SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧] આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ - મુક્તાવલી આખી મને બે વાર એમણે કરાવી. એમાંય આત્મનિરૂપણવાળો ભાગ મને કેમેય સમજાતે નહિ; એમાં બૌદ્ધ અને વેદાન્તની ચર્ચા છે. આ ચર્ચા મને એમણે સાબરમતીમાં (સં.૨૦૨૪), રાતના આઠથી બાર વાગ્યા સુધી, ખૂબ જ રસમય રીતે સમજાવી. બૌદ્ધોના ચાર વિભાગનું પ્રતિપાદન કરતો લેક ‘અથ જ્ઞાનસમન્વિત’ પણ ખૂબ વિશદ રીતે સમજાવ્યો. અને જ્યારે મેં કબૂલ કર્યું કે આજે આ વાત મને સમજાઈ છે, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયેલા. એક વાર મને ટકોર કરી: “મુક્તાવલીની અર્થથી આવૃત્તિ હમણાં કરી છે?”મેં ના કહી. મને ખૂબ લજા આવી. મેં તરત એ માટે નિયમ કર્યો, ને આવૃત્તિમાં મચી પડયો. આખી આવૃત્તિ થઈ, પણ એમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ (પ્રયત્ન)નું પ્રકરણ ન સમજાયું. એ વખતે અમે ખંભાત તરફના વિહારમાં હતા. એ દિવસે લીંબાસી ગામમાં બાવાજીના ભાંગ્યાતૂટ્યા મઠમાં મુકામ હતો. ત્યાં તેઓશ્રીએ સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એ મોટું પ્રકરણ મને સમજાવ્યું એવું ઠસાવ્યું કે એમાં કદી ભૂલ જ ન પડે. હું જ્યારથી સમજતો થયે, ત્યારથી મને અહર્નિશ લાગ્યા કરતું કે “ક્યાં વિદ્યા” –ભણવામાં કઈ સહાધ્યાયી તો જોઈએ જ, પણ મારે નિઃસંકોચ કહેવું જોઈએ કે આ પૂજ્યવરે મને સહાધ્યાયીની બોટ કદી લાગવા નથી દીધી. તેઓ ખુદ મારા સહાધ્યાયી બની જતા. દિવસે શું કે રાત્રે શું, લગભગ પાંચ-છ કલાક કાયમ મારા માટે કાઢતા જ. અંતરના આ અનિર્વચનીય હેતને શબ્દોમાં શું ઊતારું? વિમાસણ થાય છે. મુક્તાવલી પછી સ્યાદ્વાદમંજરી ભણાવી. પૂજ્યવર પિતે તો મને ભણાવતા જ, તદુપરાંત પંડિત પાસે પણ અન્યાન્ય વિષયનું મારું અધ્યયન તેઓ ચાલુ રખાવતા. એક વાર સં. ૨૦૨૫માં ખંભાત ગયેલા, ત્યારે ત્યાં એક છાપેલ પત્રિકામાં કોઈક સાધુના નામ સાથે વ્યાકરણાચાર્ય, ન્યાયતીર્થ વગેરે વિશેષણે જોડેલાં. એ વાંચીને મને કહેઃ “તું વ્યાકરણાચાર્ય થઈ જા ને!” મેં ના કહી, પરીક્ષા આપવા માટે મારી અનિચ્છા (નફરત) વ્યક્ત કરી. એટલે કહેઃ “કઈ દિવસ આવી પરીક્ષાઓ આપવી નહિ, એમાં શો માલ છે? અને આવી પદવીઓ લેવી નહિ. આપણે તો ગુરુમહારાજ આપે તે પદવી લેવી. તું વ્યાકરણ ભણી ગયો છે ને! લાવ, હું તને વ્યાકરણાચાર્ય બનાવી દઉં. અમનેય મોટા મહારાજે આચાર્યપદવી વખતે આવી પદવીઓ આપેલી. હું તને આપી દઉં.” હું શરમાઈ ગયે. મેં ના કહી. પણ એ પછી એમની કૃપા અનરાધાર વર્ષવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy