SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શાસનસમ્રાફ્ટ ભૂષણ છે. જે ભાવિક આવી–સમકિતના ભૂષણસમી તીર્થયાત્રાને છે “રી પાળતો સંઘ કાઢે, તે “સંઘવી-સંઘપતિ પદને ભક્તા બને. આ પદ ચક્રવતીની કે ઈન્દ્રની પદવી કરતાં અનેક ગણું ઉચતમ છે. અને આ પદને નિર્મળ–ભાવે ધારણ કરનાર આત્મા સમ્યક્ત્વની શુદ્ધિ મેળવવા સાથે તીર્થંકરનામકર્મ પણ બાંધવાને સમર્થ થાય છે. માટે તમારી ભાવના હોય તે શ્રી સિદ્ધાચળજી આદિ તીર્થયાત્રાને સંઘ કાઢવાને વિચાર કરો.” ક પુણ્યશાળી જીવ આ અમૃત વચનેને શિરોધાર્ય ન કરે ? ઉપર્યુકત બંને ગૃહસ્થાએ તત્કાલ હર્ષ પુલક્તિ હૈયે આ વચનને મસ્તકે ચડાવ્યા, અને સંઘ કાઢવાને નિર્ધાર કર્યો, તત્કાલ સંઘની તૈયારીઓ આદરી દીધી. એટલું જ નહિ, પણ પૂજ્યશ્રીને પણ સંઘમાં પધારવાની આગ્રહભરી વિનંતિ કરી. તેમની ઉત્કટ-શુભભાવના જેઈને પૂજ્યશ્રીએ એને સ્વીકાર કર્યો, અને એક શુભમુહૂર્ત તેઓશ્રીની પાવન નિશ્રામાં છરી પાળતો સંઘ શ્રીસિદ્ધાચલજી તીર્થ તરફ જવા વિદાય થયે. માર્ગમાં જીરાવાલાજી તીથે ૩ દિવસ સ્થિરતા કરીને દવજ-દંડારોપણ મહોત્સવ ઉજવ્યો. ત્યાંથી અનુક્રમે આબૂ-અચળગઢની યાત્રા કરીને શ્રીસંઘ કુંભારિયાજી તીર્થો આવ્યો. અહીં ૩ દિવસ સ્થિરતા કરી, અને તે દરમ્યાન-દાંતા મહાજન હસ્તક રહેલ આ તીર્થને વહીવટ શેઠ આ. ક. પેઢીને સંપાવીને, જીણું બનેલા આ તીર્થને ઉદ્ધાર નવેદિત શિલ્પીસેમપુરા શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ પાસે શરૂ કરાવ્યો. પૂજ્યશ્રીને વર્ષોથી કાંઈક અંગત કાર્યસેવા ફરમાવવા માટે વિનવતા જાવાલના શ્રીસંઘે આ વખતે પણ તે માટે વિનંતિ કરેલી. પણ નિઃસ્પૃહ-શેખર પૂજ્યશ્રીએ પિતાના અંગત કાર્યરૂપ તીર્થોદ્ધારમાં યથાશકિત ફાળો આપવાને ઉપદેશ આપ્યો. પરિણામે શ્રી કુંભારિયાજી તીર્થના ઉદ્ધારમાં જાવાલ- સંઘે લગભગ ૭૦ હજાર રૂ. આપ્યા. કુંભારીયાજીથી તારંગા-સિદ્ધપુર–મેત્રાણું વ. તીર્થો અને ગામોની યાત્રા કરતો કરતે સંઘ ચારૂપ તીથે આવ્યા. ચારૂપ તીર્થભૂમિ હતી. અહીં પ્રાચીન અને અલૌકિક પ્રભુજી હતા. પણ દેરાસર નાનું–ઘર દેરાસર જેવું હતું. અહીં એક ભવ્ય દેરાસર બંધાવવું, એવી શ્રીસંઘની ભાવના હતી. પણ એ સફળ નહોતી થતી. અને સફળતા આપવા માટે સંઘ કેઈ મહાપુરુષની રાહમાં હતું. ત્યાં આપણા પૂજ્યશ્રી આ સંઘ સાથે પધાર્યા. શ્રીસંઘે ભેગા થઈને તેઓશ્રીને આ બાબત વિનંતિ કરી. આથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં એ માટે પ્રેરક ઉપદેશ આપ્યો. દિવસે ચમકેલી વીજળી નિષ્ફળ ન જાય એમ પૂજ્યશ્રીના ઉપદેશ વચનો ય અમેઘ જ બની રહેતા. અહીંયા જિનાલય માટે સુંદર રકમ (ટીપ) થઈ ત્યારપછી ત્યાંના વહીવટદારએ ત્યાં શિખરબંધી જિનાલય બંધાવ્યું. ચારૂપથી પાટણ થઈને શ્રીશંખેશ્વર તીર્થે પધાર્યા. ત્યાં ચારેક દિવસ રહીને સંઘે પૂજાપ્રભાવનાદિ કરવાપૂર્વક પ્રભુભકિત કરી. સંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy