SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભરૂધરમાં ધર્મ–ઉદ્યોત ૧૫૧ તેમણે શેઠ આ. ક. પેઢીના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ પાસે જઈને પિતાના ગામની કરુણ બીના તેઓને રડતે હૈયે જણાવી, અને વિનંતિ કરી કે : શેઠ સાહેબ ! આવી વાતને પ્રતીકાર કરવા માટે આપ લોકોનું માર્ગદર્શન તથા મદદ મેળવવા અમે આવ્યા છીએ. પણ ત્યાંથી તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓ પાંજરાપોળ-ઉપાશ્રયે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી પાસે તેમણે પિતાના ગામની દુખપ્રદ વીતકકથા નિવેદન કરી. એ સાંભળીને પૂજ્યશ્રીને ભારે આઘાત થયે. તેઓશ્રીએ એમને આશ્વાસન આપ્યું, અને કહ્યું કે તમે આજે બપોરે અહીં આવજે, સૌ સારા વાનાં થઈ રહેશે. તેઓ પણ આ આશાજનક આશ્વાસન મળવાથી શાન્ત થઈને ગયા. ત્યાર પછી પૂજ્યશ્રીએ શેઠ લાલભાઈ તથા શેઠ મનસુખભાઈ ને બેલાગ્યા, અને તેમને ગઢલના ભાઈઓ આવ્યાની વાત કરીને કહ્યું કે : “એમની વાત આપણે સાંભળવી જોઈએ, અને તેમને સંતોષ થાય એમ કરવું જોઈએ. તમારામાં ગળપણ છે, તો મંકડા આવે છે. તમારામાં આગેવાનીભરી શક્તિ છે, તે લોકો તમારે આશરે શોધતાં આવે છે.” એ વખતે જ પેલાં ગઢબોલ અને ઘાણેરાવવાળા ભાઈઓ આવી પહોંચ્યા. એટલે બંને શ્રેષ્ટિવરાએ આ બાબતમાં શી રીતે કામ કરવું? તે માટે પૂજ્યશ્રી સાથે વિચારણા કરી. પૂજ્યશ્રીએ તત્ત્વવિવેચક સભાના સભ્યોને બોલાવીને આ બધી બીના જણાવી. છેવટે નકકી કર્યું કે અમદાવાદથી વકીલ કેશવલાલ અમથાશા (B.A.L.L.B.)ને આ મારવાડી ગૃહસ્થ સાથે ગઢબલ મોકલવા, અને તેઓ ત્યાં જઈને આ બાબતમાં એગ્ય કરે. પૂજ્યશ્રીએ ગઢબલના ભાઈઓને કહ્યું કેઃ “અહીંથી વકીલ આવે છે, તો તમારે તેમને બરાબર મદદ આપવી પડશે. પછી ત્યાં જઈને આઘાપાછાં થશે તે નહિ ચાલે.” એ ભાઈએએ એ વાત સ્વીકારી. પૂજ્યશ્રીએ વકીલને પણ યોગ્ય સલાહ-સૂચને આપી દીધા. આ પછી વકીલ કેશવલાલભાઈ યુરોપિયન પહેરવેશમાં સજજ થઈને તે ભાઈઓની સાથે ગઢબોલ જવા રવાના થયા. તેમની સાથે પટાદાર તરીકે એક ખડતલ ભૈયાને પણ મોકલવામાં આવ્યું. અહીંથી શેઠ લાલભાઈએ પણ પેઢીની સાદડીમાં આવેલી શાખાના મુનીમશ્રી મણીલાલને જણાવી દીધું કે–વકીલ ત્યાં આવે છે, અને તમારે તેમને જોઈતી સગવડ આપવી. વકીલ સાદડી પહોંચી ગયા. મુનીમ પણ ચાલાક હતા. તેમણે વકીલની જેમ યુરોપિયન ડેસ ધારણ કર્યો. પછી તેઓ બંને ઘોડા પર સવાર થઈ, સાથે બેએક ભૈયાઓને લઈને ગઢબલ ગયા. તેમને આવતા જોઈને ગઢોલના અબુઝ અને બીકણ લેકે (તેરાપંથી તથા મંદિર માગીએ) ડરના માર્યા આઘાપાછા થઈ ગયા. તેમના મનમાં ફફડાટ પેઠે કે આ યુરોપિયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy