SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૩] પક્ષ બે પાંચમ જ રાખવાનો હતો. પણ, આ પ્રસંગે પણ સામા પક્ષે ઉપર લખેલી પિતાની નીતિ અમલમાં મૂકી હતી. એ પક્ષની આવી બેધારી નીતિથી પરંપરાપક્ષને સાવધ રાખવા અને એ બેટી ભ્રમજાળમાં ન ફસાય એ હેતુથી શ્રી વિજયનંદનસૂરિજીએ સં. ૨૦૨૭ના ભીતિચા પંચાગમાં અગમચેતીરૂપ સૂચના કરી : શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે વિ. સં. ૨૦૧૮ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચોથ, મંગળવાર, તા. ૧૨-૯-૭૨ના દિવસે કરવાની છે.” એમના આ સમયસરના નિવેદનથી પરંપરાપક્ષ સાવધ અને ફ્લેગૃત બની ગયા. સૌ ચેતી ગયા કે આપણને મેટા મહારાજનું માર્ગદર્શન મળી ગયું છે, હવે બીજી કોઈ ચર્ચામાં કે કજિયામાં ઊતરવું નથી. આપણે તે સાચી આરાધના થાય તે પ્રબંધ કરી લઈએ.” હવે બન્યું એવું કે, એમના આ નિવેદન સામે પરંપરાપક્ષના પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા વર્ષે જ વાંધો લીધે કે, બે ચોથ કેમ લખી? આ વાત એમની પાસે આવી ત્યારે તેઓ ખૂબ હસ્યા. એમણે કહ્યું : “આખરે તે ખાટલા વચ્ચે શરીર છે ને? “શબ્દભેદ ઝઘડો કિ.” બે ચેથ અમે કહીએ, તમે બે ત્રીજ કહો, પણ સંવત્સરી તે બંનેની મંગળવારે જ છે ને ! એ જુદી થતી નથી ને ? તે પછી નાહકની ચર્ચા શા માટે કરવી?” નિવેદન ઉપરાંત એમણે શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ અવિચ્છિન્ન પરંપરાનુસારી તિથિ-સંવત્સરીની આચરણનું સરળ અને સ્પષ્ટ ચિત્ર દર્શાવતી “તપાગીય તિથિપ્રણાલિકા” નામે પુસ્તિકા લખી અને પ્રકાશિત કરાવી. આ પુસ્તિકામાં એમણે થોડાક શબ્દોમાં ખૂબ ગંભીર રહસ્ય ગૂંચ્યાં છે. એ વાંચીએ ને વિચારીએ ત્યારે મહાન કવિ શ્રીહર્ષને આ લેક અવશ્ય યાદ આવે છે : જરા અrfસ પ્રચાચા, माझंमन्यमना हवेन पठिती मास्मिन खलः खेलतु । श्रद्धाराद्धगुरुरलथीकृतदृढग्रन्थिः समासादय त्वेतत्तकैरसोनिमज्जनसुखेष्वासजनं सज्जनः ॥ (મેં આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક ખાસ પ્રયત્ન દ્વારા અમુક વિશિષ્ટ ગ્રંથિઓ (ગૂ) જ છે. જે લોકો પોતાની જાતને સર્વોત્તમ પ્રાજ્ઞ માનવાનું અભિમાન કરતા હોય, એવા ખેલ લેને એ ગૂંચે અને એના ઉકેલ નહીં જડે. પણ, જેમણે શ્રદ્ધાપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy