SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬]. આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ વિરહ પડ્યો છે. જૈન શાસનને તેમના કાળધર્મથી ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. તેઓશ્રીના સમગ્ર જૈન શાસન ઉપરના અનેક ઉપકારે અને અસહ્ય વિરહને પુનઃ પુનઃ સ્મરણ કરતાં અમદાવાદનો શ્રી ચતુર્વિધ સંઘ તેમના ઉત્તમ દીર્ઘ પર્યાય સંયમી જીવન અને ઉત્તમ દીર્ધ આચાર્ય પદપર્યાયની અનુમદનાપૂર્વક કટિ કોટિ વંદના કરે છે. સભાએ બાર નવકાર ગણીને ઠરાવ પસાર કર્યો હતો. શ્રી સાંતાક્રૂઝ (મુંબઈ) તપગચ્છ જૈન સંધની સભા શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રી તગડી મુકામે કાળધર્મ પામતાં તેઓશ્રીના ગુણાનુવાદની સભા શાન્તાક્રૂઝ જૈન તપગચ્છ સંઘ તરફથી પોષ વદી ૨ રવિવારના રોજ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્નો પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી હેમચંદ્રવિજયજી મહારાજશ્રી તથા પૂજ્ય મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં શ્રીસંઘના વિશાળ ઉપાશ્રયમાં યોજવામાં આવી હતી. શ્રીયુત કસ્તુરભાઈએ પત્રિકાનું વાંચન કર્યું હતું. કવિ શ્રી બંસીલાલ ખંભાતવાળાએ ભાવવાહી સ્વરે ગુરુગુણસ્તુતિ ગાઈ હતી. પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજશ્રીએ પ્રવચન કરતાં સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને બાલ્યકાળમાં થયેલા વૈરાગ્યથી માંડીને પંદર વર્ષની વયે દીક્ષિત થયા તેને તથા માત્ર બાર વર્ષના સમયમાં પિસ્તાલીશ જિનાગમ પંચાંગીના તલસ્પર્શી અભ્યાસ સાથે અન્ય દર્શનનો અભ્યાસ કર્યાને ઉલેખ કર્યો હતો. અને તેઓશ્રીની અપ્રતિમ બુદ્ધિપ્રભા જોઈ શાસનસમ્રાટ પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં જિન શાસનમાં ઉચતમ એવા આચાર્યપદે આરૂઢ કર્યાને બનાવ સુંદર રીતે વર્ણવ્યો હતો. પચાસ વર્ષના આચાર્ય પદ-પર્યાયમાં સ્વર્ગસ્થ શ્રીએ કરેલ જૈન શાસનની અનુપમ કટીની વિવિધ પ્રકારની શાસનપ્રભાવનાઓનું કડીબદ્ધ બયાન કરીને સ્વર્ગસ્થ શ્રીને મરણાંજલિ આપી હતી. બાદ શ્રીસંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીયુત હીરાલાલ નાથાલાલે સ્વર્ગસ્થ શ્રીના ભારતભરના શ્રીસંઘ ઉપરના ઉપકારોને યાદ કરી જેનાગમના અખંડ અભ્યાસી, શિલ્પશાસ્ત્રના પ્રખર શાસ્ત્રવેત્તા અને જ્યોતિષશાસ્ત્રના સિદ્ધહસ્ત તિર્ધરના જીવનના કેટલાક પ્રસંગો કહીને શ્રદ્ધાંજલિ આપી હતી. જસુભાઈ શાહે શાન્તાકૂઝના જિનમંદિરની પ્રતિષ્ઠાના ચાલીસ વર્ષ પહેલાં આપેલાં શુભ મુહૂર્તોને યાદ કરી શાન્તાક્રુઝ સંઘની આબાદી અને ઉત્કર્ષમાં આવા સિદ્ધહસ્ત મહાપુરુષોએ આપેલાં શુભ મુહૂર્તી નિમિત્તભૂત છે અને તેથી તેઓશ્રી આપણું ઉપકારી છે કહી તેઓશ્રીને કોટી કોટી વંદના સાથે અર્વાંજલિ આપી હતી. સુરેન્દ્રનગરના શ્રીયુત બાપાલાલ મનસુખલાલ શાહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy