SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખો તથા કાવ્ય [૧૫]. (૨) સં. ૨૦૨૮માં સંવત્સરીભેદ આવ્યું, ત્યારે શરૂઆતમાં મુંબઈથી સામા પક્ષ તરફથી એક પત્રિકા બહાર પડેલી. એમાં-“મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે? વિરાધકમાંથી આરાધક બનવું છે? કુગુરુઓની મિથ્યાભરેલી વાજાળમાંથી છૂટવું છે?” –આ પંક્તિઓ હતી. તે વખતે અને તે પછી ર૫૦૦મા વર્ષની ઉજવણી વખતે “વીરપરિનિર્વાણમાં સ્થાનકવાસી સંઘના ઉપાધ્યાય શ્રી અમરમુનિનો હિંસા અંગેનો એક લેખ છપાયેલ, તે લઈને તેને પ્રતીકાર કરવાનું કહેવા શેઠ જીવતલાલ પ્રતાપશી આવેલા, તે વખતે પૂજ્યવરે હસતાં હસતાં કહેલું : આ લોકો મિથ્યાત્વની વાત કરે છે, આ અમરમુનિએ આ લેખમાં જે વિધાન કર્યો છે, તેનાથી આપણે મિથ્યાત્વી કરીએ છીએ માટે તેનો વિરોધ કરવાની વાત કરે છે, પણ એમના જ પક્ષવાળાએ આજ સુધી અમને બધાને મિથ્યાત્વી કહ્યા છે ને ગણ્યા છે, તે એમને કશું કહેવા જાય? એક વાર (સં. ૨૦૦૬માં) કદંબગિરિમાં અંજનશલાકા હતી. તેની કાર્ય-પ્રવૃત્તિ મારે ખૂબ રહેતી. એ દરમિયાન યશોદેવસૂરિ ત્યાં આવેલા. એમને મારી સાથે નિરાંતે બેસીને વાતો કરવી હતી. પણ મને અંજનશલાકાની પ્રવૃત્તિમાંથી સમય નહોતે મળત. હવે એમને વિહાર કરે હતો, એટલે મારી જોડે વાતો કરવાની ઉતાવળ અને ઈચ્છા વ્યક્ત કરી. એટલે એક દિવસ રાત્રે મેં સમય કાઢો, ને હું જ એમના આસને ગયે. હું, યશદેવસૂરિજીને ત્રિલોચનવિજયજી–ત્રણ હતા. એમણે પહેલાં વાત કાઢીઃ “આ તિથિચર્ચાનું ક્યારે પતાવવું છે? પતી જાય તે સારું. કાંઈક કરો.” મેં કહ્યું : અમે તે તૈયાર જ છીએ. લાવે, હમણ પતાવી દઈ એ. પણ તમારા ગુરુને પતાવવું નથી. પિતાનું પકડી રાખવું છે, એટલે શું થાય !” આ પછી બીજી વાતો ચાલી. વાતવાતમાં યશોદેવસૂરિ મને પૂછેઃ “તમને લાગે છે કે આ વલ્લભસૂરિજીમાં સમકિત હોય ? અને પુણ્યવિજયજીમાં સમતિ હોય એમ લાગે છે?” મેં કહ્યું મને કાંઈ એવું અવધિજ્ઞાન નથી કે હું અમુક માણસમાં સમકિત છે કે નહીં, એ જાણી શકું. પણ હું એક વાત પૂછું કે રામચંદ્રસૂરિજીમાં સમતિ હોય એમ તમને લાગે છે? “આ સાંભળતાં જ યશેદેવસૂરિજી ચિડાઈ ગયા. એ ગુસ્સામાં કહેઃ “આ શું આપ બેલે છે?” મેં કહ્યું કે હું બરાબર કહું છું મહારાજ ! જેણે ભારતમાં ઘરે ઘરે, ગામગામમાં, મા ને બાપમાં, બાપ ને દીકરામાં-બધે ઠેકાણે મતભેદ પડાવીને કષાયવૃદ્ધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy