SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શાસનસમ્રાફ્ટ - પૂજ્યશ્રીના મંગળ જન્મસ્થાન ઉપર ચાર મજલાન દેવગુરૂપ્રાસાદ બંધાઈ રહ્યો હતે. તેની બાજુમાં બીજો એક પ્રાસાદ બંધાવવાનું આ રોમાસામાં નક્કી થયું. બન્યું એવું કે કદંબગિરિજી માટે નાની મોટી પ્રતિમાઓના ઓર્ડર ક્યપુર અપાયેલા જ હતાં. એ બોર્ડર એવી રીતે અપાયેલાં કે-કારીગર જેટલી મૂર્તિ બનાવે, એ સર્વ મૂર્તિએ પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાં લાવીને દેખાડે. જે પૂજ્યશ્રીને પસંદ પડે, તે એ મૂતિ કદંબગિરિની પેઢી ખરીદી લેતી. અન્યથા નહિ. આ નિયમાનુસાર આ વર્ષે ૯૧ ઈંચની શ્યામલવણ અને કસોટી જેવા પાષાણુમાંથી નિર્મિત શ્રી આદીશ્વરપ્રભુની એવી જ શ્યામ મૂર્તિ તથા બીજી પણ નાની-મોટી સુંદર મૂર્તિ ઓ લઈને કારીગર મહુવા આવ્યા. એટલી આલ્હાદદાયક એ મૂર્તિ એ હતી કે આ સંઘ એના દર્શનથી આનંદમગ્ન બની ગયે. ભાવિક ગૃહસ્થ તે એની સન્મુખ ભક્તિ ભાવના કરવા લાગી ગયા. મૂર્તિઓની વાત જેમ જેમ ગામમાં ફેલાતી ગઈ, તેમ-તેમ કે ટેળે મળીને દર્શન કરવા આવવા લાગ્યા. એક-બે દિવસમાં તે આખું ગામ એના દર્શન કરી ગયું. મુસલમાને પણ બાકી ન રહ્યા. જૈન જૈનેતર સો કહે આ ભગવાનને અહીંયા જ રાખે. જ્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે આ તે કદંબગિરિ માટે આવ્યા છે, અને ત્યાં લઈ જવાના છે, ત્યારે તે લોકેએ જાણે હઠ પકડી કેઃ અમે આ ભગવાનને અહીંથી કયાંય નહિ લઈ જવા દઈ એ. માત્ર સંઘ જ નહિ, આખું ગામ આ આગ્રહ કરવા લાગ્યું. આવો આગ્રહ જોઈને પૂજ્યશ્રીએ સૌને સમજાવ્યા કેઃ આવા મેટા ભગવાન પધરાવ. વાનું અહીં સ્થાન કયાં છે ? અને એ વિના આ ભગવાનને અહીં રાખવાથી શું ફાયદો ? આ સાંભળતાં જ આ સંઘ બોલી ઊઠ્યો : સાહેબ ! અમે અહીંયા બીનું દેરાસર બંધાવીને એમાં આ પ્રભુજી પધરાવીશું. પણ અહીંથી લઈ જવા નહિ દઈએ. નગરશેઠ શ્રીહરિલાલભાઈએ પણ એ જ આગ્રહ કર્યો. સૌ કોઈને આ ભાવલાસ જોઈને પૂજ્યશ્રીએ એ મૂર્તિઓ ત્યાં રાખવાને આદેશ આપ્યું. આથી આખા ગામમાં હર્ષનું ભેજું પ્રસરી ગયું. એ ખુશાલીમાં શ્રીસંઘે અઠ્ઠાઈ મહોત્સવ અને સંઘજમણ કર્યા. હવે એ પ્રભુજી માટે નૂતન જિનાલય “ઋષભશાન્તિવિહારને પ્લાન ઘડાયે. અને ધીમેધીમે તેનું બાંધકામ આરંભાયું. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સ્વ. મુનિશ્રી સુભદ્રવિજયજી મ. (ગોકળદાસ અમથાશા)ના સંસારી લઘુબંધુ શ્રી ત્રિકમલાલ અમથાશાહ અમદાવાદના પ્રખ્યાત હેમિયોપેથીક ડોકટર હતા. ડોકટરીને અમુક અભ્યાસ ભારતમાં કરીને વધુ અભ્યાસ માટે તેઓ ન્યૂ યોર્ક (અમેરિકા) ગયેલા. ત્યાં વિશિષ્ટ અભ્યાસ દ્વારા એમ. ડી. ની ડીગ્રી મેળવેલી. વિદેશમાં જઈને ડોકટરી લાઈનની આવી ઉચ્ચ ડીગ્રી મેળવનારા જૈનોમાં કદાચ તેઓ સર્વપ્રથમ હતા. તેમણે બે વાર યુરોપને પ્રવાસ કરેલે. અમદાવાદમાં તેમની ધીકતી પ્રેકટીસ ચાલતી હતી. શેઠ જમનાભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy