SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Bow Bibe સર્વ જીવોની ઈં સુખ મેળવવાની હોય છે. પોતાની વર્તમાન પરિસ્થિતિ કરતાં વિશેષ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનું ધ્યેય દરેકને હોય છે, તે સુખ પ્રાપ્ત કરવાં તેના જે જે સાધનો હોય તે દરેક સાધનો એકઠા કરવા પ્રયત્ન કરે છે. જૈનધર્મમાં યોગદષ્ટિ (પરેશકુમાર ડી. શાહ, ભીનમાલ) Jeg આત્મા ! જ્યારે ઔધ નામની દૃષ્ટિ છોડી દે છે ત્યારે જ ઉન્નતિના ક્રમમાં આગળ વધે છે. ઔધ દૃષ્ટિ એટલેઃ આવી સાધ્ય દશા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા જીવાત્માઓના બે વિભાગ પાડી શકાય. એક બહિરાત્મા અને બીજો અંતરાત્મા. બહિરાત્મ દશામાં વિહરનારા જીવો પોતાના શરીરને આત્મા સમજે છે. શરીરને જે સુખની અનુભૂતિ થાય, યા દુઃખની અનુભૂતિ થાય તે પોતાને થઈ એમ સમજે છે, પુત્ર-સ્ત્રી કુટુમ્બાદિ પરિવાર તે પોતાનો સમજે છે, તેઓથી જે અન્ય છે તેવા આત્માઓને પરાયા – પારકા સમજે છે. પોતાના તાબામાં રહેલા, ધન, વેરાન - દાગીના, મકાન - વૈભવ, આદિ પદાર્થો પર સ્વબુદ્ધિ ઉત્પન્ન કરે છે. અર્થાત્ આ બધુ મેં પ્રાપ્ત કર્યું આ બધુ મારું પોતાનું છે. આવા પ્રકારની મતિ - બુદ્ધિના પરિણામે સંસાર વૃદ્ધિના બીજ નિરંતર વાવ્યા કરે છે. અને તેને સંસારના ફ્ળોને નિરંતર સહન કર્યા ક૨વા પડે છે. જ્યારે અંતરાત્મદશામાં વિહરનારા વોનું ચેતનાનું સાધ્ય સ્થાન પરામાત્મદશા છે. આવા પ્રકારની બુદ્ધિ તે આત્મ બુદ્ધિ છે જેથી બાહ્ય પદાર્થોના - રૂપ-રંગ-વૈભવ- તેમજ આનંદ વિલાસના સાધનોમાં રાચતાં નથી, સતત આત્મસંવેદન સ્થિતિને મેળવે છે. જેથી તેના પૂર્વેની ક્રિયામાં કેટલો ભ્રમ હતો, કેટલી સત્યતા હતી, તે તેના ધ્યાનમાં આવ્યા વગર રહેતી નથી. તેમજ આત્માની અર્ચિત્ય શક્તિ જે આત્મામાં અનંત-અનંત ગુણો રહેલા છે, તેનો તેને ખ્યાલ આવે છે અને તેનામાં - એવા પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે કે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ પડે. અંતરાત્મદશામાં વર્તતા જીવો પોતાના વિકાસક્રમમાં ઘણા આગળવધતાં હોય છે. જો આ પ્રકારે પ્રાણીઓના વર્તનનું બરાબર અવલોકન કરવામાં આવે તો તે આત્મા વિકાસક્રમમાં કર્યાં પગથીયા ૫૨ છે તે સ્વયં સમજી શકે છે. વિકાસક્રમમાં આગળ વધતાં તેઓની માનિસક તથા આત્મીય પ્રગતિ કેટલી થાય છે, તે આપો યોગષ્ટિથી જોઈએ. વિચારપૂર્વક શ્રદ્ધા કરવી. - શાખવી, નિર્ણય કરવી, અન્ય સ્વરુપનું જ્ઞાન કરવું આવા પ્રકારની અવસ્થાને જ્ઞાની - ભગવંતો દૃષ્ટિ કહીને સંબોધે છે. ચિત્રા - તારા - બલા - દીપ્રા - સ્થિરા - કાંતા - પ્રભા - અને પરા - આ આઠ દૃષ્ટિના નામો છે. અનાદિકાળથી મિથ્યાત્વભાવમાં ખેંચાતો એવી આ ચૈતન કાનંદ જયસેની આ જાતી વિભાગ NÉT THA Jain Education International thin વિચાર કર્યા વિના ગતાનુગતિક ન્યાયે વડીલોના ધર્મને અનુસરવું. બહુજન સંમત થા પૂજ્ય ધર્મના અનુયાયી થયું. પોતાની વિચાર શક્તિનો ઉપયોગ ન કરવો આનું નામ “ઓધ દૃષ્ટિ" અનેતા પુદ્ગલ પરાવર્ષે કરીને આ ચેતન ચૌરાશી લાખ જીવોનીમાં રખડવા કરે છે. એ પ્રમાણે રખડતાં - રખડતાં જ્યારે તેને છેલ્લું પુદ્ગલ પરાવર્ત પ્રાપ્ત થાય છે ત્યારે તે આવા પ્રકારની યોગ દૃષ્ટિઓની પ્રાપ્તી કરીને ઉર્શિત ક્રમમાં આગળ વધે છે. તેમાં પણ પ્રથમની ચાર દૃષ્ટિ આવીને પાછી ચાલી જતી હોય છે. જ્યારે છેલ્લી ચાર દૃષ્ટિ આવ્યા પાછી ચાલી જતી નથી તેટલું જ નહી પણ પ્રથમની ચાર દૃષ્ટિ જીવને ક્યારેક દુતમાં લઈ જાય છે જ્યારે છેલ્લી ચાર દુર્ગીતને આપતી નથી. (૧) ચિત્રા દૃષ્ટિ :- આ દૃષ્ટિમાં રહેલા અને યોગનાં આઠ અંગ પૈકી પ્રથમ અંગ, “યમ” પ્રાપ્ત થાય છે. યમ પણ પાંચ JBSA પ્રકારના છે. અહિંસા સત્ય અસ્તેય - મૈથુન વિરમણઅને અપરિગ્રહતા તેમાં પણ પ્રથમના બે યમને અમલમાં મુકે • બાકીના ત્રણ અમલમાં મુકવાની ઈચ્છા હોય છે. પણ અમલીનીકરણ કરી શકતો નથી. તત્ત્વબોધઃ- તૃણની અગ્નિ જેવો મંદ બોધ થાય છે. જે બોધ થયા પછી પાછો જતાં વાર નથી લાગતી. ગુણ - અદ્વેષ ગુણ હોય છે. આ દૃષ્ટિમાં જીવને શુભ કાર્ય કરતાં. જરા પણ કંટાળો આવતો નથી. સારાં કાર્યો કરતાં તે કદી પણ થાકી જતો નથી ઉન્નતિના ક્રમમાં અદ્વેષની હદ સુધી વધે છે. દોષ :- ખેદ નામનો દોષ ચાલ્યો જાય. The સત્પુરુષો નો યોગ તે યોગાવંચક સત્પુરુષોને નમસ્કારાદિ કરવા તે વિંચક સત્પુરુષોથી ધર્મ સિધ્ધિ કરવી તે ળાવક, આ ત્રણે અવંચક ભાવ આ દ્રષ્ટિમાં વર્તમાં પ્રાપ્ત થાય છે. તે કારણથી જીવને સર્વ શુભ સંયોગી મળતા જાય છે. ભસ્થિતિ બહુ અલ્પ રહે અને સંસારનો છેડો નજીક આવે ત્યારે જ આ યોગદૃષ્ટિમાં અવાય છે. (૨) તારા દૃષ્ટિ :- આ દૃષ્ટિમાં યોગનું દ્વિતીય અંગ ‘નિયમ’ પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ છે. (૧) મનની શ× તે શૌચ (૨) દેશ પ્રકારના દ્રવ્ય પ્રાણોને નિભાવનારા પદાર્થો સિવાય અન્ય પદાર્થોની અસ્પૃહા તે સંતોષ (૩) અનેક પ્રકારના તપ કરવા તેમ જ સુધા ૬૩ For Private & Personal Use Only सोता जो खोता सदा, जागे वह कुछ पाय । जयन्तसेन प्रमाद तज, जीवन ज्योत जगाय ॥ WJulietary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy