________________
૮૧
તીર્થ-આશાતનાનું નિવારણ અને પિતાજીને આત્મ-સંતોષ
બીજી તરફ-રાજકેટની એ. જી. જી. ની કેર્ટમાં ચાલી રહેલા કેસમાં આણંદજી કલ્યાણજીની પેઢી જીતી ગઈ, ના. મહારાજા હારી ગયા કેટ તરફથી આશાતના બંધ કરવાને તેમને હુકમ મળે. આ પરાજયથી ના. મહારાજાને ગર્વ ઉતરી ગયો, અને તેમની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી.
આમ-આપણા ચરિત્રનાયકશ્રીની યુકિતઓ સાંગોપાંગ પાર પડી. શાસનદેવને પ્રભાવ તે હતો જ, એમાં પૂજ્યશ્રીનાં આશીર્વાદ અને માર્ગ-દર્શન મળ્યાં. જાણે સેનામાં સુગંધ મળી. પછી ફત્તેહ જ હોય ને !
સકલસંઘના આનંદને કઈ પાર ન રહ્યો. હિન્દુસ્તાનના પ્રત્યેક જેને તે દિવસ પૂર્વદિન તરીકે ઉજળે.
પાલિતાણાથી વિહાર કરી, ચોક-જેસર થઈ ને પૂજ્યશ્રી છાપરીયાળી પધાર્યા. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટવાળી અહીંની પાંજરાપોળની વ્યવસ્થા તેઓશ્રીને બરાબર ન જણાતાં પાલિતાણાથી મુનિમ દુર્લભજીભાઈને બેલાવી, ઉપદેશ આપીને વ્યવસ્થા સુધરાવી.
ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી પિતાની જન્મભૂમિ મહુવામાં પધાર્યા. અહીં તેઓશ્રીના સંસારી અવસ્થાના પિતાજી શ્રી લક્ષ્મીચંદભાઈ વયેવૃદ્ધ થઈ ગયા હતા. તેમને પૂજ્યશ્રીના દર્શન કરી ખૂબ આનંદ થયો. પૂજ્યશ્રીએ ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી, અને વ્યાખ્યાનમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજીનું વાંચન શરૂ કર્યું. લક્ષ્મીચંદભાઈ હંમેશાં આવતા અને વ્યાખ્યાન એકાગ્રચિત્તે સાંભળતા. તેઓ પોતે સારા અભ્યાસી હોવાથી પૂજ્યશ્રીના વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનમાં તેમને ખૂબ રસ પડ. પૂજ્યશ્રીએ દીક્ષા લીધા બાદ તેઓશ્રી પ્રત્યે તેમના મનમાં જે થોડો ઘણે રોષ હતો, તે આવા-વિદ્વત્તાથી ભરપૂર વ્યાખ્યાને સાંભળ્યા બાદ સંતોષપણે પરિણમ્ય.
શ્રી લક્ષમીચંદભાઈને થયેલ આ આત્મ-સંતેષ તેમણે ૧૯૬૪ની સાલમાં પિતાના સ્વર્ગવાસના મહિના પહેલાં પૂજ્યશ્રી ઉપર ખંભાત મુકામે લખેલા પત્ર ઉપરથી જાણી શકાય છે. આ રહ્યો એ પત્રઃ
શ્રી |
સ્વસ્તિશ્રી પાર્શ્વજીને પ્રણમ્ય ખંભાત મહાશુભસ્થાને પંન્યાસજી નેમવિજયજી ગણી, મહુવાથી લી.
લક્ષમીચંદ દેવચંદની વંદના ૧૦૦૮ વાર અવધારશે.
લખવાનું કે જે દિવસે તમોએ ચારિત્ર લીધું તે દિવસે મને દ્વેષ ઘણે ઉત્પન્ન થયે હતો. પણ હવે, તમે સોળ વરસની ઉમરમાં દીક્ષા લીધી અને સંસાર ઉપરથી રાગ ઉડાડ, તેથી મહારૂં અંતઃકરણ એમ કહે છે કે તમે ઘણુ પૂર્વના આચાર્યોના જેવા ગણતરીમાં આવ્યા છે. અને અમારું કુળ સફળ કર્યું છે. વળી મારાથી તમારા પ્રત્યે અપ્રીતિ, અવિનય થયે હોય તે તમને ખમાવું છું.
મને જે અલ્પજ્ઞાનને બંધ થયો છે તે ઉપરથી અનુમાન કરું છું કે પૂર્વના કોઈ પણ ભવમાં શ્રાવક અથવા સાધુપણું મેં અંગીકાર કરેલું હશે, મારાથી માહરા જ્ઞાનને લાભ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org