SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુવાદ સભાએ તથા હરાવેા [ ૨૪૫] શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજશ્રીના ફોટો જોતાં સમાચાર વાંચ્યા. હાર્ટ એટેકથી તગડી મુકામે સ્વર્ગસ્થ થયાના સમાચાર વાંચીને જાણે વીજળી પડી હોય તેવા કારમા આઘાત લાગ્યા. શાસન-નભામ`ડળમાંથી શુ ચમકતા સિતારા વિલય પામ્યા ? સમુદાયના આધાર સમુદાયને નિરાધાર બનાવી એકાએક વિદાય થયા ? હજારોની સંખ્યામાં પ્રતિષ્ઠાના, જિનબિંબપ્રવેશના, તીમાળ-પરિધાનના, ઉપધાનતપપ્રવેશ અને માળપરિધાન આદિ અનેકાનેક શુભ અને મંગલ મુહૂર્તીના દાતા જ્યાતિષમાંડ, સિદ્ધાન્તપારગામી, મહાપુરુષ સિદ્ધાચલની વાટે જતાં સહજમાં જ કાળધર્મ પામ્યા ! આપણે ભક્તિવશ રવડી પડયા ! ( મુંબઈ; તા. ૧-૧-૭૬ ) પ્રોફેસર વિનચંદ્ર એમ. શાહ—પૂ. શ્રીની ખરા ટાઇ મે જ એવી ખેાટ પડી છે કે ઘડીભર શાકસંતપ્ત હૃદયથી વાણી મૂક બની જાય છે, હૈયુ. અશ્રુઓથી લચી પડે છે, નયનનાં વહેણ અવિરત ગતિએ પ્રયાણ કરે છે. વળી તેમની વાત્સલ્યભાવના સર્વ કરતાં અધિક હતી. આબાળ-ગેાપાળ સૌને પ્રશાંત મુદ્રા ને વાત્સલ્યભાવથી વશ કરી લેતા હતા. અહીં એમના મિલન વખતે ગરીબ કે પૈસાદાર, ખાળક કે યુવાન-વૃદ્ધ, જ્ઞાની કે અજ્ઞાની —કાઈ જ ભેદ ન હતા. આ એમના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ નમ્રતા હતી, જે પ્રશસ્ય છે અને ચિરકાળ સુધી સ્મરણીય રહેશે. જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી નમ્રતા, વત્સલતા એ જ્ઞાન પચાવ્યાની, નિરભિમાનીપણાની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા દર્શાવે છે. વિશેષ તે શું ? એમનાં આદર્યા અધૂરાં શાસનનાં હિતને લગતાં કાર્યા, એમની અદૃશ્ય અમીષ્ટિ અને આપશ્રી જેવા વિદ્વાન આચાર્યાના પ્રયત્નાથી, પરિપૂર્ણ થાય એવી મંગળ કામના. ( ખભાત; તા. ૭–૧–૭૬) શ્રી રમેશભાઈ એચ. શાહ (‘જનસત્તા’ દૈનિકના રિપોર્ટર)—ભારે દુઃખ સાથે આ પત્ર લખું છું. સદ્ગત આચાર્ય શ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના જવાથી મને-સૌને દુઃખ થાય એ સ્વાભાવિક છે; પરંતુ તેને આપના પર જે પ્રેમ હતા, આપ તેઓને જે રીતે સાચવતા, એની કલ્પના કરતાં મારા જેવાને આપના દુઃખ-દર્દ ના ખ્યાલ આવે છે. પ્રભુ આપને આ આઘાત સહન કરવાવી શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના છે. અમદાવાદ છેડતાં પહેલાં છેલ્લે હુ આપને અને મહારાજશ્રીને મળ્યા ત્યારે મે’ આપ સૌની અને મહારાજશ્રીની પાલિતાણાની યાત્રા અંગે અનેક પ્રશ્નો કર્યા હતા. મહારાજ સાહેબની ઉંમર અને અિયત જોતાં ઠંડીના દિવસેામાં ચિંતા ઊપજે એ સ્વાભાવિક હતું. પણ ન બનવાનું અન્યું. મારા જીવનમાં મહારાજશ્રીએ અને આપે મુકેલ સુવાસ કદી નહીં ભૂલું. ( અમદાવાદઃ તા. ૧૦-૧-૭૬ ) શાહ ચીમનલાલ ફુલચંદ કાઢવાળા-પ. પૂ. પરમ ઉપકારી આચાર્ય મહારાજશ્રી કાળધર્મ પામ્યા પછી બે-ત્રણ વખત પાંજરાપાળ ગયા, પરંતુ બિલકુલ ઊભા રહેવાનુ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy