SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] આ વિનાનસૂરિસ્મારકથ વિનતિ કરેલી. એ વિનતિ એમણે સ્વીકારી હતી, એટલે તે માટે તરત જ વિહાર કરવાનો હતો. આ પ્રતિષ્ઠાના મંગળ કાર્ય સામે પણ, ૨પમી નિર્વાણ શતાબ્દીની જેમ જ, અમુક વગે વિરોધને વાવટોળ ઊભું કર્યો હતો. આ વિરોધમાં તે એ વિરોધ કરનારાઓને વ્યક્તિષની પ્રતીતિ ભારતભરના જૈનોને થઈ ગઈ. આ વિરોધને ડામવા માટે જરૂરી પગલાં લેવાનાં તથા પ્રતિષ્ઠા અગેનાં અનેક ઉગી સૂચને એમણે ખૂબ ઉત્સાહપૂર્વક કર્યા હતાં. “પેઢીનું કાર્ય એ પિતાનું જ કાર્ય છે એમ સમજીને પેઢી જે કરે તેમાં પૂરે સહયોગ આપવો”-એ પોતાના જીવનસિદ્ધાન્તને આ અવસરે પણ એમણે આચરણમાં મૂક્યો હતો. એમના તન ને મન બંને આ કૅર્યને લગતી પિતાની જવાબદારી અદા કરવામાં પરોવાઈ ગયાં હતાં, ગમે તે થાય, પણ આ મંગળ કાર્ય પાર પાડવું જ છે, એ દઢ નિશ્ચય એમના હૃદયમાં અંકિત થઈ ગયો હતો. ૪૫ જીવનસંધ્યાન યાદગાર વાતો. એમનાં અહોરાત્ર શાસનની સેવામાં સમર્પિત હતાં. એમની ઉદાત્ત વિચારધારા, ઉન્નતિલક્ષી વાત ને પ્રવૃત્તિઓ બેસુમાર હતી. એની પૂરી નોંધ લેવી અશક્ય હતી. જે જીવન જ સંઘ-શાસનનું હોય, એના અમુક દિવસે ને અમુક સમય શાસન માટે વપરાયા, એવું લખવું કે કહેવું, એ પણ એ જીવનને અન્યાય કરવા જેવું ગણુય. શાસન સમર્પિત એ પુણ્યપુરુષના જીવનના અંતિમ વર્ષની કેટલીક યાદગાર વાતે –જે યાદ આવી–તે અહીં રજૂ કરવી ઉચિત અને જરૂરી લાગે છે. (સં. ૨૦૩૨) કાર્તક શુદિ ૧૧: એમના માટે જાયેલ ગુણાનુદન સભા, અન્ય કાર્યક્રમ, તેમ જ સૌનો અપાર મમતા એમના હૃદયને ભીંજાવી ગઈ હતી. એ સાંજે ગદગદ સ્વરે કહેઃ “આટલાં વર્ષોમાં મેં જે કાંઈ ઉપકાર આની ઉપર કર્યા છે, એ બધાને એકસામટે બદલે આ બધું કરીને એક જ દિવસમાં વાળી દે છે, મારે શું કહેવું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy