________________
[૨]
આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ એ વખતે એમનું દિલ, આ ઉત્સવના વિરોધ દ્વારા જિનશાસનની થઈ રહેલી અવહેલનાને લીધે, ભારે વ્યથા અનુભવી રહ્યું હતું. વિરોધી પરિબળોની અવ્યવસ્થાજનક પ્રવૃત્તિ એમના અંતરને ઊંડે આઘાત આપતી હતી.
આ અને આવી અનેક અવહેલનાઓ અને અવ્યવસ્થાજનક પ્રવૃત્તિઓને સર્વથા ડામી દેવાની તીવ્ર ઝંખના, શાસનદાઝ અને સત્યપ્રિયતાએ એમની પાસે આ શબ્દ ઉચ્ચારાવ્યા હતા.
સાચી શાસનપ્રભાવનાનું મૂળ સમત્વની સાધનામાં છે. જે સૌનું કલ્યાણ વાં છે અને કરે, એ સાચો શાસનપ્રભાવક. મારાં-તારાને ભેદ જેને અસ્પૃશ્ય હોય, એ સાચો શાસનપ્રભાવક.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને સારાસારનો જે વિવેક કરે, એ સાચો શાસનપ્રભાવક.
માત્ર સ્વપક્ષની જ નહિ, પરપક્ષની વ્યક્તિમાં પણ જે ગુણ હોય, તેને સરલભાવે સ્વીકારે અને અનુમોદે, એનું નામ સાચો શાસનપ્રભાવક.
અન્યના અવગુણ જોવા-જાણવા છતાં, તેની પંચાતથી પર રહીને સમભાવમાં રાચે એનું નામ સાચે શાસનપ્રભાવક.
પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના હૈયાના અણુએ અણુમાં સ્વ-પર કલ્યાણનું અમૃત ભર્યું હતું છતાં એના પ્રદર્શનની લાલસાથી તેઓ મુક્ત હતા.
આ પિતીક છે ને આ પારકે છે, એવો ભેદભાવ એમને સ્પ જ ન હતો આનો અનુભવ અને કોને છે.
અસામાન્ય દીર્ધદષ્ટિથી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરીને, સાર-અસારનો જે ઉચિત વિવેક તેઓ દાખવતા, એ કદાચ હવે નહિ જોવા મળે.
બાહ્ય ડોળ કે આડંબર પૂરતાં જ નહિ, પણ અંતરના નિખાલસ અવાજથી પ્રેરાઈને પરપક્ષના ગુણોનું અનુદન તેઓના મુખે સાંભળવું, એય એક જીવનને લહાવો હતે.
એમનું જીવનસૂત્ર હતું : “પરની તારે શી પડી, તું તારું સંભાળ”. આ સૂત્રનું તાદામ્ય એમના પ્રત્યેક વિચાર તથા આચારમાં અનુભવવા મળતું.
અને તેથી જ તેઓ સાચા અર્થમાં શાસનપ્રભાવક હતા. એમણે કરેલી સમત્વની સાધના, એમની શાસનપ્રભાવકતાનું રહસ્ય હતી.
એમના જીવનના પ્રત્યેક ધબકારે શાસનસેવાની સૂઝ અને દાઝ વણાયેલી હતી, છતાં એને એમણે ક્યારેય દાવો નથી કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org