SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો [૩૯] શરીરથી જ નન્દનો અર્થ ભવિષ્યમાં જરૂર જાણવાનું છે, એટલે વર્તમાન જે બાળકનું આ શરીર તે ભવ્ય શરીર દ્રવ્યનન્દી કહેવાય. () જ્ઞશરીર અને ભવ્ય શરીર તે બનેથી વ્યતિરિક્ત એટલે બનેથી ભિન્ન જે દ્રવ્યનન્દી–એટલે વર્તમાન કાળે વગાડાતાં બારેય પ્રકારનાં વાજિંત્ર, જે મંગળરૂપ છે, તે નન્દી કહેવાય. અને જે ભાવરૂપ નથી એટલે તે દ્રવ્ય કહેવાય. અને તે વાજિંત્રોમાં નન્દીના અર્થનું જ્ઞાન ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી એટલે વગાડવાની ક્રિયાવાળાં વાજિંત્ર જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યનન્દી કહેવાય. ૪. ભાવનદી ૧ આગમથી, ર આગમથી. (૪) આગમથી ભાવનન્દીનન્દીના અર્થને જાણનાર તથા નન્દીના અર્થના જ્ઞાનમાં ઉપગવંત જે વ્યક્તિ હોય, જે સાધુ-સાધ્વી મહારાજ હોય તે આગમથી ભાવનન્દી કહેવાય. (ગા) ને આગમથી ભાવનદી–ને આગમથી ભાવનન્દી પાંચેય જ્ઞાન તે આગમથી ભાવનન્દી કહેવાય અથવા પાંચેય જ્ઞાનના સ્વરૂપને પ્રતિપાદન કરનાર જે આ અધ્યયનરૂપ નંદીસૂત્ર તે પણ પાંચેય જ્ઞાનના સ્વરૂપને જણાવનાર હોવાથી ગ્રામ્યમાં જ્ઞાપકને ઉપચાર કરવાથી નન્દીસૂત્ર પણ ને આગમથી ભાવનન્દી કહેવાય. ભાવનન્દી, જે પાંચેય જ્ઞાનને પ્રતિપાદન કરનાર હોવાથી ભાવનન્દી કહેવાય. નન્દી સૂત્ર સર્વ જે આગમાં તેને એક દેશ છે, એટલે એક વિભાગ હોવાથી નોઆગમ કહેવાય. અહીં આગમને એક ભાગ તે આગમ અર્થ થયો. ઉપર પ્રમાણે નદીના ચારેય નિક્ષેપ સમજવાથી નાઆગમ જ્ઞશરીર, ભવ્ય શરીરને અર્થ અને સ્વરૂપ સમજાઈ જશે. “શ્રી નંદનસૂરિવર ચરણે વંદન હે...” રચયિતા–પ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ જ્ઞાની ધ્યાની ત્યાગી ગુરુવર અમ હૈયાં કેરા હારા, વાત્સલ્યધારિ પર ઉપકારી વળી કરુણાના અવતાર ભવોભવ મળજે એ ગુરુરાજા મુજ આતમના ઉજીયારા, પૂર્ણ ભાવે નંદન સૂરિવર ચરણે વંદન હે મારાં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy