________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭૧] વાંચી જજે.”
માગશર વદિ ૬:
આજે બાવળા આવ્યા. મને શેઠવાળો કાગળ વંચાવ્યો. એમને ખૂબ ગમી ગયેલ એ કાગળ આ પ્રમાણે છે :
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ત્થા પૂ. આ. મા. શ્રી વિજયસૂર્યોદયસૂરિશ્રી આદિ ઠાણા.
સમાચાર આપતાં દુઃખ થાય છે કે મારા પુત્ર મનુભાઈનું માગસર વદિ રની રાત્રે અગિયાર વાગે દુઃખદ અવસાન થયું છે. મારા Oા મારા કુટુંબીઓ ત્યા સ્નેહીસંબંધી સાથે આ ભવનો સંબંધ છૂટી જાય છે. ઘણું ભ કરતાં કરતાં કેટલીક વાર આ જીવ સાથે સંબંધ થયા હશે અને જ્યાં સુધી ભવભ્રમણ હશે ત્યાં સુધી પાછાં સંબંધ થવાના હશે. આત્મા અજર અમર અવિનાશી છે. ફક્ત દેહનું જ કર્મ પ્રમાણે પરિવર્તન થયા કરે છે. અજ્ઞાનતા લેઈ અને ઘણું ભવને આવરણ લેઈ મોહ-મમતાથી હર્ષ-શોકની લાગણી અનુભવાય છે. તે અજ્ઞાનનો નાશ થયે આત્મસ્વરૂપે સ્થિત થવાય છે. નરભવ પામી, તે ભાવમાં રમણતા પામવી; અને ગતાનુગતનો શેક કરો મિથ્યા છે, અને ગત આત્માને ચિરશાંતિ અર્પે તેટલું ઇચ્છવું આપણું કર્તવ્ય છે.
કેશવલાલ લલુભાઈના ૧૦૦૮ વંદના
સ્વીકારશે.”
આ વાંચીને હું એમની કમ્મર દાબવા બેઠો. ડાહ્યાભાઈ પણ હતા. દોઢેક કલાક સુધી કદમ્બગિરિ વગેરે તીર્થોની વાત કરી. એ વાતમાં એમના અંતરમાં ભરપૂર પડેલી તીર્થસેવાની ધગશ વ્યક્ત થતી હતી. પછી ડાહ્યાભાઈને કહેઃ “મારે આ વખતે આને હસ્તગિરિની ને ઘેટી-પાગની જાત્રા કરાવવી છે; એણે કઈ દી' કરી નથી. પ્રતિષ્ઠાનું કામ પતી જાય પછી જવાનું કરીશું. તમારે સાથે રહેવાનું.
પાલિતાણાથી ડુંગર પર-જીવાપર થઈને રહીશાળા; ત્યાંથી મુંડકીધાર થઈ ઉપર ચડી, જાત્રા કરીને હાથસણી ઊતરી જવાય. અથવા પાલિતાણાથી રોહીશાળાની પાગે ઊતરી જઈ, જાળિયા થઈનેય મુડીધાર જવાય. પાછા આવતાં ઘેટીને રસ્તે આવીએ. ત્યાંથી ડુંગર ચડીને જાત્રા કરીને પાલિતાણા આવી જવાય. જતી વખતે નવા રસ્તે નથી જવું. આવતાં નવા રસ્તે આવવું હોય તો અવાય.”
મારે તો સાંભળવાનું જ હતું. આટઆટલાં વર્ષો પછી પણ ક્યા રસ્તે કેમ ને કઈ રીતે જવું-આવવું, એ એમને બરાબર યાદ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org