SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રયાણ: ૩૧૫ ત્યારે-પૂજ્યશ્રીના પટ્ટશિષ્યો-શ્રી ઉદયસૂરિ મ., શ્રી નંદનસૂરિ મ, અને શ્રી અમૃતસૂરિમની ધર્મદેશનાને ગંભીર-કર્ણપ્રિય નિર્દોષ પણ માનવ-સમુદ્ર-શા ઉપાશ્રયને ગજવવા લાગે. ભાવિકની હદય-ભૂમિ એ વચનામૃતની વર્ષોથી કૂણું બની. ભાવિકેના હૈયામાં અને ધરતીમાં અંકુરા ફુટવા લાગ્યાં,-ધર્મના અને ધાન્યના. સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન બન્યાં. ભાવિકે તપ-ત્યાગમાં ઓતપ્રેત થયાં. આરાધનાની અનરાધાર હેલી વરસી રહી. પર્યુષણ આવ્યાં. જાણે બાળકને મન દેશાવર ગયેલાં દાદા આવ્યાં. સંસારના સઘળાં સાવદ્ય ગેને છાંડીને આરાધકોએ પર્વારાધન આદર્યું. તપ-જપપ્રતિકમણ–પૌષધ અને પૂજામાં આખો ય સંઘ જોડાઈ ગયા. એક નાનું બાળક પણ આ આરાધનથી વંચિત ન રહ્યું. એક તે મહાપર્વ, તેમાં વળી પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં એની આરાધના, આ બેવડો લાભ લેવાનું કોણ ચૂકે? એક પછી એક દિવસ વીતતાં ચાલ્યાં. ચે-કલ્પધરને દિવસ (શ્રા. વ. ))) આવ્યો. આજે એક નવીનતા જોવા મળી. મધ્યાહૂનકાળ પૂરો થયેલ. સૂર્યનારાયણ પશ્ચિમ તરફ ઢળવાની તૈયારી કરતાં હતાં. તે વખતે એકાએક એમની આસપાસ એક પરિવેશ (માંડલું–કુંડાળું) રચાઈ ગયે. ભૂખરા રંગને એ પરિવેશ હતે. થોડી જ વારમાં ઢળતાં ઢળતાં સૂર્યનારાયણ પૂજ્યશ્રીના રૂમમાં જ્યાં તેઓશ્રી પાટ પર બેઠાં હતાં, ત્યાંથી સાફ દેખાય તે રીતે-સામે આવ્યાં. અને સમયની સાથે તેઓ આગળ પણ વધી ગયાં. તિષશાસ્ત્ર કહે છે-“આ સૂર્ય પરિવેશ કાં તે દેશમાં દુકાળ સજે, અને કાં તે દુનિયાને કઈ મહાન પુરુષને વિયેગ કરાવે.” આકાશે કુંડું ને મલકનું ભૂંડું.' ઘણાંએ આ મડલ નિહાળ્યું, અને જોયું ન જોયું કરીને સૌ પર્વારાધનમાં પરોવાઈ ગયાં. બીજા ત્રણ દહાડા વીત્યાં. છેલ્લે કલશ સ્વરૂ૫ દિવસ આવ્ય-સંવત્સરીને. આખો દિવસ ચૈત્યપરિપાટી, ક૯૫શ્રવણું વગેરે આરાધનામાં વ્યતીત થશે. સાંજે પ્રતિક્રમણની વેળા થઈ. આ સંઘ પ્રતિક્રમણ કરવા બેસે, એટલી જગ્યા જ્ઞાનશાળામાં કે ઉપાશ્રયમાં ન હતી. તેથી ગામ બહાર આવેલા વંડાની ઉપરની વિશાળ ઓસરીમાં સકલ સંઘ સંવત્સરી પ્રતિક્રમણ કરતો. એ વંડામાં નીચે મધ્યમાં એક મોટું વડનું ઝાડ હતું. અનેક શાખા-પ્રશાખાઓને કારણે ખાસ્સા ઘેરાવાવાળું એ ઝાડ હતું. નિયત સમય પૂર્વે સેંકડે ભાઈ ઓ અહીં આવી ગયેલાં, અને આ ઝાડ તળે એકત્ર થઈને બેઠેલાં. પૂ. આચાર્ય ભગવંત શ્રી ઉદયસૂરિ મ. આદિ મુનિભગવંતે પધારી જતાં, અને પ્રતિક્રમણને સમય થતાં સૌ ઉપર જઈને ઓસરીમાં યથાસ્થાને ગોઠવાઈ ગયાં. એક પણ વ્યક્તિ હવે બાકી નથી, એમ ખાત્રી થતાં સામાયિકની ક્રિયા પ્રારંભાઈ એ જ વખતે એક ભયાનક કડાકો થયો. એથી ચમકી ઉઠેલા ગૃહસ્થાએ બહાર જઈને જોયું તે-પેલાં ઝાડની સૌથી ૧. શ્રી લાવણ્યસૂરિજી મ. અત્યાર સુધી સાથે જ હતાં. પણ જામનગરના સંધની અતિ આગ્રહભરી વિનંતિ થતાં પિતાની અનિચ્છા છતાં પૂજ્યશ્રીની આજ્ઞાથી તેઓ જામનગર ચોમાસા માટે ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy