SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દીદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભકત શ્રેષ્ઠવ સૌ સુખપૂર્વક વરતેજ આવી તે ગયા, પણ પ્લેગની હવા અહી પણ આવ્યા વગર ન રહી. પૂ. પંન્યાસજી મ. ના એ શિષ્યા, તથા પૂ. શ્રી મણિવિજયજી મ.ના એક શિષ્ય એમ ત્રણ મુનિએના શરીરે પ્લેગની ગાંઠે દેખા દીધી. તાવ તે સાથે ખરા જ. આ જોઈને પૂ. પંન્યાસજી મ. આદિ ચિંતાતુર બનીને મૂંઝાઈ ગયા. તેઓએ પૂજ્યશ્રીને મેલાવી, પેાતાની મુંઝવણ જણાવીને કહ્યું ઃ આ બિમાર સાધુએની સંભાળ અને સારવાર તમે કરો. તેમને તમારી દેખરેખ હેડળ રાખેા. ઉપાધિથી હંમેશાં ચેતતા રહેવુ... એ બરાબર, પણ ઉપાધિ આવ્યા પછી એનાથી ડરવુ, એ પૂજ્યશ્રીના સ્વભાવમાં ન હતું. તેએશ્રી તરતજ પેલા ત્રણે ગ્લાન મુનિઓને પાતે બિરાજ્યા હતા, તે મકાનમાં લઈ ગયા, અને તેમની કાળજીભરી સારવાર કરવામાં મગ્ન બની ગયા. વરતેજના વતની શ્રીમેરાજ શેઠ, વિ. ગૃહસ્થાને લાવીને ઔષધ આદિના પ્રમધ પણ કરાજ્યેા. અને નિયમિત ઔષધના પ્રભાવે ત્રણે મુનિએ ટુંક પૂજ્યશ્રીની અનવરત કાળજી, સમયમાંજ ફ્લેગ-મુકત બની ગયા. ૭૩ પણ ત્યારપછી પૂજ્યશ્રી પોતે તાવથી ઘેરાયા. એક તે યાગ—આરાધના ચાલતી હતી. તેમાં આ પરિશ્રમ પડયા, એટલે તેઓશ્રીને તાવ આવવા લાગ્યા. એક-એ દિવસ થયા. એટલે પૂ. શ્રીમણિવિજયજી મ. એ અમદાવાદ શેઠ મનસુખભાઈ ને એ સમાચાર જણાવ્યા. મનસુખભાઈ ને આ સમાચાર મળતાં, તે જ ક્ષણે તેમણે ભાવનગરના પેાતાના પરિચિત હાંશિયાર ડૉકટર (Doctor) ઉપર તાર (Telegram) કર્યાં કે-તમે મારા ખર્ચે વરતેજ મહારાજશ્રીની સારવાર માટે જાવ. આ તાર કરીને તેમણે વરતેજ તાર કરવા માંડયા−કે પૂજ્યશ્રીની તખીયતના સમાચાર જણાવેા. તાવ નેમલ (Normal) થયા કે નહિ ? એક દિવસ-રાતમાં ઉપરાઉપરી તેમણે ૮૦ જેટલા તાર પૂજ્યશ્રીની તખીયત માટે કર્યાં. તાર માસ્તર પણુ વિચારમાં પડી ગયા કે આ મહારાજ સાહેબ છે કેણુ, કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર આવે છે ? આ બાજુ-પૂજ્યશ્રીના તાવ જ્યાં સુધી ના લ ન થાય, ત્યાં સુધી શેઠને સમાચાર પ શું આપવા ? પણ શેઠના હૈયામાં પૂજ્યશ્રી પ્રત્યે એટલે અનહદ ભક્તિભાવ હતા કે-જેની કોઈ વાત નહિં. એથી જ તેઓએ એક દ્વિવસ-રાતમાં ૮૦ તાર કર્યાં હતા. શેઠના એકના એક-વહાલસોયા પુત્ર-રત્ન શ્રી માણેકલાલભાઈ (માકુભાઇ) આ દિવસેામાં સખ્ત માંદગી ભેગવતા હતા. તેમની ઉંમર નાની હતી. ડૅા. જમનાદાસ તેમની સતત સારવારમાં રહેતા. તેમની સારવાર (Treatment) થી હવે માણેકલાલભાઈની તબીયત કાંઈક સુધારા ઉપર આવતી હતી. શેઠે એ ડાકટરને કહ્યું કે–તમે આજે જ વરતેજ જાવ. અને પૂજ્ય મહારાજશ્રીની તીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ રાકાજો, શા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy