SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૩૩] ૧૫ આચાર્યપદવી મુનિજીવનમાં હોવી જોઈએ એવી લાયકાતોનાં શિખર એક પછી એક, મુનિ નન્દનવિજયજી સર કરવા માંડ્યા હતા, વ્યવહાર-નિપુણતામાં એમને સ્વભાવ અને ખી ભાત પાડતો થયે હતો. વિનય, અભ્યાસ ને તપશ્ચર્યાએ એમને સાત્વિક વૃત્તિ બક્ષી હતી. પરિણામેગુરુકૃપા ઉત્તરોત્તર વધતી ગઈ. એમને દીક્ષા લીધે ફક્ત દસ જ વર્ષ થયેલાં, પણ એ દરમિયાન, એમની લાયકાતોનો ને એમની શક્તિઓને વિકાસ એટલા વિપુલ પ્રમાણમાં થયેલે કે એમને પંન્યાસપદવી અને એથી વધીને આચાર્ય પદ આપવાની સુરિસમ્રાટને પ્રેરણા થઈ. સુરિસમ્રાટ ચક્કસપણે માનતા કે આ પદવી મેળવનારે, એ મેળવ્યા પછી, જિનશાસનની ને સંઘની ભારે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની હોય છે. અને એટલે જ, એ પદવી મેળવતાં પહેલાં એ જવાબદારીઓ નિભાવવા જેટલી લાયકાત ને શક્તિઓ એનામાં સરજાવી જ જોઈએ. - આ સાથે તેઓ એમ પણ માનતા કે આવી લાયકાત ને શક્તિ જેનામાં સરજાય, એની ઉંમરનાં કે મુનિજીવનનાં ગમે એટલાં વર્ષ હોય, પણ એને એ જવાબદારીઓ અને એને અનુરૂપ પદવીઓ આપવી જોઈએ. પિતાની આ વિચારધારાને એમણે ચરિત્રનાયકમાં અમલી બનાવી. સં. ૧૯૮૦માં એમણે એમને પંન્યાસ (પંડિત)પદ અને સં. ૧૯૮૩માં-દીક્ષા લીધાના ચૌદમે વર્ષે અને મુનિ નંદનવિજયજી માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે –આચાર્ય પદ આપ્યું. પંન્યાસપદ લેતાં પહેલાં પિસ્તાળીસ આગમેમાંના પાંચમા આગમ શ્રી ભગવતીસૂત્રના જોગ કરવા ફરજિયાત હોય છે. છથી સાત મહિનાના એ જેગમાં ઉગ્ર તપ અને ક્રિયા કરવાનાં હોય છે. એ એમણે અમદાવાદમાં કર્યો. અને તે દરમિયાન જ એમને પંન્યાસપદ મળ્યું. આ વખતે પાંજરાપોળમાં આવેલી વિશાળ જગ્યા (જ્યાં હાલ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે, તે)માં ભવ્ય મંડપ બાંધીને ગુરુભક્ત શ્રાવકે એ માટે ઉત્સવ યોજ્યો, અને એ મંડપમાં જ પંન્યાસપદપ્રદાન થયું. પંન્યાસપદપ્રદાન વખતે, ભારતીય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ વિદ્વાન છે. આનંદશંકર ધ્રુવ ખાસ જિજ્ઞાસાથી હાજર રહ્યા હતા. પદપ્રદાનની કિયા જોઈને, અને તેના અંતે પદગ્રહણ કરનારને અપાતી–તેમને મળેલી જવાબદારી પ્રત્યે સભાન રહેવાની–શિખામણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy