SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૭૭] ૧૫રમાં જોધપુરી ચંડાશુ ચંડૂ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શિવલાલને જ તે વખતે પૂછાવતાં તેઓએ લખ્યું હતું કે અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે તો તે પ્રમાણે તમારે છઠને ક્ષય કર.” અને આ સંબંધમાં ૧૫ર શ્રાવણ સુદ ૧૫ નો જૈન ધર્મ પ્રકાશ”નો પુસ્તક ૧૨, અંક ૫ મે, તથા ૧૫ર અષાડ વદ ૧૧ નું “સયાજી વિજય” વાંચશો તો વિશેષ ખુલાસે થશે. અને “શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠના ક્ષયનો) મત હતો. તે પણ તેમાં તમને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫-'૩૭ના આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલભસૂરિજી પણ લખે છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૫રમાં ભાદરવા સુદ ૬નો જ ક્ષય માન્યો હતે.” તે જે તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા. શુ. પના ક્ષયે પાંચમને જ ક્ષય આદેશ્ય હોત તો આ રીતે આ. શ્રી વિજયવલ્લભસૂરિજીને પિતાના ગુરુદેવની વિરુદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ અમે માનતા નથી. વળી તમે લખો છો કે આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી કહે છે કે “હું પહેલેથી જ પાંચમને ક્ષય માનતો આવ્યો છું અને બીજાઓએ પણ પાંચમને ક્ષય કરી ઉદય ચોથે સંવછરી કરી છે. એ પણ તદ્દન ખોટું છે. તે વાત ૧૯૮ન્ના ‘વીરશાસન, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં આ. શ્રી વિ. દાનસૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે. કારણ કે તેમાં આ. શ્રી વિ. સિદ્ધિસૂરિજી તો શું પણ સકલ શ્રી તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાંથી કેઈએ પણ ભા. શુ. પનો ક્ષય માન્યો ન હતો, પણ અન્ય પંચાંગના આધારે છઠનો જ ક્ષય માન્યો હતો તે વાત સ્પષ્ટ છે. વિ. તમો લખો છો કે “ભાદરવા શુદ નો ક્ષય કરી શુદ ૪ને મંગળવારે સંવછરી કરવાથી આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવછરી થશે. અને આથી તેમનો પક્ષ સાચે છે એવું ભદ્રિક તથા ભદયા શ્રાવકો માનશે.” તે પણ તમારું માનવું છેટું છે, કારણ કે તેમની અને આપણી સંધશ્કરી એક દિવસે આવવાથી કંઈ એક થઈ જવાતું નથી. કારણ કે તેઓ પાંચમનો ક્ષય કરે છે, જ્યારે આપણે છઠને ક્ષય માનવાને છે. અને આપણે એ વિચાર કરીએ તો લોકાગચ્છ વગેરેની સંવ છરી પણ આપણી સાથે આવશે તો શું આપણે તે વખતે તેવા થઈ જશું ? માટે તે વાતમાં કાંઈ પણ ભય રાખવાનો હોય નહિ. વળી તમોએ લખ્યું કે “આમ આ બાબત ઉપર ખૂબ વિચાર કરશો અને કલમવાર સમાધાન જણાવશોજી. અને વિગતવાર ખુલાસો કરશોજી.” તો અમારા ક્ષયોપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરેલો છે. “TV થી એ પાઠની વ્યવસ્થા તેમ જ “ક્ષ પ્રવ.' એ વચનની વ્યવસ્થા પણ અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy