SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શાસનસમ્રાટું પૂજ્યશ્રીની સૂચનાનુસાર તે બધા કાગળ વાંચી, વિચારીને પિતાની પ્રકૃતિ પ્રમાણે રાત્રે બે વાગે અપીલ લખવા બેઠા, અને સવારે પાંચ વાગતામાં પૂરી કરી, પૂજ્યશ્રીને સોંપીને સૂઈ ગયા. પૂજ્યશ્રીએ એ અપીલ શેઠને બતાવી. શેઠ તે તાજુબ થઈ ગયા. ગોકળદાસભાઇ શેઠના મામા થતા હતા. તેમની આવી બાહોશ-સેલીસીટરને પણ ટપી જાય તેવી લખાણુશક્તિ જોઈને શેઠ છકક થઈ ગયા. શેઠે અપીલ વાંચીને એક ફકર કાઢી નાખવાનું જણાવતાં ગોકળદાસે કહ્યું કે-એ ફકરો ઘણું જ મહત્ત્વ છે, માટે કાઢી ન નાખશે. એવામાં શેઠ લાલભાઈ આવ્યા. તેઓ આ લખાણ વાંચીને ઘણું જ રાજી થયા. તેમણે આ વિષયમાં પૂજ્યશ્રી જોડે થેડી વિચારણા કરી. છેવટે એ નકકી થયું કે-આ ફકરો ઘણો જ મહત્ત્વને છે, માટે એને કાઢી નાખ નહિ. આવી ઘણી બાબતોમાં ગોકળદાસભાઈ અપીલે તયાર કરતા. એ અપીલના શબ્દોમાં જ એવું એજ રહેતું, કે જેથી પ્રતિવાદી અને મેજીસ્ટ્રેટ પણ મહાત થઈ જતા. પરિણામે પિઢીને વિજય થતો. મહુવામાં કાર્તકી પૂનમે શ્રીસિદ્ધગિરિજીના પટ બાંધવાની યેગ્ય જગ્યા નહોતી. તેથી પૂજ્યશ્રીની સૂચના–અનુસાર ગોકળદાસે ભાવનગરના નામદાર મહારાજા શ્રી ભાવસિંહજી ઉપર શ્રીસંઘ વતી સુંદર ભાષામાં એક અરજી ઘડીને મોકલી. એમાં સ્ટેટ પાસેથી વ્યાજબી કિંમતે ધાર્મિક કાર્ય માટે સનીની વાવવાળી જગ્યાની માંગણી કરવામાં આવેલી. એ અરજી વાંચીને ના. મહારાજા સાહેબ પ્રસન્ન થઈ ગયા. તેઓએ તરત જ મહુવાના અધિકારીને એ જગ્યા સંઘને આપવા માટે હુકમ કરી દીધો. ચોમાસું પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીએ વિહાર કર્યો. ત્રાપજ પધાર્યા, ત્યાંથી તેઓશ્રીના સદુપદેશથી શ્રીધરમશી વારૈયાએ છે “રી' પાળતે શ્રીસિદ્ધગિરિરાજનો સંઘ કાઢયે, તેની સાથે પધાર્યા અને ગિરિરાજની યાત્રા કરી. અહીંયા પૂજ્યશ્રીએ પિતાના વિદ્વાન બાલશિષ્ય મુનિવર શ્રી યશોવિજ્યજી મહારાજને પ્રવર્તક પદવી આપી. ત્યારબાદ પૂજ્યશ્રી ઉડ પ્રદેશના ગામે-ચોક, બોદાના નેસ, વિ. માં વિચારીને ત્યાંના લોકોમાં વ્યાપેલા દારૂ, ચેરી, હિંસા, વિ. પાપ-વ્યસનને ઉપદેશ-દાન દ્વારા ત્યાગ કરાવવા લાગ્યા. [૨૭] તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ શ્રી કદઅગિરિ મહાતીર્થ. જેને મહિમા ગાતાં શાસ્ત્રકારે થાકતાં નથી. જે મહાતીર્થ, શ્રી સિદ્ધાચલજીના પાંચ સજીવન શિખરમાંનું એક શિખર છે. “શ્રી શત્રુંજય માહાસ્યમાં જે મહાતીર્થને મહિમા આ પ્રમાણે વર્ણવ્યા છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy