SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાના પ્રથમ પગથિયે ૨૨૩ કથન મુજબ ફત્તેહ થાય જ. આમ વિચારી પૂજ્યશ્રીની આજ્ઞા લઈને અન્ને ચેક' આવ્યા. વકીલનું તે। ગામ હતું અને પાછાં તે થાણામાં વકીલાત પણ કરતાં. એટલે પૂર્વભૂમિકા નિષ્કંટક જ હતી. તે થાણુદારને મળ્યાં, બધી વાત જણાવીને આમાં સહાય કરવા વિન ંતિ કરી. થાણદાર પણ હતાં ધસી જીવ. જાતે બ્રાહ્મણ હતા. સાથે બુદ્ધિશાળી પણ. નામ હતું નરભેરામભાઈ, ધર્મના કામમાં સહકાર આપવાનુ' એમને ગમતુ'. વળી પૂજ્યશ્રીના પણ તેઓ પરિચિત હતા. એટલે તેમણે આ કાર્યોંમાં પૂર્ણ સહકાર આપવાની હા કહી. તેમણે-કહ્યું : તમે અને સુખીને મળે. તને બધી વાતથી વાકેફ કરીને મારી પાસે લાવા વકીલ અને કામદાર મુખી પાસે ગયા. મુખી એટલે પાલીસ પટેલ. ગામ આખામાં એની સત્તા. અને એના ઉપર એક થાણુદાર સાહેબ સિવાય બીજા કાઈની સત્તા નહિ. આવા એક સુખી હતા. જાદવજી મુખી એમનુ નામ. એમને અધી વાત અને જણાએ ક્હી. મુખી એ સાંભળીને થાણુદાર પાસે આવ્યા. થાળુદારે કહ્યુ કે : મુખી ! આ લેકા પાસેથી તમે બધી વાત જાણી. હવે એમને એ જમીન અપાવવી છે. અને આવતી કાલે જ એ માટે ત્યાં (બેદાનાનેસ) જવું છે. તા ત્યાં કઈ રીતે જવું ? અને એ જમીન કેવી રીતે મેળવવી ? એની પૂર્વભૂમિકા તમે નક્કી કરો. મુખીએ વિચાર કરીને કહ્યું : જીએ ! આપણે વે'લ જોડીને જવુ. ૧૫ માણસનુ. સીધુ . (રસાઈના સામાન) સાથે લેવું. એક રસાઈ એ બ્રાહ્મણ પણ લઈ લેવા. ત્યાં જે દરબાર આપણા વધારે વિરોધી છે, એની ડેલીએ આપણી વેલ છેાડવી. ખીજા' કાઈ ને ત્યાં નહિ. ત્યાં જઈને આપણે આપણાં તરફથી લાડવાનું જમણ કરવાનું. એના ઘરના સને નેતરૂ દઈ ને જમાડવાના બસ ! ખાકીનું બધુ હું સંભાળી લઈશ.’ બધાંને આ વાત રૂચી ગઈ, વકીલ-કામદારે બધી વસ્તુએ મંગાવી લીધી. બીજા દિવસે સાંજે વે’લ જોડીને તેમાં બધી વસ્તુઓ ભરી. થાણુદાર-મુખી-કામદાર તથા વકીલ વેલમાં બેસીને ચાકથી ખેાદાનાનેસ જવા રવાના થયા. રાત પડવા આવી ત્યાં પહેાંચી ગયા. અને નક્કી કર્યા મુજબ પેલા માથાભારે દરબારની ડેલીએ વેલ છેાડી. રસ્તામાં આપાભાઈની ડેલી આવી, ત્યાં આપાભાઇને કહેતાં આવ્યા કે-આજ તે અમે અમુક દરખારની મે'માનગતિ માણીશું. પેલા દરબારને ખખર પડી કે–ચાકના થાણુદાર સા’અપેાતાના ઘરે પધારી રહ્યા છે, એટલે એ તે દોડતા બહાર આવ્યા. સાહેબની આગતા-સ્વાગતા કરવા લાગ્યા. રાત પડી ગઈ હતી. એટલે વાળુ પાણી (ભેાજન) તેા કયારના પતી ગયેલા. પણ તાજું દોહેલ શેડક દૂધ લાવીને એણે બધાંને પીવડાવ્યું, પછી સૌ સૂઈ ગયા. બીજા દિવસે સવારે તક સાધીને જાદવજી મુખી પેલાં દરબારને એક માજી લઇ ગયા, અને કહ્યું : “દરખાર ! આજ તા તમારાં ભાગ્ય ઉઘડી ગયાં સમજો. થાણુદાર સાહેબ પોતે તમારા ઘરે વગર નાતરે પધાર્યાં. બીજા નાતરાં દઈ દઈને થાકી જાય ત્યારે માંડ સાહેમના દન મળે, ને આજે તેા તમારા ઘરે જ એ આવ્યા છે. માટે તમારા તા જનમારા સફળ થઈ ગયા સમજજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy