SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ ] ચ્યા. વિ.ન...દનસૂરિ-સ્મારકમ થ તમે પાલિતાણા જાત્રા, કરવા આવે, ત્યારે આ ઘરેણામાંથી એક હાર મનાવીને ત્યાં લાવજો. ત્યાં આદીશ્વર દાદાને પહેરાવો.” આ વાત પાનીબાઈ એ સ્વીકારી. તેઓ દાગીના પાછા લઈ ગયાં. પણ તે પછી તેઓ ખૂબ સુખી થયાં ને જ્યારે મહારાજ સાહેબ પાલિતાણા બિરાજતા હતા, ત્યારે તેઓ હાર લઈને ત્યાં આવેલાં. એ હાર મહારાજ સાહેબની પાસે રજૂ કર્યાં એટલે મહારાજ સાહેબે પેઢીના મુનીમ સાહેબને બેલાવીને હાર પેઢીમાં પાનીબાઈના નામે જમા કરાવ્યા, અને બીજા દિવસે મહારાજ સાહેબ પાનીબાઈની વિનંતિથી ડુંગર ઉપર જાત્રાએ પધાર્યા, ત્યારે તેઓશ્રીની રૂબરૂમાં શ્રી આદીશ્વર દાદાને તે હાર પાનીબાઇ એ પહેરાવ્યેા. પછી નીચે આવીને મને કહે “ સમિયાભાઈ ! આવા મહાન ગુરુદેવની સેવા-ભક્તિ જિંદગી સુધી છેડશે નહિ. ” : (૫) સાદડીનાં ચામાસામાં આસા મહિને શ્રી જીરાવળા પાર્શ્વનાથ તીર્થના ટ્રસ્ટીઓ પેઢીના ખટારામાં આવેલા. એમને રાણકપુરજીથી ભગવાનની મૂર્તિએ જીરાવલાજી લઈ જવાની હાઈ તેનું મુહૂર્ત પૂછવા આવેલા. એમની ઇચ્છા એવી હતી કે, ચામાસુ` ઊતર્યાં પછી પ્રભુજી લઈ જવા. એમણે મહારાજ સાહેબને મુહૂત કાઢી આપવા વિનંતી કરી. મહારાજ સાહેબે દિવસે જોયા તે તેમને તે જ દિવસ સૌથી ઉત્તમ જણાયા. એમણે ટ્રસ્ટીઓને પૂછ્યું : “તમે મુહૂત લેવા આવ્યા છે કે વાત્તા કરવા આવ્યા છે ? ” ટ્રસ્ટીએ કહે : “ સાહેબ ! અમે મુહૂર્ત માટે જ આવ્યા છીએ. આપ ફરમાવે! એ પ્રમાણે કરીશું.” એટલે મહારાજ સાહેબે કહ્યું : “તે આજના દિવસ જ ખૂબ સારો છે. તમે જાવ ને મૂર્તિ એ લઈ આવે.” ટૂસ્ટીએ કહે : “ પણુ આપજી! હાલ તે ચેામસુ' છે રાણકપુરજી જતાં પાંચ વાર નદી ઓળંગવી પડે છે. નદીઓ ભરેલી છે, એટલે અત્યારે કેમ જવાય ? દિવાળી પછી રસ્તા રિપેર થાય ત્યારે જવાય.” 66 મહારાજ સાહેબે એમને ઉત્સાહ ચડાવતાં કહ્યું: મદદે ખુદા. તમે ડરો છે! શું કામ ? તમારે જરૂર હોય તે લઈ જાવ. બાકી મને આજના દિવસ ઘણા ઉત્તમ લાગે છે. અહીં મૂર્તિ એ લઈ ને આવી જવાશે.” ટ્રસ્ટીએ પણ ઉત્સાહમાં આવી ગયા; ‘તત્તિ' કહીને રવાના થયા. ખટારામાં મને પણ સાથે લીધા. ત્રણેક માઈલ ગયા પછી નદી આવી. ખટારા પાણીમાં ઊતર્યા તે ખરા, પણ વચમાં થંભી ગયા. ફસાઈ ગયાની બીક સૌને લાગી. સૌના કહેવાથી હું નીચે ઊતર્યાં, જોયુ' તો એક મોટો પથ્થર આડા આવતા હતા. મહેનત કરીને તેને દૂર ખસેડથો. એ Jain Education International અલ્યા ભાઈ! હિ'મતે મર્દા તે સાથે મારા માણસ સમિયાને તમે અત્યારે જશે તે સાંજે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy