SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ કર્માશાહ હતા. એકાએક આચાય શ્રીની દૃષ્ટિ કર્માશાના તેજસ્વી લલાટ પર સ્થિર થઈ. થાડીવાર માટે તેઓ કેાઈ ગહન વિચારમાં ખાવાઈ ગયા. જ્યારે તેએ વિચાર-વમળમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમણે તોલાશાહ સાથે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તેઓ સઘ સાથે યાત્રાથે આગળ વિહાર કરી ગયા. ૨૩૦ અહી' કાળક્રમે તાલાશાહ સ્વર્ગ ગામી અન્યા. પછી તેમના યુવાન અને શ્રીમાન્ પુત્ર કર્માશાહને મંત્રીપદ મળ્યું. તે પણ પિતા જેવી જ કુનેહથી કારભાર ચલાવતા હતા. એકવાર-અમદાવાદના સુલતાન મુઝફ્ફરશાહના નાના શાહજાદો બહાદુરશાહ કાઈ કારણે પિતાની સાથે લડીને–ભાગીને ચિત્તોડ આગ્યે. સુલતાનનું ફરમાન હતું કે તેને કોઈએ આશ્રય ન આપવા,’ પણ એ ફરમાનને ગણકાર્યા વિના કર્માંશાહે શાહજાદાને આદર સહિત આશ્રય આપ્યા. એને જોઈતી રકમની સહાય કરી. પછી પ્રેમથી સમજાવીને એના પિતા સાથે સમાધાન કરાવ્યું. હવે જ્યારે એ શાહજાદો અમદાવાદના સુલતાન થયા, ત્યારે તેણે પોતાના પરમ ઉપકારી મિત્ર મંત્રી કર્માશાને યાદ કરીને મેલાવ્યા. અને કહ્યું; તમારે જે જાગી–સ ́પત્તિની જરૂર હાય તે માગા, હું આપીશ. કોશાહ વણિક હતા. તેમને ધનસપત્તિની કાંઈ જરૂર ન હતી. એ તે તેમને ત્યાં વાપરી ન ખૂટે એટલી હતી. તેમને પૂ. આ. શ્રીધર્મરત્નસૂરિજી મ. નુ` વચન યાદ આવ્યું. તેમણે વિચાયુ`` કે—સુલતાન જેવા સુલતાન રીઝયેા છે, તેા આપણા મહાતી` શ્રી સિદ્ધાચલજીના ઉદ્ધારની તથા દેશના જૈન ધમ સ્થાનાના સંરક્ષણની અનુજ્ઞા જ શા માટે ન મેળવવી ? તરત જ તેમણે પેાતાની એ માંગણી શાહ પાસે રજૂ કરી, શાહ તેમના પર ઘણા પ્રસન્ન હતા. તેણે એ મને માંગણીઓ મજબૂર કરી. અને તત્કાળ સૌરાષ્ટ્રના સૂખા ઉપર શાહી ફરમાન લખી મેાકલ્યું કે-કર્માંશાહને તીર્થોદ્ધાર માટે સવ સવલત આપો.” શાહી ફરમાનથી અતીવ આનંદ પામેલા કર્માશાહ ત્યાંથી સીધા ખંભાત ગયા. ત્યાં ખિરાજતા પૂ. આ. શ્રી વિનયમંડલ સૂરિજીને તમામ મીનાથી વાકેફ કર્યાં. અને તીર્થાંદ્ધારપ્રારંભના મુહૂત તથા વિધિ અંગે પૃચ્છા કરી. આચાય શ્રીએ પણ શુભમુહૂત આપવા સાથે કરણીય વિધિ સમજાવ્યેા. એ જાણી લઇને કર્માશાહે કુશળ શિલ્પીઓને નિર્માંત્ર્યા. અને એ શિલ્પીએ શાસ્ત્રાનુસાર કાર્ય કરે તે માટે, તથા ચગ્ય વિધિવિધાન માટે તેઓ જ્યાતિષ, શિલ્પાદિ શાસ્ત્રામાં પારંગત શ્રીવિવેકષીરગણિ, તથા શ્રીવિવેકમંડન પાઠકને વિનતિપૂર્વક પાલિતાણા લઇ ગયા. ગિરિરાજ ઉપર તે મુનિવરોની દેખરેખ તથા સૂચનાનુસાર દાદાના જિનાલયના જીર્ણોŕદ્વાર શરૂ કર્યાં. શ્રીપુંડરીકસ્વામીનું જિનાલય બંધાવ્યું. દાદા આદિનાથ પ્રભુની નૂતન ભવ્ય પ્રતિમા કુશળ કારીગર પાસે શાસ્ત્રોક્ત પ્રમાણયુક્ત બનાવરાવી. જીર્ણોદ્ધાર પૂરો થવા આવ્યા, ત્યારે તેઓએ વિભિન્ન સ્થળાએ ખિરાજતાં વિવિધગચ્છીય આચાર્યાદિ મુનિવરોને વિનતિ કરીને નિમ ંત્ર્યા. અનેક આચાર્યં ભગવ તાના સાંનિધ્યમાં એ મહાપ્રાસાદમાં પ્રભુની અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહામહાત્સવ તેમના તરફથી ઉજવાયેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy