SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાફ્ટ પિલા બહેરા જોષીને આ વાતની ખબર પડતાં તેમણે પ્રચાર કર્યો કે - જે આ મુહ પ્રતિષ્ઠા થશે – તે મનસુખભાઈ શેઠ પાયમાલ થઈ જશે. વિ. વિ. પણ આપણું ચરિત્રનાયકશ્રી તથા શેઠ મનસુખભાઈ કાર્ય કરવામાં માનતા હતા, બેલવામાં નહિં. તેમણે આ જુઠ્ઠા પ્રચારની પરવા કર્યા વગર મુકરર કરેલા દિવસે અને મુહૂર્ત ભારે ઉલ્લાસ અને ઉમંગથી મહત્સવ ઉજવવાપૂર્વક પ્રતિષ્ઠા કરી. અને “જુડની આવરદા બહુ તો સાડાત્રણ દહાડા.” પિલા જેપીને પ્રચાર પિગળ જ નીકળે. અને આ પ્રતિષ્ઠા પછી તે મનસુખભાઈ શેડની જાહેજલાલી તેમજ ઉન્નતિ ઉદીયમાન ચંદ્રની જેમ સોળે કળાએ વધી. આમ થવાથી પ્રતિષ્ઠા-મુહ આપનાર શ્રીનાથા જોષી પર શેઠને વિશ્વાસ અને આદર વધી ગયો. અને તેમને દરેક રીતે શેઠે સુખી કરી દીધા. આ અરસામાં ભાવનગરના આગેવાન શ્રેષ્ટિવર્ય શ્રી ગિરધરલાલ આણંદજી પૂજ્યશ્રીને દ્વહન માટે વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીના વડીલ ગુરૂબંધુ પૂજ્ય પં. શ્રીગંભીરવિજયજી મહારાજે તેમને કહ્યા હતા. તેમણે વિનંતિ કરી: સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપને ભાવનગર પધારવાનું કહેવરાવ્યું છે. સાથે કહ્યું છે કેઃ મારી અવસ્થા હવે પુખ્ત થવા આવી છે. અને તમને (પૂજ્યશ્રીને) દ્વહન કરાવવાના છે. માટે સાહેબ ! આપ વિહાર કરી ભાવનગ૨ પધારો.” કે આ પૂર્વે શેઠ મનસુખભાઈ તથા ઝવેરી છોટાભાઈએ પૂજ્યશ્રીને ઘણી વખત વિનંતિ કરી હતી. કે- આપશ્રી પૂ. પં. શ્રીદયાવિમળજી મ. પાસે ગદ્વહન કરો. પણ પૂજ્યશ્રીએ એ માટે ના કહી હતી. તેવી જ રીતે શ્રી ગિરધરભાઈને પણ તેઓશ્રીએ કહ્યું : ગિરધરભાઈ ! પૂજય પંન્યાસજી મ. ની દરેક ઈચ્છા–આજ્ઞા મારે બહુમાન્ય જ હોય, વળી મારી પણ લેગ વહેવાની પૂર્ણ ભાવના છે. પણ શારીરિક કારણે હું તે તરફ આવી શકું તેમ નથી. ગિરધરભાઈ કહે : પણ સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપશ્રીને કહેવરાવ્યું છે કે “આપણે પૂજ્ય ગુરૂદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. મને આજ્ઞા ફરમાવી ગયા છે કે તેમવિજયજીએ યોગ વહેવા, ને તારે વહેવરાવવા. આ ગુજ્ઞા તો મારે તેમજ તમારે શિરસાવન્દ છે, માટે તમે આ તરફ આવે, જેથી એ આજ્ઞાનું પાલન આપણે બને કરી શકીએ.” આના જવાબમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે “ભાઈ ! પૂજ્ય પંન્યાસજી મ. ની વાત યુક્ત જ છે. પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા અમારે બન્નેએ પાળવી જ જોઈએ. પણ શારીરિક અસ્વસ્થતાને કારણે હું હાલ ત્યાં આવી શકું તેમ નથી. મને એક વિચાર આવે છે કે- પૂ. પંન્યાસજી મ. આ તરફ પધાર્યા નથી. તેઓશ્રી જે અહીં પધારે તે અતિ–ઉત્તમ થાય. માટે તમે મારાવતી તેઓશ્રીને વિજ્ઞપ્તિ કરજે, કે આપ અમદાવાદ પધારે, તો ઘણી શાસનશેભા થશે.” પૂજ્યશ્રીને જવાબ લઈને ગિરધરભાઈ ભાવનગર ગયા. ત્યાર પછી તરત જ પૂજ્યશ્રીએ પ્રેરણું કરીને શેઠ મનસુખભાઈ, ઝવેરી છોટાભાઈ વિ. અમદાવાદના લબ્ધપ્રતિક શ્રેષ્ઠિવને ભાવનગરપૂ. પંન્યાસજી મ. ને વિનંતિ કરવા મેકલ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy