પૂરીબાઈ ! આ ભૂત ને ભવિષ્યના ધતીંગ પછી કરજે, પહેલાં હું પૂછું એને જવાબ આપો.” - “તમારે જે પૂછવું હોય તે પૂછોને, હું જવાબ આપીશ.” પૂરીબાઈએ તાનમાં ને તાનમાં કહ્યું. તે સાંભળે ! મારે આ ભૂત-ભવિષ્યની વાત નથી પૂછવી, મારે તો પૂછવી છે વર્તમાનકાળની વાત. બોલો ! પૂછું ? સાચા જવાબ આપશો ?” અને આ સાંભળતા જ પૂરીબાઈ મેંગેને ફેકું થઈ ગયાં. એમનું પિગળ ખુલ્લું પડી ગયું. લોકો પણ આવડા નાના છેકરાની આવી હિંમત ને નીડરતા જોઈને દિંગ થઈ ગયા, અને તેને ધન્યવાદ આપવા લાગ્યા. આવી વાસ્તવિક નિભીકતા અને કેાઈ પણ જૂઠા માણસને પરાસ્ત કરવાની તેમની શકિતને લીધે લોકે તેમની પાસે અસત્ય વાત કરતાં કે જૂઠું બેલતાં ડરતા. નાની વયમાં પણ તેમની બુદ્ધિમત્તા અને ચતુરાઈ પ્રૌઢ અનુભવીનેય શરમાવે એવી હતી. તેમને રાજદ્વારી આંટીઘૂંટીની વાતો સાંભળવા-જાણવાને શેખ હતે. શ્રી લક્ષ્મીચંદભાઈને રૂપશંકરભાઈ નામે એક સરકારી અધિકારી મિત્ર હતા. જાતે નાગરબ્રાહ્મણ. તેમની સાથે શ્રી લક્ષ્મીચંદભાઈને ઘર જે સંબંધ હતા. તેમના ધર્મપત્ની શ્રી મંગળાબેનને આપણું ચરિત્રનાયકશ્રી ઉપર ખૂબ પ્રેમ હતો. તેઓ તેમને પિતાના પુત્રની જેમ સાચવતા હતા. રૂપશંકરભાઈ અવારનવાર લક્ષ્મીચંદભાઈના ઘરે આવતા, અને એ બંને મિત્રે અનેક રાજદ્વારી વાતો ચર્ચતા. શ્રી નેમચંદભાઈ આ બધી વાતે રસપૂર્વક સાંભળતા. આવી વાત સાંભળવાથી નાનપણમાં જ તેમની બુદ્ધિ રાજદ્વારી રૂપે ઘડાઈ. અને તે ભવિષ્યમાં તેમને અનેક પ્રસંગે ઉપયેગી થઈ પડી. નિશાળને ખપપૂરતો અભ્યાસ પૂરો થયા પછી, તેમની તથા શ્રી લક્ષ્મીચંદભાઈની પણ ઇચ્છા ખરી કે-સંસ્કૃત ભાષા અને ધાર્મિક એ બેમાં પણ પ્રવીણતા મેળવવી. પણ પિતાજીની સૂચનાથી તત્કાલ પૂરતું તે તેમણે કઈ ધંધાની-વ્યાપારની તાલીમ લેવાને વિચાર કર્યો. અને ધંધાને કયાં તોટો હતો ? તેઓ ગયા બજારમાં ને તપાસ કરવા લાગ્યા કે કર્યો ધંધે આપણને અનુકૂળ છે ? તપાસ કરતાં કરતાં તેઓ સટ્ટાબજારમાં જઈ ચડયા. ત્યાં સટ્ટાને સાહસભર્યો વ્યાપાર ચાલતો જોયે, ને તેમને રૂચી ગયે. પિતાજીને વાત જણાવી. પિતાજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy