________________
[૨]
આ, વિનંદનસૂર-સ્મારકગ્રંથ “આપ ગુરુવારની સંવત્સરી કરશે તો સામા પક્ષને પ્રોત્સાહન અને સંઘના વિભાગને કાયમી રાખવામાં બળ મળશે.” એવી એક શંકાને અગ્ય ગણાવતાં એમણે કહેલું : - “અમો ચોથ બુધવાર કે ચોથ ગુરુવાર કરીએ, પણ એથી સંઘના બે વિભાગ, જે વર્ષોથી છે, તે તે કાયમ રહે જ છે. તે વિભાગ અમારા નિમિત્તે નથી. માટે ખરી રીતે તે ચોથ–બુધ કે એથ-ગુરુનો આગ્રહ રાખવા કરતાં આખો તપાગચ્છ સમાજ એક દિવસે સંવત્સરી આરાધે એવો પ્રયાસ સમાજના ડાહ્યા પુરુષોએ, મધ્યસ્થ દષ્ટિએ, કરવો જોઈએ. અને તે રીતે તપાગચ્છ સમુદાયમાં સંવત્સરીનો જે એક દિવસ નિણત થાય તે રીતે અમારે પણ કબૂલ છે. પણ કોઈ પણ એક પક્ષમાં રહેવું તે વ્યાજબી લાગતું નથી.”
પિતે જાહેર કરેલી ગુરુવારની સંવત્સરી સામે થતાં અનિચ્છનીય વિરોધી પ્રચાર અગે પોતાની વ્યથા ઠાલવતાં એમણે આ આગેવાનોને કહ્યું :
ડહેલાના ઉપાશ્રયની આજ (૨૦૧૨) સુધીની તિથિની પરંપરા અને પ્રણાલિકા પ્રમાણે, અમારા પૂજ્ય વડીલેની આચરણના આધારે, અમોએ ચોથ ગુરુવારનો નિર્ણય રાખે છે. સંવત્સરીને હજુ દસ મહિના બાકી હતા, તેમાં તે બુધવાર પક્ષ તરફથી કેટલાંક વિરુદ્ધ લખાણ બહાર પડ્યાં, જે કેવળ કદાગ્રહ અને કષાયમય, અનિરછનીય અને ગેરવ્યાજબી વિચારથી જ ભરેલા છે. આ રીતે કાંઈ બુધવારની સંવત્સરીની પ્રમાણિકતા અને આરાધના ના કહેવાય. આ તો કષાય વધારવાનાં કારણો થાય છે.”
ડહેલાના ઉપાશ્રયનો મુનિસમુદાય જે કરે, તે ડહેલાની પ્રણાલિકા ગણાય, માટે આપે પણ ગુરુવારની સંવત્સરી ન કરતાં બુધવાર કરે ઉચિત છે.”—આવી રજૂઆતના ઉત્તરમાં ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા સ્પષ્ટ કરતાં એમણે સમજાવ્યું :
ડહેલાના ઉપાશ્રયનું બંધારણ, જે બદામી સુરચંદભાઈ તથા સોલિસીટર ચીનુભાઈએ તૈયાર કર્યું છે અને નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે મંજૂર કર્યું છે અને જે સં. ૨૦૧૨માં –સને ૧૯૫૬માં-ડહેલાના ઉપાશ્રય તરફથી છપાયું છે, તેમાં પૃષ્ઠ બીજા ઉપર કલમ નં. ૩ વ્યાખ્યામાં આ પ્રમાણે છે : “પ્રણાલિકા એટલે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી આજ સુધી ચાલી આવતી પ્રણાલિકા.” ડહેલાના ઉપાશ્રયની અનેક પ્રણાલિકા પૈકી જે સંવત્સરી અને તિથિની પ્રણાલિકા, તે પ્રમાણે જ તિથિની આરાધના કાયમથી તપાગચ્છ શ્રીસંઘ કરે છે.”
પ્રણાલિકાની આ વ્યાખ્યાનુસાર એ પ્રણાલિકાને અસંગત હોય એ રીતે તેણે કેણે ક્યારે આચરણું કરી, તે જણાવતાં તેઓશ્રીએ કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org