SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ દિવસના દાખલા પણ પંચાંગમાં ભૂતકાળના મળી શકે અને ભવિષ્યમાં પણ મળશે. માટે વાસ્તવિક તે ચોમાસા પછી પૂનમથી ચોથ સુધી પ૦ દિવસ ગણાય અને તે પણ તિથિની ગણતરીએ જ ગણાય. પ૦ દિવસ પણ જે ચોમાસી ચૌદશથી ગણીએ તો જૈન પદ્ધતિ પ્રમાણે સંવત્સરીના દિવસે પ૦ દિવસ આવે નહિ, પણ ૫૧મો આવે. જેમ અષાડ શુદિ પૂનમે થામાસીને એક દિવસ, પછી અષાઢ વદના પંદર, શ્રાવણના ત્રીસ અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે પાંચ દિવસ તે; અને જૈન પદ્ધતિ પ્રમાણે અષાડ શુદિ પૂનમથી ભાદરવા શુદિ પાંચમ સુધીમાં એક પણ તિથિનો ક્ષય આવે જ નહિ, એટલે સંવત્સરી ૫૧મા દિવર્સ આવે, જે વ્યાજબી નથી. એટલે ચોમાસી પછીના દિવસથી જ પ૦ની ગણતરી, અને સંવત્સરી પછીના દિવસથી જ ૭૦ દિવસની ગણતરી કરાય, અને તે પણ તિથિએ તિથિની જ ગણતરી કરાય. ૨૦૦૪માં કેટલાકે પહેલાં સોમવાર જાહેર કરેલો અને પછીથી વ્યાજબી લાગતાં ચોથ ને મંગળવાર જાહેર કરેલું. તે વખતે મંગળવાર જાહેર કરવામાં “અષાડ શુદિ ૧૪ને મંગળવાર અને ભાદરવા શુદિ ચેાથે મંગળવારે ૫૦ દિવસ થાય.” આવી ખોટી દલીલની સાથે મંગળવાર જાહેર કરે તે વસ્તુને અત્યારે પણ કેટલાક આગ્રહથી પકડી રાખીને ૨૦૧૩ માં અષાડ શુદિ ૧૪ ને બુધવાર છે એટલે પ૦ દિવસ ચેથ ગુરુવારે ના આવે પણ ચોથ બુધવારે આવે, અને ચેથ ગુરુવારે પ૧ દિવસ થઈ જાય.”—આ રીતે કહે છે. પણ તે, પૂર્વની જેમ, ગેરસમજણની જે ખેડી પકડ, તે છૂટતી નથી એમ અમને લાગે છે. કારણ, ઉપરોક્ત રીતે ચોમાસાનો ને સંવત્સરી એક વાર ગણી ૫૦ દિવસ મેળવવા તે વ્યાજબી નથી. તિથિ-ગણતરી એ જ ૫૦ દિવસ મેળવવા જોઈએ, અને તે ચોથ ગુરુવારે પણ મળી રહે.” ગોડીજીના આગેવાનોની ઊંડે ઊંડે ઈચ્છા એવી હતી કે “આપ પણ સાગરજી મહારાજ વગેરેની જેમ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનો.” પણ એમને ત્રીજનો ક્ષય માનવે અરુચિકર હતા. ત્રીજને ક્ષય કરવા પાછળ એક પણ શાસ્ત્રવચનનું બળ નથી; અને જે છે તે વિશ્વસનીય મનાય તેમ નથી, આવા પિતાના મંતવ્યને સમજાવતાં તેમણે કહ્યું : “શ્રીમાન કાલિકાચાર્યજીએ ચતુર્થીની સંવત્સરી કરી, તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ચોથ ને શુદ પાંચમ બંનેને મૂકીને શુદિ ત્રીજે -અપ પર્યુષણા કરવા જેવું થશે. શુદ ત્રીજનો ક્ષય કરવા ઈચ્છનારા શુદ પૂનમના ક્ષયે શુદ તેરશને ક્ષય કરવાની રીતિને દાખલે આપે છે. પરંતુ એને માટે ચોક્કસ શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ પૂનમના ક્ષયે શુદ તેરશને ક્ષય કરે. પરંતુ ભાદ્રપદ શુદ પાંચમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy