SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ C000 080080080080080000000000000000000000000000300300e દીક્ષાના કાયદા તથા દેવદ્રવ્યના પ્રશ્ને સમાજનું વાતાવરણ ડાળાયું હતું. તેનું દુઃખ આચાર્ય મહારાજને તથા સંઘના આગેવાનાને હતું. આ માટે તેમને મુનિસ’મેલનની જરૂરિયાત લાગી. શ્રીનગરશેઠ કસ્તુરભાઇ મણિભાઈ તથા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ શાસનના મુખ્ય મુખ્ય આચાર્યને તથા તમામ ગચ્છના નાયકાને મળ્યાં. જેને પરિણામે અમદાવાદમાં ૪૦૦ સાધુ અને ૭૦૦ સાધ્વીજી મહારાજને એકઠાં થયાં. જૈનશાસનના સર્વ અંગેાના વિચાર કરવા માટેનું મુનિસ ંમેલન શાસન માટે આ સૈકાના અભૂતપૂર્વ પ્રસગ હતો, એ ૩૩ દિવસ ચાલ્યું, અનેક પ્રકારે શાસ્ત્રીય વિચારણા થઈ અને સંસંમત નિણૅય લાવી આ મુનિસ મેલને શ્રમણ સંસ્થાની પ્રતિષ્ઠા ખૂબ વધારી. આ બધાં કાર્યામાં નગરશેઠને અને અમદાવાદના સંઘને પૂ. આચાર્ય મહારાજની દેારવણી રહેલી. તેમજ તે વખતે પ્રારભમાં દહેગામ ગ્રુપ વગેરે પડેલાં ગ્રુપાને એકમત કરવાનું કામ પૂજ્યશ્રીએ ખૂબ જ કુનેહપૂર્વક બજાવી સ ંમેલનને પાર પાડયું હતું. તીની ભક્તિવાળાં શ્રાવકોદ્વારા નાના મેટાં સંઘે। તો ઘણાં નીકળે છે. પણ જેમાં તેર તેર હજાર માણસા, તેરસે ગાડાં વિ. વાહને, અને સંઘનેા જ્યાં પડાવ હોય ત્યાં મેટું નગર વસ્યું હોય તેવાં – શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ અને શેઠ પાપટલાલ ધારશીભાઈ જેવાના સંઘ તો કવચિત્ જ નીકળ્યાં છે, કે જે સંઘાના રજવાડાંઓએ ઉમળકાભેર સ્વાગત કર્યાં છે, અને જે સંઘના દન જૈનેતર પ્રજાએ જૈનશાસનની પ્રશંસા કરી છે. છ‘રી’ પાળતાં અનેક સદ્યા પૂજ્ય આચાર્ય દેવના સાન્નિધ્યમાં નીકળ્યાં છે. નાના મેટા તપના ઉજમણાં તો અનેક સ્થળે શ્રાવકો દ્વારા થતાં હોય છે, પણ જે ઉજમણાં ખરેખર શાસનની પ્રભાવનાને કરનારાં હોય, અને જેના દર્શન માટે ગામેગામથી લોકો ઉમટે તેવાં-શેઠ જમનાભાઈ ભગુભાઇ, શેઠ મનસુખભાઇ, શેઠ નગીનદાસ કરમચ ંદ, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ અને શેડ મૂલચંદ બુલાખીદાસે કરેલાં તો કવચિત્ જ થાય છે. આવાં શાસનપ્રભાવક ઉદ્યાપનેાદ્વારા શાસનની અનેકવિધ પ્રભાવના પ. પૂ. આચાર્ય મહારાજના વરદહસ્તે થઇ છે. દુષ્કાળરાહત, જીવદયા, ધર્મશાળા, પાઠશાળા, આંખિલશાળા, જ્ઞાનપ્રકાશન સંસ્થાએ વ. અગણિત ઉત્તમ કાર્ચ એમના હસ્તે આ કાળમાં થયાં છે. weddedicated and did= ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy