SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ જય શ્રી સ્થંભન લિયુગમાં કલ્પવૃક્ષ સમાન અચિત્ય પ્રભાવશાળી સુરેન્દ્રોઅસુરન્દ્રો અને માનવેન્દ્રોથી પૂજાયેલાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના નામથી પ્રસિદ્ધિ પામેલા. શ્રીસ્થંભનપુર (ખંભાતનું) સ્થાન ગુર્જર ભૂમિમાં અદ્રિતીય અને ધાર્મિક ઈતિહાસમાં અનુપમ છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુ ભાવિ કાળમાં જગતમાં ઘણા પ્રભાવિક થશે. એ પ્રમાણે નાગદેવતાએ શ્રી કૃષ્ણને જણાવ્યું હતું. કૃષ્ણના એ પ્રાણ ત, જીવન હતા, રામચંદ્રજીને પણ વિભીષણને કહેલ કે આ ભગવાન અમારા જીવનું જીવન છે. પ્રાણનું રૌતન્ય છે. સંસાર સાગરથી પાર ઉતરવાને અર્થે આ ભગવાનની સદાય જેવા કરવી જોઈએ. ભારાજની પાટનગરી ધામનગરીમાં નાંગી ટીકાકાર શ્રીમાન અભયદેવસૂરિના જન્મ થયો. એ મહાપુરૂષ શ્રી સુધર્મા સ્વામીની પાંત્રીસમી પાટે થયેલા શ્રી ઉદ્યોતનસૂરિના શિધ્ધ શ્રી વર્ધમાનસૂરિ, તેમના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ને બુદ્ધિસાગરસૂરિ હતા. તેમાં શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી અભદેવસૂરિ હતાં. સોળ વર્ષની વયમાં ગુરુએ તેમને આચાર્ય પદવી આપી, પાર્શ્વનાથ – એક વિક્રમ સંવતના ૧૦૦૦ વર્ષ વીતી ગયાં. ત્યારે એ સૈકાના માં અભયદેવસૂરિ વ. વિ. સં. ૧૦૮૮માં સોળ વર્ષની ઉં‘મર તેઓ આચાર્ય બન્યાં, શાસનની અધિષ્ઠાયિકા દેવીના વચનન સહાયથી નવ અંગની ટીકાની રચના કરી. મહાન પુરુષનું નવાંગી વૃત્તિનું કાર્ય પૂર્ણ થયું; પરંતુ અસાતાના ઉદયે સૂરિજીના શરીરમાં ક્રુષ્ટ રોગે મળ્યા કર્યાં. શ્રી ધરણેન્દ્ર રાત્રે આવી શ્વેત સર્પનું રૂપ કરી પ્રિત ચૂસી લીધુ અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સેઢી નદીના કીનારે ખાખરાના વૃક્ષ નીચે નાગાર્જુન યોગીએ ભંડારેલી છે તે પ્રતિમા પ્રગટ કરવાની સૂચના કરી, સકલ સંઘ સહિત સૂરિજી ત્યાં પધાર્યા. એકાગ્ર ચિત્તે જયતિહુઅણુ કાવ્યની રચના કરી. ૩૨-ગાથા કહી. ૩૩-મી ગાથા બોલતાં તરત જ શ્રી નાગરાજના પ્રભાવમાં જમીનમાંથી અલૌકિક, અત્યંત તેજસ્વી, નીલરનથ કી રક્ષાને પાર્શ્વનાથ ભગવંતનું બિબ પ્રગટ થયું. બ્લ્યુ જય ચાલતાં પ્રભુના દર્શનથી સહુ આનંદવભોર બન્યાં. સાં સંઘે મહાન ચમત્કારી શ્રીસ્થંભન પાર્શ્વનાથની ઉત્પત્તિ સૂરિશ્વરજીને પૂછી. મંદ-મધુર સ્વરે સૂરિજી બાલ્યા કે, પૂર્વ આ ભગવંતની પ્રતિમા સ્વ-પરના કલ્યાણાર્થે ગઈ ચોવિસીના સેાળમા ભગવાન શ્રી નમિસર પ્રભુના શાસનમાં શ્રી આષાઢી નામન ધર્મવીર શ્રાવકે ભરાવી, પછી સૌધર્મનું અને વરૂણદેવે અગિયાર વખ વર્ષ સુધી પૂ. તે પછી રામ-લક્ષ્મણે પૂજી. એંસી હજાર વર્ષ સુધી તક્ષક નાગે પૂજી, છેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણે પૂજી. દ્વારિકાના દાહ સમયે અધિષ્ઠાયક દેવે સમુદ્રમાં પધરાવી. તે કેટલેક કાર્યો કાન્તિનગરીના સાઇવાડના વહાણો સમુદ્રમાં સાંબી જવાથી વવાણીથી સાર્યવાહ ધનપતિએ બહાર કાઢી, કાન્તિનગરીમાં ભવ્ય મંદિર બંધાવી ભકિતથી પૂ. તે પછી નાગાર્જુન નામના યોગીએ આ પ્રતિમાનું હરણ વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International પરિચય કર્યું અને તેણે આ પ્રભુના સાનિધ્ય ને પ્રભાવી વાઇરસની સિદ્ધિ કરી અને પ્રતિમાને રોતી નદીના કીનારે. ખાખરાના યાની નીચે જમીનમાં ભંડારી દીધી, ત્યાં પણ તે પ્રતિમા યોાથી પૂજાતી રહો. આજે અનુક્રમે ધરણેન્દ્રના વચનથી એ પ્રતિમા અહયા છે. એમ જાણી સિંહણ કાળ વડે મેં સ્તુતિ કરી. તે પ્રતિમા આપણા પૂણ્યોદયે જમીનમાંથી પ્રગટ થઈ. લગભગ છ લાખ વર્ષ પૂર્વે શ્રી રામચએ રાવણના પંજામાંથી સૌને મુક્ત કરવા સાત માસને નવ દિવસ એકાગ્ર ચિત્તે ધ્યાન ધર્યું. દશમા દિવસના મંગળ પ્રભાતે શ્રી નાગરાજ પ્રસન્ન થયા તે વખતે સમુદ્રનાં જળ સ્થંભી ગયાંની વધામણી આવી. પછી શ્રી રામચંદ્રજીલક્ષ્મણ –વિદ્યાધરોની સાથે ભગવંત પાર્શ્વનાથના મંદિરમાં આવ્યા. પૂજા-અર્ચા કરી ભાવપૂર્વક સ્તુતી કરી “ફ્રી સ્થંભન પાર્શ્વનાથ” નામ આપી હર્ષથી વધાવ્યા. અને ત્યારથી ભગવન આ જગતમાં દેવ-મનુષ્યો અને વિદ્યાધરોથી પૂજાતા ‘શ્રી સ્થંભન પાર્શ્વનાથ” નામે વિખ્યાત થયા. તે શ્રી શાશ્વનાથ પ્રભુ હતા હતાં. સહુનું કલ્યાણ કરો, અમારી મેાક્ષ લક્ષ્મિને માટે થાઓ. ☆ આ પ્રતિમાજીના હવણ જળથી સૂરિજીના રોગ નષ્ટ થયો. તે પછી સંઘે ત્યાં આગળ ઘણું દ્રવ્ય ખરચીને સ્થંભન નામે ગામ વસાવ્યું. મોટા મહોસવપૂર્વક મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી. વિ. સં. ૧૩૬૮માં એ પ્રભુજીનું બિબ સ્તંભતીર્થ (ખંભાત)માં આવ્યું. ખંભાતનો શ્રી સંઘ ખારવાડાના મંદિરમાં પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન કરી પ્રભુની સેવા કરવા લાગ્યો. ત્યાર બાદ વિ. સં. ૧૯૫૨માં તારાપુરના સાનીઓ આ બિંબનું રણ કર્યું. શ્રી સંઘ શાકથી ઘેરાઈ ગયો. ધર્મવીર સં થી પાપભાઈ તથા કોઠી પુરૂષોત્તમભાઈના સતત પ્રયાસથી નિર્ધનને ધનની પ્રાપ્તિ, ભૂખ્યાને ભોજનની પ્રાપ્તિની જેમ ભકતોને ભગવાન મળ્યા. પ્રભુજીના દર્શન કરી સહુ હર્ષિત બન્યાં. વિ.સં. ૧૯૫૫માંતપાગચ્છાધિરાજ શાસન સમ્રાટ શ્રી વિશ્વ નેમિસૂરિશ્વરજી મ. સાહેબના પુનિત હને પ્રતિષ્ઠા કરાવી. સમયનાં વહેણની સાથે મંદિર જીર્ણ બન્યું. ખંભાતના શ્રી સંઘે એ જ સ્થાને ત્રણ શિખરનું નૂતન વિશાળ મંદિર બંધાવવું શરૂ કર્યું. લાખોના ખર્ચે ભવ્ય મંદિર તૈયાર થયું અને નૂતન જિનાલયમાં વિ. સં. ૧૯૮૪ ના ફાગણ શું. ત્રીજના માંગલિક દિવસે ભાવભીના માન્સવર્વક તપાગચ્છાધિરાજ શાસન સમ્રાટ ૫, પૂ. આ. કે. વર્ષે નેમિસૂરિશ્વરજી મ. ના વરદ હસ્તે પ્રાચીન શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠ કરાવી. સ્તંભન તીર્થંના નિલમણિ આભૂષણરૂપ શ્રી સ્તંભન શમનાથ પ્રભુના દર્શનાર્થે હજારો ભાવિકો આવે છે. ખંભાતના શ્રી સંઘ પણ રોજ દર્શન, પૂજન સ્તવન કરી આત્માને ધન્ય બનાવે છે. ✰✰✰ For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy