SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] આ. વિ.નાનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્યપ્રવર, ગુણસમુદ્ર, સંમાનનીય શ્રી વિજ્યનંદનસૂરિજી લેખક પડિતવય શ્રી બેચરદાસ જીવરાજ દોશી સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક મહાપુરુષ પેદા થયેલા છે. પૂ. ગાંધીજી પોતે જ સૌરાષ્ટ્રના નિવાસી હતા. સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન કાન્તિ કરનારા ધુરંધર પુરુષે પણ સૌરાષ્ટ્રને જ પોતાના જન્મથી અલંકૃત કરેલ છે. અમેરિકામાં જઈને જૈનધર્મને પ્રચાર કરનારા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મહુવામાં જ પેદા થયેલ છે. આ સિવાય મહુવામાં બીજા પણ મહાપુરુષો જમેલા છે. શ્રી વિજ્યનેમિસૂરિજી, શ્રી વિધર્મસૂરિજી વગેરેએ પણ પોતાના જન્મથી, સંયમથી અને સમાજમાં વિદ્યાપ્રચારના કાર્યથી મહુવાને જ પ્રતિષ્ઠા આપેલ છે. માનનીય શ્રી વિજયનંદનસૂરિએ પણ ભાવનગર જિલ્લાના બોટાદમાં જન્મીને બોટાદને વિશેષ પ્રતિષ્ઠિત કરેલ છે. તેઓનું કુટુંબ જેનધર્મનું આરાધક હતું, એટલે તેમને જન્મથી જ જૈન ધર્મના સંસ્કાર મળે એ તદ્દન સ્વાભાવિક છે. બોટાદમાં જૈન મુનિઓનું આવાગમન થયા કરતું. એને લીધે વિજયનંદસૂરિના કુટુંબમાં જૈન મુનિઓને સમાગમ, વ્યાખ્યાનવાણી દ્વારા અને સેવા-ભક્તિ દ્વારા, સતત વર્ધમાન રહે. આમ થવાથી તેમના ઘરમાં વૈરાગ્યનું વાતાવરણ પ્રાદુર્ભાવ પામે જ અને એ વાતાવરણની અસર ભાઈ નરોત્તમને થાય એમાં શી નવાઈ? મુનિરાજ શ્રી નેમિવિજયજી મહારાજનો અને તેમના મુનિમંડળનો પરિચય બોટાદને ઘણો વધારે રહેલ છે અને પરિણામે ભાઈ નત્તમના મનમાં દીક્ષા લેવાને ઉમંગ થયે જણાય છે. તેઓ દીક્ષિત થઈને શ્રી વિજયનેમિસૂરિના મંડળમાં પ્રવેશ પામ્યા અને શ્રી વિજયનેમિસૂરિજીની દેખરેખ નીચે જ તેમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જૈન શાસ્ત્રો ઉપરાંત ષદર્શનનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવા સાથે અન્ય અન્ય જ્યોતિષ વગેરે શાસ્ત્રોને પણ અભ્યાસ કરીને તેમાં પણ તેઓએ પ્રવીણતા મેળવી હતી. અને તેઓ કોઈ પણ ધાર્મિક પ્રસંગ અંગે મુહૂર્ત શોધી આપનાર તરીકે જૈન સંઘમાં વિશેષ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રતિષ્ઠાનું મુહૂર્ત અથવા દીક્ષાનું મુહૂર્ત વા ધ્વજદંડ વગેરે ચડાવવાનું મુહૂર્ત તેઓ જ મેટે ભાગે કાઢી આપતા. તેમને જૈન આગમોનો વિશેષ તલસ્પર્શી અભ્યાસ હોય તે તો સ્વાભાવિક છે. શ્રી વિજયનેમિસૂરિજીની કડક શિસ્તની નીચે તેમનું જીવન ઘડાયેલ હતું, અને એમ હોવાથી તેઓ સંયમના આરાધનમાં કે શીલ-સદાચાર-તપ વગેરેની પ્રવૃત્તિમાં પણ મોખરે જ હોય એમાં કોઈ વિવાદને અવકાશ ન જ હોય. શાસ્ત્રોનાં એટલે જૈન શાસ્ત્ર ઉપરાંત બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને ગ વગેરે શાસ્ત્રોના અભ્યાસમાં પણ તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy