________________
[૨૦]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ જીવન પવિત્ર, સરળ, સ્વચ્છ અને બ્રહ્મવતપ્રધાન હોવાથી સમાજની કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટેનાં શાણપણ, સૂઝ અને દૂરંદેશી પણ તેઓ કેળવી શક્યા હતા. એમની દ્રષ્ટિ નિર્મળ અને રાગદ્વેષરહિત હતી. તેમાં ઉદારતા અને શાંત શૂરવીરતા હતી અને એમની જીભ હમેશાં સાચી સલાહ દેવાવાળી હતી.
શાસન અને સમાજનાં પવિત્ર કાર્યો માટે આચાર્યશ્રીનાં આપેલા મુહૂર્તો હમેશાં અચૂક જ સિદ્ધ થયાં છે. આ પ્રમાણે દિન-પ્રતિદિન ચન્દ્રમાની જેમ ચઢતી કલાને પ્રાપ્ત થયેલા શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી એક દિવસ પોતાના જીવનના માલિક જેવા શાસનસમ્રાટ તથા પિતાના દિલના સ્વામી તપમૂર્તિ, જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ તથા વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની શીતલ છાયાથી વંચિત થયા. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ગૌતમસ્વામીએ જેવી અકળામણ અનુભવી હતી, તેવી જ અકળામણનો અનુભવ કરતા આચાર્યશ્રી અમદાવાદના આંગણે પધાર્યા. એમ લાગે છે કે, પિતાના શિરછત્રોના વિયોગ પછી જ આચાર્યશ્રીની જીવનસાધનાનો ખરે કસોટીકાળ શરૂ થયો હત–જોકે એ બંનેની હયાતીમાં પણ તેઓએ અનેક અટપટા પ્રસંગે એ પિતાની દક્ષતા અને સૂઝનો પરિચય આપ્યો હતે.
દેવાધિદેવ, ચરમતીર્થકર, જીવમાત્રના મિત્ર, ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ નિર્વાણ મહોત્સવ મનાવવા માટે ઉત્સાહ ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી લઈ નાનાં-મોટાં સૌનાં અંતરમાં ઉત્પન્ન થયે હતો. કઈ પણ જાતની રાજકીય ખટપટ વિના કેવળ અહિંસાના પ્રચાર માટેની દેશવ્યાપી જનાનું અભૂતપૂર્વ આયોજન થયું હતું, જેમાં, જૈન સંઘના ચારે સપ્રદાયના ખ્યાતિપ્રાપ્ત આચાર્ય ભગવંતે તેમ જ કર્મઠ મુનિરાજની કમિટિના આદેશાનુસાર કામ કરવા માટે ભાગ્યશાળી ગૃહસ્થની કમિટિનું પણ નિર્માણ થયું હતું. પરંતુ આવા અપૂર્વ અવસરે પણ વિશાળ તપાગચ્છમાંથી સૌથી નાના પક્ષના પ્રમુખ આચાર્ય ભગવંત અને અંધશ્રદ્ધાળુ અને રૂઢિગ્રસ્ત પંડિતોએ વિરોધની જોરદાર વાલાઓ ચાલુ કરી, જેમાં, સાંભળવા પ્રમાણે, વિશ લાખ રૂપિયાને ધુમાડો કરીને, જે પ્રમાણે બની શકે તે બધી રીતે, સામ-દામ-દંડ અને ભેદની નીતિથી પણ, વિરોધ કરવામાં ક્યાંય કચાશ રાખી ન હતી!
જે ભગવાન મહાવીરસ્વામીએ સૃષ્ટિના પ્રાણીમાત્રને અહિંસાને સંદેશ આપે, ભયંકર હિંસકોને પણ દયાદેવીના પાઠ ભણાવ્યા અને રાજ્યસત્તાના ઘમંડમાં ચકચૂર બનેલાઓને ન્યાય, નીતિ તથા ધર્મના પાઠ ભણાવ્યા તેવા ભગવાનનો મહોત્સવ રાષ્ટ્રવ્યાપી મનાવાય તેમાં પાપની કલ્પના કરવી એ જ મહાપાપ છે, બુદ્ધિને હાસ છે અને શ્રુતજ્ઞાનનો દુરુપયોગ છે. તેમને આ વિરોધ પ્રચાર એટલે જોરદાર અને હિંસક ઝનનથી ભરેલો હતો કે જેને લઈને ભલભલા મહારથીઓ પણ ભય પામીને ડગી ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org