SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સીમલા-કરાર ૨૧૧ વ્યવસ્થિત રીતે વિભાગ પાડીને પ્રલયગ્રત વિસ્તારના ગામમાં લેકેને સહાય કરવા માટે માણસે રવાના કરવામાં આવ્યા. અનાજ, કપડાં આદિ જીવન જરૂરિયાતની વિવિધ સામગ્રીઓ એકત્રિત રૂપિયા દ્વારા અગણ્ય લેકેને પૂરી પાડવામાં આવી. શ્રી જૈન તત્ત્વ વિવેચક સભાના સભ્યએ માનવરાહતના આ પ્રસંગે અપૂર્વ ઉમંગથી ભાગ લીધો. પૂજ્યશ્રીની પ્રેરણ–દેરવણ આ સર્વેમાં અગ્રેસર હતી. આ રકમમાંથી અમુક રૂપિયા બચ્યા. તે રૂપિયાને જેન સહાયક ફંડમાં ફેરવીને તેને ઉપગ દુઃખી જેનોને મદદ આપવામાં કરવાને નિર્ણય લેવાયો. આ માટે એક ખાસ કમિટિ નીમાઈ. અને એ કમિટિ દ્વારા આ બચેલી રકમમાંથી વર્ષો પર્યત અનેક સાધર્મિક ભાઈઓને જરૂરી સહાય કરવામાં આવી. આમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણું જ મુખ્ય કારણ હતી. આ બધાની સાથે-સાથે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે “આખા અમદાવાદમાં એક પણ જૈન ભજનશાળા નથી. તેથી બહારગામથી આવનાર શ્રાવકે અને અમદાવાદમાં વસતા નેકરિયાત જૈન ભાઈઓને ધર્મની આરાધના કરવામાં અનુકૂળ એવી એક જૈન ભેજનશાળા સ્થાપવી જોઈએ.” દીર્ઘદ્રષ્ટા પુરૂષનાં વિચાર કેવા દુરદશી હોય છે, તે આ ઉપરથી સમજાય છે. પિતાને આ વિચાર પૂજ્યશ્રીએ ઉપદેશરૂપે શ્રાવકવ સમક્ષ પ્રગટ કર્યો. તરત જ શ્રાવકેએ એને અમલ શરૂ કર્યો. સહાયક ફંડમાંથી રૂ. પાંચ હજાર ભેજનશાળા માટે અલગ મૂક્યા. એના વહીવટ માટે અલગ કમિટિ પણ રચી. હવે પ્રશ્ન હતે સ્થાનને. ભેજનશાળા ચલાવવી કઈ જગ્યાએ? પણ એનું ય નિવારણ થઈ ગયું. પાંજરાપોળમાં આવેલી પિતાની વિશાળ જગ્યામાં અમુક ભાગ (પ્લેટ) શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ એ નજીવું ભાડું ઠરાવીને જોજનશાળા માટે સુપ્રત કર્યો. એ જગ્યામાં કામચલાઉ મકાન ઊભું કરીને તેમાં ભોજનશાળા ચાલુ કરવામાં આવી. સાધર્મિક ભાઈઓની સગવડ અને મદદ માટે જ આ ભેજનશાળા સ્થપાઈ હોવાથી તેમાં જમવાને ચાજ તદન અલ્પ રખાય. આ ભેજનશાળા આજે પણ એ જ પ્રમાણે સમયાનુરૂપ સ્વલ્પ ચાજથી ચાલુ જ છે. અને એને લાભ સેંકડે જેન ભાઈઓ કાયમ લે છે. આ પ્રમાણે પૂજ્યશ્રીની શુભ પ્રેરણા અને ઉપદેશથી અમદાવાદમાં એક ચિરસ્થાયી અને યશસ્વી કાર્ય થયું. હવે ચોમાસું પૂરું થવાની તૈયારી હતી. ઘાંચીની પિળવાળા શા. નગીનદાસ બહેચરદાસના કુટુંબીઓ (શેઠ કસ્તુરચંદ સાંકળચંદની પેઢીવાળા)એ વિનંતિ કરતાં ચાતુર્માસ પરિવર્તન તેમને ત્યાં કર્યું. આ નિમિત્તે તેઓએ અઠ્ઠાઈ મહોત્સવ અને શ્રીસંધની નવકારશી વગેરે શુભકાર્યો કર્યા. ઢાળની પિળના દેરાસરને જીર્ણોદ્ધાર કેટલાંક વર્ષોથી ચાલુ હતા. તે હવે પૂરે થયે હોવાથી તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંના સંઘને આગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને શુભમુહૂર્ત મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે શેઠ કાળીદાસ પેળીદાસે શ્રી સંઘની નવકારશી કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy