________________
આર્ય વજસ્વામી
3 પ્રો. તારાબહેન રમણલાલ શાહ
આમ દીક્ષાના આવા સોળ પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે.
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમના શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વર્ષે આવનાર આર્ય વજસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા. આર્ય સુહસ્તિના ગચ્છમાં તેઓ તેરમા પટ્ટધર હતા.
વજસ્વામી જૈન શાસનની મહાન વિભૂતિઓમાંના એક ગણાય છે.
જૈન ધર્મ પ્રમાણે પૂર્વની સંખ્યા ચૌદની છે. છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વના જાણકાર હતા. સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વમાંથી દસ પૂર્વ સૂઝથી અને અર્થથી જાણતા હતા અને છેલ્લા ચાર પૂર્વના માત્ર સૂત્રથી જાણકાર હતા, અર્થથી નહિ. એમનામાં ઉદ્ભવેલા ક્ષણિક માનકષાયને કારણે ભદ્રબાહુસ્વામીએ એમને બાકીનાં ચાર પૂર્વ અર્થથી ભણાવ્યાં નહોતાં. ચૌદમાંથી દસ પૂર્વના જાણકાર અથવા ધારણહાર સાધુ ભગવંત દસપૂર્વધર કહેવાય છે. વજસ્વામી એવા દસપૂર્વધર હતા. પૂર્વ અથવા પૂર્વશ્રુત એટલે શું? પ્રત્યેક તીર્થકરના શાસનકાળમાં તેમની પૂર્વે થયેલા તીર્થંકરના કાળનું ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન અથવા શ્રુતસાહિત્ય તે પૂર્વશ્રુત કહેવાય છે. એ પૂર્વશ્રુતમાં તે સમયે પ્રવર્તમાન તીર્થંકરના કાળનું શ્રુતસાહિત્ય અથવા ધર્મવિષયક સાહિત્ય ઉમેરાય છે. એમ પ્રત્યેક તીર્થંકરના સમયનું સાહિત્ય ઉમેરાઈને ધર્મસાહિત્યનો રાશિ વિશાળ બનતો જાય છે. આ રીતે કુલ ચૌદ પૂર્વ બન્યાં છે, કારણ કે તે ધૃતરાશિ ચૌદ વિષયવિભાગમાં વહેંચાયેલો છે.
પ્રાચીન પ્રાગૈતિહાસિક કાળમાં લેખન-મુદ્રાણનાં સાધનો નહોતાં. ગુરુમુખેથી સાંભળીને શિષ્યો જ્ઞાન ગ્રહણ કરતા. શ્રુત એટલે સાંભળેલું. તેથી તે શ્રુતસાહિત્ય કહેવાયું. તીર્થંકર ભગવાન જે દેશના આપે તે ગણધર ભગવંતો ઝીલીને દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગી એટલે બાર અંગમાં અથવા વિભાગમાં વહેંચાયેલો તીર્થંકર ભગવાનનો ઉપદેશ. બારમા અંગનું નામ છે દૃષ્ટિવાદ, તે અત્યારે લુપ્ત છે. આ વિશાળ પૂર્વશ્રુત તે દષ્ટિવાદનો ભાગ છે. તેમાં જીવન અને જગતના મહત્ત્વના તમામ વિષયોની અત્યંત સૂક્ષ્મ રીતે છણાવટ કરવામાં આવી છે.
ચૌદ પૂર્વનાં નામ આ પ્રમાણે છે : ૧. ઉત્પાદપ્રવાહ, ૨. અગ્રાયણીયપ્રવાહ, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિકવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૧, કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણ-આયુકવાદ, ૧૩. કિયાવિશાલપ્રવાદ અને ૧૪. લોકબિંદુસારપ્રવાદ.
આપણા પૂર્વશ્રતનું કદ આપણે કલ્પી ન શકીએ એટલું મોટું છે. એ કેટલું મોટું છે તે બતાવવા માટે એમ કહેવાય છે કે ફક્ત પ્રથમ પૂર્વશ્રત લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ. બીજા પૂર્વમાં બે હાથીના વજન જેટલી, ત્રીજા પૂર્વમાં ચાર હાથીના વજન જેટલી, એમ ઉત્તરોત્તર બમણી બમણી ગણીને, શાસ્ત્રકારોએ બતાવ્યું છે તે પ્રમાણે ચૌદ પૂર્વ લખવા માટે સોળ હજાર ત્રણસો ત્યાશી, અંકે ૧૬૩૮૩ હાથીના વજન જેટલી શાહી વપરાય. ચૌદ પૂર્વમાં લખાયેલાં પદોની સંખ્યાનો કોઈ હિસાબ નથી. આ કરોડો પદો યાદ રાખે તે પૂર્વધર કહેવાય. જેની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને ધારણાશક્તિ એ ત્રણે શક્તિ આશ્ચર્યજનક રીતે વિકસી હોય તે જ વ્યક્તિ આ વિશાળ શ્રત ધારણ કરી શકે. દરેક તીર્થકરના કાળમાં મુનિઓની સંખ્યા ઘણી મોટી હોય છે, પરંતુ પૂર્વધર સાધુની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે, કારણ કે પૂર્વશ્રત માટેની યથાયોગ્ય ધારણાશક્તિ બહુ ઓછા મુનિઓમાં હોય.
પૂર્વધર બનવા માટે પાત્રતા જોઈએ. આત્માને ઉજ્જવળ કરે એવું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પ્રજ્ઞા ઉપરાંત મહત્ત્વની આવશ્યક્તા તે મુનિપણું છે અને મુનિપણામાં નિર્મળ, નિરઅતિચાર ચારિત્ર છે. જીવ માત્ર પ્રત્યે કરુણાસભર હૃદય તથા મન, વચન, કાયાથી બ્રહ્મચર્યપાલન આ પૂર્વધરનાં અત્યંત મહત્ત્વનાં લક્ષણો છે.
ભગવાન મહાવીર સ્વામીના શાસનકાળમાં એક હજાર વર્ષ સુધી પૂર્વશ્રુતની પરંપરા ચાલી હતી. ત્યાર પછી પૂર્વનો વિચ્છેદ થયો. આર્ય વજસ્વામી ભગવાન મહાવીર પછી લગભગ પાંચસો વર્ષે થયા. વજસ્વામીનો જન્મ વિ. સં. ૨૬માં (વીર સં. ૪૯૬માં) થયો હતો. તેમને બાલવયે દીક્ષા આપવામાં આવી હતી, શાસનમાં જે બાલદીક્ષિત મહાત્માઓ થઈ ગયા છે એમાં વજસ્વામીનું જીવન અદ્ભુત છે. એમના જીવનની બહુ વિગતો આપણને મળતી નથી. પણ જે મળે છે તે ઘણી રસિક છે અને એમના ઉજ્જવળ જીવનને સમજવામાં સહાયરૂપ છે.
વજસ્વામીના પૂર્વભવનો પ્રસંગ પણ અત્યંત પવિત્ર અને પ્રેરક છે. તે આ પ્રમાણે છે : ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગુરુ ગૌતમસ્વામી જ્યારે પવિત્ર તીર્થ અાપદ પર્વતની યાત્રાએ ગયા હતા ત્યારે સ્વર્ગમાંથી વૈશ્રમણ ર્જુભકદેવ પણ પોતાના એક દેવ મિત્રને લઈને તે જ સ્થળે યાત્રાએ આવ્યા. બન્નેએ ગૌતમસ્વામીનાં દર્શન કર્યા, પરંતુ અદ્ભુત કાંતિવાળા ગૌતમસ્વામીનું પુરું શરીર જોઈને મિત્ર દેવના મનમાં પ્રશ્ન થયો કે “સાધુ તે કંઈ આવા ભરાવદાર શરીરવાળા હોય ? સાધુ તો તપ કરે, કષ્ટ સહન કરે એટલે તે કૃશકાય હોય. પરંતુ ગૌતમસ્વામીનું શરીર તો સુખી માણસ જેવું ભરાવદાર છે !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org