________________
6ઠ્ઠું
શાસનસમ્રાદ્ધ્
પછી તે શી વાર ? શેઠે સઘની પાસે બન્ને ટંકની નવકારશીના આદેશની માગણી કરી. એટલે સથે તેમને આદેશ આપ્યા. શેઠની ભાવના ફળી. તેમના હર્ષોંના પાર ન રહ્યો.
કેવી હશે એમની ગુરૂદેવ પ્રત્યેની શ્રદ્ધા ? અને કેવી હશે એમની ધર્મભાવના ? આપણે તે એની વાતા જ સાંભળવાની રહી.
કાક વઢ ૭ ના દિવસ આળ્યા. આજે ગણિપદ્મ પ્રદાનની ક્રિયા કરવાની હતી. સમય થતાં જ હજારો ભાવિક–જના મંગળ ક્રિયાને નિહાળવા માટે આવવા લાગ્યા. મંગળ-ગીતે ગવાવા લાગ્યા. વળાના આખાલવૃદ્ધ જૈન-પેાતાના આંગણે આવે મહેાત્સવ ઉજવાય છે, એ માટે ગૌરવ અનુભવતા હતા.
ઉત્તમ ચાઘડીયે પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રીગભીરવિજયજી મહારાજ સાહેબે ચતુર્વિધ શ્રીસ ંઘ સમક્ષ સંપૂર્ણ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક આપણા ચરિત્રનાયક પૂછ્ય મુનિશ્રી નેમવિજયજી મહારાજને સર્વાનુયાગમયી ‘શ્રી ભગવતી' નામક પાંચમા અંગની અનુજ્ઞા સાથે-ગણિપદવી અણુ કરી. અને—
આકાશ—તલ જયનાદોથી ગૂ'જી ઉઠયુ. ઉત્સાહના પૂર ઉમટયા, ઉમંગના આઘ ઉભરાયા, અને આન ંદની ળેા સકલ સઘમાં ઉછળી રહી.
ત્યારપછી માગશર શુદિ ‘૩’ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે ગણિપદની જેમ જ વિશુદ્ધ અને સૌંપૂર્ણુ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક પૂજ્યશ્રીને પન્યાસપઢથી વિભૂષિત કર્યાં. આપણા ચરિત્રનાયક પૂ. મુનિશ્રી નેમવિજયજી મ. હવે પૂજ્ય પંન્યાસશ્રી નેમવિજયજી ગણિવય
અન્યા.
તેઓશ્રીએ જૈન આગમ તથા વ્યાકરણ-ન્યાય આદિ છએ દશનોનું તલ-સ્પશી અવગાહન-અધ્યયન કયુ" હાવાથી તેઓશ્રી પ્રકાંડ પાંડિત્ય ધરાવતા હતા, તે સમયના મુનિ સમુદાયમાં તેએશ્રી પ્રથમ-પંક્તિના બહુશ્રુત-વિદ્વાન પરમગીતા અને ગુણવાન મુનિપ્રવર હતા. તેઓશ્રીતું વ્યાખ્યાન પણ અજોડ હતું. આમ દરેક રીતે તેઓશ્રી ગણિ-પન્યાસ પદવીને માટે ચેાગ્ય જ હતા. તેથી સમસ્ત શ્રીસંઘના દિલમાં લાયકને લાયક માન-પત્ર મળ્યાના અપાર હર્ષ વર્તાઈ રહ્યો હતા.
તે વખતના જૈન સંઘના પ્રતિનિધિ માસિક પત્ર “શ્રી જૈન ધર્મ પ્રકાશ”માં આ પઢવી પ્રસ'ગ અને તેનાથી સકલ સંઘમાં પ્રગટેલા અપાર હુને નીચેના શબ્દોમાં વર્ણવવામાં
આવ્યા હતા :
માગશર સુદ ૩ ના દિવસે શ્રીવળા ગામમાં મુનિશ્રી નેમવિજયજીને પન્યાસપદવી પન્યાસશ્રી ગંભીરવિજયજીએ આપી છે. આ પ્રસંગે દેશપરદેશના શ્રાવકા પણુ સારી સંખ્યામાં હાજર હતા. પ્રસંગાનુસાર અઠ્ઠાઈ મહેાત્સવ, સ્વામીવાત્સલ્ય પણ થયા હતા. મુનિ નેમવિજયજી બહુ વિદ્વાન છે. તેઓએ સંસ્કૃત ભાષા પર સારા કાબૂ મેળવ્યે છે. અને ન્યાયના વિષયમાં પ્રખ્યાત મુનિ દાનવિજયજી પછી તેએ પ્રથમ પંકિત ધરાવે છે. આવા જ્ઞાનવાળા મુનિ પંન્યાસ પઢવીને પૂરી રીતે લાયક છે. પન્યાસ પદ્મવી એ પંડિતની જ પઢવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org