________________
[૧૨૪]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ ૩૬
શુભ કાર્યોની પરંપરા સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી કેટલાંક બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાની દિશામાં, શ્રી વિજયનન્દનસૂરિજી પૂરા સક્રિય હતા.
મહુવામાં સૂરિસમ્રાટના અગ્નિસંસ્કાર-સ્થળે શ્રીસ ઘે એક નાનું પણ નાજુક જિનમંદિર તૈયાર કરાવ્યું હતું. વિ. સ. ૨૦૧૫માં એની અંજનશલાકા-પ્રતિષ્ઠાનું શુભ કાર્ય ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજ સાથે કર્યું. એમાં સુરિસમ્રાટની પાદુકા પણ પ્રતિષ્ઠિત કરી.
કદમ્બગિરિ તીર્થના વિકાસ માટે સુરિસમ્રાટના મનોરથ અતિભવ્ય હતા. એ મનોરથને મૂર્તિમાન કરવા માટે એમના આ બે શિષ્ય-શ્રી વિજયદયસૂરિજી તથા શ્રી વિજયનન્દનસૂરિજી-અને શેઠ જિનદાસ ધમદાસની પેઢી સતત પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોના પરિપાકમાં કદમ્બગિરિ ઉપર અનેક જિનચૈત્યનું નવનિર્માણ થઈ રહ્યું હતું. એમાં ૧૧૫ ઈંચની ઊંચાઈની શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિમાવાળો શ્રી પંચમેપ્રાસાદ, શ્રી પાર્શ્વનાથપ્રભુના ભૂમિગૃહ-ચૈત્યવાળો શ્રી અષ્ટાપદ તીર્વાવતાર પ્રાસાદ, વાવડી પ્લેટને જિનપ્રાસાદ, આ બધાંનું નિર્માણકાર્ય પરિપૂર્ણ થયું હોઈ, વિ. સં. ૨૦૧૬માં એ બધા પ્રાસાદની પ્રતિષ્ઠા સાથે અનેક જિનબિંબની અંજનશલાકા કરી.
આ જ વર્ષે શ્રી કદમ્બગિરિમાં ઉપધાનતપની મંગળ આરાધના પણ કરાવી.
ક્ષેત્રસ્પર્શના, તબિયતની પ્રતિકૂળતા, કદમ્બગિરિ તીર્થને વિકાસ વગેરે અનેક કારણો - સર વિ. સં. ૨૦૧૪ થી લઈને ૨૦૨૦ સુધીનાં સાત ચોમાસાં તેઓશ્રીએ પાલિતાણામાં, સાહિત્યમંદિરમાં જ કર્યા. આ ગાળામાં-સં. ૨૦૧૭–૧૮માં–શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર જુદી જુદી ટૂંકમાં અનેક જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા એમના હાથે થઈ.
સં. ૨૦૧૯માં કપડવંજના સુશ્રાવક શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખને કપડવંજથી શ્રી કેસરીયાજી તીર્થને છે “રી” પાળા યાત્રા સંઘ કાઢવાની ભાવના થતાં તેમણે તેમાં પધારવાને ખૂબ આગ્રહ કર્યો. એટલે તેઓ કપડવંજ પધાર્યા. ત્યાંથી તેમની નિશ્રામાં ચિરસ્મરણીય, ભવ્ય યાત્રા સંઘ નીકળે. સાથે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે મુનિવૃન્દ પણ હતું.
સંઘ સાથે શ્રી કેસરિયાજી તીર્થની યાત્રા અંતરના ઉલ્લાસથી કરીને વર્ષોની ભાવના અને અભિગ્રહ પૂર્ણ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org